SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમ‘ડળ અને બાલચન્દ્ર હતા. ગુરુએ સુશિષ્ય જાણીને રામચન્દ્રને વિશેષ વિદ્યા આપી, માન આપ્યું. આથી રિસાઇને બાલચન્દ્ર ચાલી નીકળ્યા. અજયપાલની સાથે તેને મિત્રતા થઈ. પેાતાને રાજ્ય પ્રાપ્ત થયા માદ અજયપાલે રામચન્દ્રને કહ્યું--હેમચન્દ્રસૂરિની સર્વ વિદ્યા મારા મિત્ર બાલચન્દ્રને આપ. રામચન્દ્રે કહ્યું -ગુરુની વિદ્યા કુપાત્રને અપાતી નથી. રાજાએ કહ્યું–તે અગ્નિ......૧૬ જીભ કરડીને તેના ઉપર (તપાવેલા પતરા ઉપર ?) બેસતાં તેમણે દેકપચશતી ( એટલે પાંચસેા દૂહા ?) અનાવી. ’× ૧૭ આ સર્વ ઉપરથી એટલું તે! ચે!ક્કસપણે કહી શકાય છે કે, હેમચન્દ્રના શિષ્યમ`ડળમાંથી બાલચંદ્ર જુદા પડ્યા હતા એ ઐતિહાસિક સત્ય છે અને રામચન્દ્રના મૃત્યુમાં પણ બાલચન્દ્ર કારણભૂત હશે. અજયપાલના જૈનમંત્રી યાઃ પાલ ( ‘ મેહરાજપરાજય ’ના કર્તા ) તથા આભડ વગેરે શેઠિયાએએ રામચન્દ્રસૂરિનું આવી રીતે મૃત્યુ થતું અટકાવવાના ઘણા પ્રયાસેા કર્યાં હતા, પણ તેમના એ સર્વ પ્રયત્ને નિષ્ફળ નીવડ્યા હતા.૧૮ ૨. ગુણચન્દ્ર રામચન્દ્રના ગુરુભાઇ અને તેમની સાહિત્યપ્રવૃત્તિએમાં અનેક પ્રકારે સહાય કરનાર ગુણચન્દ્ર વિષે લગભગ કંઇ જ જાણવામાં આવતું ૧૬. આ સ્થળે મૂળ પ્રતમાંને કેટલાક ભાગ ગયેલા હાઇ વાક્ય તૂટે છે. ૧૭. પુરાતન પ્રબન્ધસગ્રહ (સિંધી જૈન ગ્રં‘સાલા ), પૃ. ૪૯ ૧૮. રામચન્દ્ર વિષેના આ લખાણમાં તેમના અપ્રસિદ્ધ ગ્રન્થામાંથી જે અવતરણા વગેરે લેવાયાં છે તે ૫. લાલચન્દ્ર ગાંધીએ લખેલ નવિલાસના નાટકની સંસ્કૃત પ્રસ્તાવનામાંથી ધૃત કરેલાં છે, એ હકીક્તની અ સાભાર નોંધ લઉં છું. Jain Education International ૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy