SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું લેકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય (પવિની ચોપાઈ), ઢોલામાર, ગુલબંકાવલી, ૫૫ પદ્માવતી, ૫૧ પ્રેમાવતી, ૫૭ ચન્દ્રકુમારની વાર્તા, મદનમોહના, બરાસકસ્તુરી, ભદ્રાભામિની, કપૂરમંજરી,૧૮ મદનરેખા, ચિત્રસેન પદ્માવતી, લલિતાંગચરિત્ર, સ્ત્રીચરિત્ર વગેરે પ્રસિદ્ધ પ્રાચીન વાર્તાઓની આ કે બીજી ઢબે સમીક્ષા થવી ઘટે. સમસ્ત સાહિત્યના તુલનાત્મક અભ્યાસને ધ્યાનમાં લઈએ તે અભિમન્યુ, ઉષા, નળ, હરિશ્ચન્દ્ર, ધ્રુવ, સુદામા વગેરે પુરાણકથાના પણ અનેક વિષયો ઉપર વિવિધ કાવ્યો રચાયેલાં છે; અને એ વિષયો ઉપર કંઈ પણ લખતાં કે બેલતાં તે સર્વને પદ્ધતિસર અભ્યાસ થવો જરૂરી છે. અને અત્ર, ઉક્ત કથન માત્ર લોકકથાના વિષયને જ લાગુ પાડીને આ નિબંધમાં ક્ષેત્રને મર્યાદિત બનાવ્યું છે તેમ છતાં દરેકને આ સિદ્ધાન્ત તો સરખી રીતે જ લાગુ પડે છેઃ “શામળ, પ્રેમાનંદ, દયારામ આદિ કવિઓનાં પ્રસિદ્ધ કાવ્યોની મૂળ વસ્તુ શી હતી, તેમાં એ કવિઓએ શા શા અને કેવા ફેરફાર કર્યા અને સુધારાવધારા કર્યા, સમકાલીન પ્રચલિત સાહિત્યને તથા કામશાસ્ત્રોમાં મળતું નથી તે આમાં દેખાય છે. જૈન કવિ નબુંદાચાર્યની કશાસ્ત્ર ચતુષ્પદી, તથા બીજી બે ગદ્યકૃતિઓ મેં જોઈ હતી. હવે, સાધુ વળી કોકશાસ્ત્ર કેમ રચે ? નારસર્વવત્ રચનાર બૌદ્ધ શ્રમણ પદ્મશ્રીને જે બચાવ સ્વ. તનસુખરામભાઇએ કર્યો હતો તે જ માત્ર આગળ ધરી શકીએ. ૫૫. આ વાર્તા ફારસી પરથી આવ્યાનું કહેવાય છે. ૫૬. આનો સંબંધ પ્રેમાવતીની ગાથામાં શ્રી મંજુલાલ મજમુદારે શેવ્યો છે. ૫૭. જુઓ, ટિપ્પણું નં. ૫૬. ૫૮. આ વાર્તા ફાર્બસ ગુજરાતી સભાના સૈમાસિકના ૧૯૪૧ના અંકમાં મારા તરફથી છપાયેલ છે. તા. ૧૨-૬-૪૫. ૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy