SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ નાટ્ય અને અભિનયનાં વિવિધ અંગેને વ્યવહારુ દષ્ટિએ અવલોકવાનો. તેમને સારે અવકાશ મળ્યો હશે, પણ પૂર્વકાલીન પરંપરાઓથી જકડાયેલા યુગમાં વ્યવહારુ સત્ય પર ઘડાયેલાં વિધાનને પાંડિત્યના ક્ષેત્રમાં છૂટાં મૂકવાનું સાહસ કરવું એ કંઈ સામાન્ય વાત નહોતી. “પ્રબન્ધશતકઈ? રામચન્દ્રને “પ્રબન્ધશતકર્તા' નામથી ઓળખવામાં આવે છે. તેમણે એ વિશે પણ પોતાને માટે પોતાની કૃતિઓમાં વાપર્યું છે. પં. લાલચન્દ્ર ગાંધી માને છે કે તેમણે કુલ સૌ પ્રબળે લખેલા હોવા જોઈએ કે જેમાંના ઘણાખરા આજે પ્રાપ્ત થતા નથી. બીજે મત એવો છે “ પ્રબન્ધશત” એ શબ્દ રામચન્દ્ર રચેલા પ્રબોની સંખ્યાનો વાચક નથી, પરંતુ એ નામનો ગ્રન્થ જ તેમણે રચ્યો છે જોઈએ. શ્રી. જિનવિજયજીએ અલંકાર, કાવ્ય, નાટક વગેરે વિષયના. પ્રત્યેની એક પ્રાચીન યાદી પ્રસિદ્ધ કરેલી છે.* અનુમાન થઈ શકે છે તેમ, એ યાદી કેદના પુસ્તકસંગ્રહની હોવી જોઈએ. એમાં એક स्थणे पं. रामचंद्रकृतं प्रबन्धशतं द्वादशरूपकनाटकादिस्वरूपज्ञापकं (श्लोकसंख्या) ઉ૦૦૦ એ પ્રમાણે ઉલ્લેખ છે. શ્રી. જિનવિજયજી માને છે કે હેમચન્દ્ર કાવ્યાનુશાસનમાં જે બાર વસ્તુઓ રૂપક તરીકે જણાવી છે તે રૂપકના ३. श्रीमदाचार्यहेमचन्द्रशिष्यस्य प्रबन्धशतकतर्महाकवेर्रामचन्द्रस्य भूयांस : પ્રવૃન્યા : ' -નિર્ભયભીમવ્યાયાગ: પ્રસ્તાવના श्रीमदाचार्यहेमचन्द्रस्य शिष्येण प्रबन्धशतविधाननिष्णातबुद्धिना नाट्यलक्षणनिर्माणपातावगाढसाहित्यांभोधिना विशीर्णकाव्यनिर्माणतन्द्रेण श्रीमता रामचन्द्रेण વિશ્વિતં......ઢતીયં સન્ ! -કૌમુદીમિત્રાણુંદર પ્રસ્તાવના ૪. “પુરાતત્ત્વ” [ રૈમાસિક ], પુ. ૨, પૃ. ૪૨૧ ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy