SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતમાં વિમાન કઈ માણસ જણાતું નહોતું. માત્ર કાષ્ઠયત્રનાં પૂતળાં માણસના જેવી ચેષ્ટાઓ કરતાં હતાં, પણ કોઈને વાચા નહોતી. એમ કરતાં રાજમહેલ આગળ પહોંચ્યા, ત્યાં કાષ્ઠની પ્રતિહારીવડે રક્ષાયેલા ભવનમાં રત્નસિંહાસન ઉપર બેઠેલા એક ભવ્ય પુસ્વને તેમણે જોયો. એ પુરૂને નરવાહનદત્તે પૂછતાં તેણે જણાવ્યું કે—“હું જાતે સુતાર છું. મારું નામ રાજ્યધર છે. હું તથા મારો ભાઈ પ્રાણધર પહેલાં કાંચીનગરમાં રહેતા હતા. અમે બન્ને યત્નકલામાં પ્રવીણ છીએ. મારા ભાઈ વેશ્યાગામી હતા, આથી ધન મેળવવા માટે તેણે લાકડાના બે ઉડતા યાંત્રિક હંસે બનાવ્યા હતા. એ હંસ પાસે તે રાત્રે રાજાના ખજાનામાંથી જવાહરની ચોરી કરાવતા. એક વાર રક્ષકએ હંસને પકડી લીધા, અને યંત્રકામ તોડી નાખી રાજા પાસે લઈ ગયા. શહેરમાં કુશળ યાંત્રિક તરીકે અમે બે ભાઈઓ પ્રસિદ્ધ હતા. આથી મારો ભાઈ પ્રાણધર એક સાથે આસો યોજન ઘડનારા ચાંત્રિક વિમાનમાં બેસી પોતાના કુટુંબ સાથે નાસી ગયો, અને હું પણ રાજાના ભયથી મારા વિમાનમાં બેસી અહીં ચાર ગાઉ દૂર આવી સમુદ્ર નજદીક હોવાને કારણે નીચે ઉતરી ગયો. આ નગરમાં પ્રવેશ કરતાં નગર શુન્ય જોયું. આથી મારી કારીગરીથી યાંત્રિક મનુષ્યો ઘડીને રાજાની રીતે રહું છું.” આ સાંભળીને ગોમુખે રાજ્યધરને એક યંત્રવિમાન તૈયાર કરવાનું કહ્યું, અને તેમાં બેસીને બને મિત્રો દરિયો ઓળંગી કપૂરસંભવ નગરમાં આવ્યા. એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં ઉતારો કર્યો. એ સ્ત્રીની પુત્રી પૂરિકાની સખી હતી. હવે, કયૂરિકા પૂર્વજન્મની સ્મૃતિને કારણે પુરુદ્રષિણી હતી, પણ તેની આ સખીની સહાયથી નરવાહનદત્ત એ દેશને દૂર કરાવી દીધે, અને બન્નેનાં લગ્ન થયાં. હવે, પેલા યાંત્રિક રાજ્યધરને ભાઈ પ્રાણધર જે પિતાના વિમાનમાં બેસી કાંચી નગરીથી નાસી છૂટક્યો હતો, તે પૂરસંભવમાં ૨૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy