SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી દષ્ટિએ એ શાસ્ત્ર એકસરખું આકર્ષક છે વગેરે કહ્યા કરવાથી જ આયુર્વેદનો ઉદ્ધાર કંઈ થઈ શકતો નથી. કવિરાજ ગણનાથ સેનના શબ્દોમાં કહીએ તો, “ચરક અને સુપ્રતના જમાનાઓ પછી એ સંહિતાઓમાં કહેલાં અનેક દરદનાં રૂપ ફરી ગયાં છે અને અનેક દરદો નવાં પ્રગટ થયાં છે. ચરક સુબ્રતાદિ સંહિતાઓમાં કહેવા અનેક કીમતી દ્રવ્યોનો આજે નિશ્ચય થતો નથી. આ સર્વ આપણે પૂરેપૂરું જાણી લેવું જોઈએ. પાશ્ચાત્ય પદ્ધતિથી શોધાયેલ કેટલાંક તાજાં સત્ય ઉચ્ચતર ભૂમિકા ઉપર છે. એથી પણ ત્રિદેવવાદ વધારે ઉચ્ચતર છે કે જે વાદ પ્રકૃતિ, શરીર અને રોગવિજ્ઞાનની આપણું સુવિદિત ચિકિત્સાઓની જ નહિ પણ ઔષધિશાસ્ત્ર અને વ્યવહારૂ ચિકિત્સાશાસ્ત્રની પણ ચાવી આપે છે. આયુર્વેદને ઉન્નત સ્થિતિએ પહોંચાડવા આ ત્રિદોષવાદ આપણે સારી રીતે સમજવો જોઈએ અને જગતને સમજાવવા જોઈએ.” અષ્ટાંગ આયુર્વેદની વર્તમાન સ્થિતિ આવી છે. એની સર્વતોમુખી ઉન્નતિ માટે પ્રયત્નો કરવા તે, એ વિષયમાં ધંધાદારી તેમ જ બીજી રીતે રસ ધરાવનારાઓની ફરજ છે. આયુર્વેદ અને શસ્ત્રક્રિયા વિદકવિદ્યાનાં જે વિશિષ્ટ અંગમાં ભૂતકાળમાં આર્યોએ પ્રગતિ સાધી હતી અને વર્તમાનકાળમાં જેમાં આયુર્વેદને પ્રગતિ સાધવાને અવકાશ છે તેમાંના કેટલાંકની ચર્ચા રસમય થઈ પડશે. આયુર્વેદને લગતા બીજા અનેક વિષયોની ચર્ચા ન કરતાં ઉપલી મર્યાદામાં આવતા થોડાક વિપ–જેમાંના કેટલાક વિષે તો હજી માત્ર નહીં જે જ ઉહાપોહ થયો છે–ને જ અહીં સ્પર્શ કર્યો છે. શલ્યાંગ એટલે કે શસ્ત્રક્રિયાનું સ્થાન અષ્ટાંગ આયુર્વેદમાં ખૂબ જ ર૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy