SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિ સેવી, સસ્તી અને સ્થિર પ્રકારે અસર કરનારી છે. હિન્દના ગામડે ગામડે માત્ર આયુર્વેદ જ પહોંચી શકે તેમ છે. એટલે અર્વાચીન વિજ્ઞાનશાસ્ત્રના પ્રકાશમાં આયુર્વેદનું વિશિષ્ટ દૃષ્ટિથી પરિશીલન અને સંશોધન થતાં ભારતમાં એક ચિકિત્સા પદ્ધતિ તરીકે તેનું સ્થાન અજોડ થઈ પડે એ દેખીતું જ છે. આયુર્વેદનું અધઃપતન સૈકાઓ પહેલાં શરૂ થયું હતું. શંખધરનું લટકમેલ પ્રહસન” કે જેમાં यस्य कस्य तरोर्मलं येन केनापि मिश्रितम् । यस्मै कस्मै प्रदातव्यं यद्वा तद्वा भविष्यति ॥ એ લોક પુષ્કળ પ્રચાર પામ્યો છે, તે આખું યે તત્કાલીન ઊંટવૈદ્યોના ઉપહાસ ખાતર લખાયું છે. વૈચા વતાવ ઉપર માથું परिपूरयन्ति मने तथाप्येते वैद्या इति तरलयन्तो जडजनानसून्मृत्योर्भत्या इव વ, દુરન્ત અનુવાક્ એવા ઉલલેખે પણ પરિસ્થિતિને એકદેશનું કંઈક સૂચન કરે છે. પણ આજે સ્થિતિ બદલાઈ છે. આયુર્વેદના પુનદ્ધાર માટે આયુર્વેદની અને આયુર્વેદમાં રસ લેનારાઓની વૃત્તિ જાગ્રત થઈ છે, અને એ વૃત્તિ પ્રમાણેની કાર્યશીલતા જે સતત ચાલુ રહે તથા વૈદં સર્વાનવ વિનિત સરળ પ્રસંગના એ એક પ્રાચીન લેખકની ઉક્તિ ચરિતાર્થ કરવાને શ્રમ લેવાય તો આયુર્વેદ ભારતમાં પોતાનું પ્રથમનું અતિ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લે એમાં કંઈ આશ્ચર્ય નથી. ર૫ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy