SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમડળ આમ કરીને કયી કયી રીતે આપણા મેહ દૂર કર્યાં નથી?-અર્થાત્ સર્વ રીતે કર્યાં છે.) આવા પ્રભાવશાળી પુરુષની આસપાસ વિદ્યાપ્રેમી શિષ્યાનું મંડળ જામે એ તદ્દન સ્વાભાવિક છે. આવા પુરુષા શિષ્યમંડળ વિશાળ બનાવવા પરત્વે ઉદાસીન હોય છે. વહેતી ગંગામાંથી જેમ જે કાઇને ગરજ હેાય તે ખેાખે। ભરીને પી લે અથવા ઘડે! ભરી લે તેમ જેતે જ્ઞાનની પિપાસા હોય છે તેએ જ અહીં એકત્રિત થાય છે. હેમ દે શિષ્યાની સંખ્યા વધારવાને કદિ પણ પ્રયત્ન કર્યો હોય એમ જણાતું નથી, અને તેમના જે શિષ્યા વિષે આજે આપણને કંઇ પણ જાણવા મળે છે. તેએ સારા વિદ્વાન અને સાહિત્યકારા હતા, તેથી ઉપરના કથનને પુષ્ટિ મળે છે. તેમના શિષ્યા પૈકી રામચન્દ્રસૂરિની ખ્યાતિ હિન્દભરના વિદ્વાનામાં પ્રસરેલી હતી અને તે કાળના વિદ્વાનામાં તેમનુ સ્થાન માત્ર હેમચન્દ્રથી બીજી' હતુ. આ ઉપરાંત ગુણચન્દ્ર, મહેન્દ્રસૂરિ, વમાનગણિ, દેવચન્દ્ર, ઉદયચન્દ્ર, યશશ્ચન્દ્ર, બાલચન્દ્ર વગેરે ખીજા શિષ્યા હતા. તે સર્વેએ સાહિત્યમાં એછેવત્તો કાળા આપ્યા છે અને જ્યારે આપણે ભારતીય સાહિત્યમાં ગૂજરાતે આપેલા કાળાની વિચારણા કરવા બેસીએ ત્યારે તે સની સાહિત્યપ્રવૃત્તિ લક્ષમાં લેવી પડે તેમ છે. હેમચન્દ્રની અગાધ વિદ્વત્તાના વારસા એ સવ શિષ્યામાં આપણે એઇ શકીએ છીએ. એ સ વિષે યથાશય માહિતી અહીં આપવાને પ્રયાસ કર્યાં છે. ૧. મહાકવિ રામચન્દ્ર મહાકવિ રામચન્દ્ર ક્યાંના વતની હતા, કયી જ્ઞાતિના હતા, તેમનાં માતાપિતાનું નામ શું, વગેરે વિષે કંઈ પણ હકીકત મળતી નથી. તેમણે રચેલ ‘નલિવિલાસ નાટક’ (પ્રસિદ્ધ ગા. એ. સીરીઝ)ના સંપાદક છે. લાલચંદ્ર ગાંધીના અનુમાન પ્રમાણે, રામચન્દ્રના Jain Education International ૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy