SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી ઉપરાંત, પેશાબ બંધ થઇ જતાં મૃત્રમા માં સળી નાંખી પેશાબને રસ્તા આપવાની શેાધ પ્રથમવાર હિન્દમાં થઇ હતી તેમ જ બનાવટી નાક બેસાડવાની કળા પણ હિન્દમાંથી જ બીજા દેશામાં પ્રસરી હતી. એવા સ્પર્ધા એકરાર હવે અનેક પાશ્ચાત્ય વિદ્વાનાએ પણ કર્યા છે. પરંતુ આ સ્થિતિ લાંખે। સમય ચાલી નહીં અને પરિણામે શારીવિદ્યા તેમ જ શસ્ત્રક્રિયાને વિકાસ અટકી ગયા. અશેકના સમયથી સમસ્ત ઉત્તર હિન્દમાં અહિંસાની લાગણી પ્રધાનપદ પામતી ગઇ, જેથી શવચ્છેદ બંધ થઇ ગયે!. એટલે કે આયુર્વેદીય શસ્ત્રક્રિયા અને શારીરવિદ્યાની અવનતિ ત્યાર પછીના સમયથી શરૂ થઇ. પછીના સમયમાં કાયચિકત્સા, ઔષધિજ્ઞાન વગેરેમાં સારા જે ઉમેરે। થયા, પરંતુ આયુર્વેદની પેલી એ પ્રધાન શાખાએક તે પાંગળી બનતી ગઇ. વિદ્વાન ગણાતા ગ્રંથકારો પણ આ જ્ઞાનથી સર્વ રીતે વંચિત રહ્યા હતા. સુશ્રુતસંહિતામાં એક સ્થળે ધમનીએને હૃદય સાથે જોડાયેલી અને ખીજે એક સ્થળે નાભિ સાથે વ્હેડાયેલી કહી છે, પરંતુ આ પરસ્પરવિરેાધી વિધાને પર પાછળના કાઇ પણ લેખકે અગર ટીકાકારે ટિપ્પણું કર્યું નથી ! . શારીરવિદ્યાના વિકાસના સાધન તરીકે શવચ્છેદ બંધ થયા છતાં શસ્ત્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ તેા રહી જ હાવી જોઇએ. રાસ્ત્રક્રિયાનુ આ સ્વરૂપ સંપૂર્ણશે શાસ્ત્રીય હશે કે કેમ એ વિષે તે શંકા જ છે. પરંતુ ગંભીર કહી શકાય એવા પ્રકારનાં કેટલાંક ‘ આપરેશને’ અેડ નવમી-દસમી સદી સુધી થતાં એમ ઐતિહાસિક ઉલ્લેખા પરથી જણાય છે. ગૂજરાતને ચૌલુક્ય રાજા મૂળરાજ પાતાની માતા લીલાદેવીના ગર્ભમાં જ હતા ત્યારે લીલાદેવી મરણ પામી હતી, એટલે તેનુ પેટ ચીરીને મૂળરાજને જીવતેા બહાર કાઢવામાં આવ્યા હતા, એમ ઇતિહાસ કહે છે. એ સમયની શસ્ત્રક્રિયા વિષે વિશેષ વિગતા લક્ષ્ય નથી, પરંતુ આટલેા ઉલ્લેખ પણ કીમતી થઇ પડે તેમ છે. ૨૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy