SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય પ્રોરાના ગાર્યનાન્ટિગારમાંની કુલવધુ વૈરાધ્યાએ સગર્ભાવસ્થાના દોહદ પામેલ નાગણને દૂધપાક ખવરાવ્યો હતો, તેથી નાગે તેને ધર્મની પુત્રી કરીને રાખી હતી, અને અજાણે પિતાનો પુત્ર તેને હાથે મરણ પામ્યો તે છતાં કંઈ ઈજા કરી નહોતી.પ૦ અદ્યપર્યન્ત સ્ત્રીઓમાં પ્રચલિત નાગપાંચમની વ્રતકથામાં આની આ જ વાર્તા સહેજ ફેરફાર સાથે—માત્ર જૈન સંપર્ક સિવાય-જોવામાં આવે છે એ નેધવા યોગ્ય છે.પ૧ પ્રસિદ્ધ શાલિવાહનની વાર્તામાં, શાલિવાહન નાગદેવની કૃપાથી વિક્રમ ઉપર જય મેળવે છે એવી વાર્તા છે. આ સર્વની કંઈ અસર આરામશોભા ઉપર, આરામશોભાની આ સર્વે ઉપર, અથવા તો કળી ન શકાય એવી રીતે આ વાર્તાઓની એક બીજા ઉપર અસર થઈ છે એમ તો સર્વ કે સ્વીકારશે જ. હવે વાર્તા વિશે બે શબ્દ : જેવી રીતે સદવસ એ જૂની ગૂજરાતીનું સર્વોત્તમ Romance છે, તેવી રીતે ઉદાર નારીહૃદયના નાજુકમાં નાજુક ભાવો રજૂ કરતી આ એક અત્યુત્તમ વાર્તા છે. એના પ્રસંગે પ્રસંગમાંથી મળતા ટપકે છે. આપણા જૂના અને કદાચ નવા સાહિત્યમાં પણ આધુનિક રસવૃત્તિને તે ન ચ્ચે એ જુદી વાત છે) આના જેવી નાજુક અને કરુણરસભરી વાર્તાઓ બહુ ઓછી છે. ભીમ જેવા કે પ્રવીણ લેખકનો હાથ ફર્યો હોત તો, માત્ર વાંચી જનારને માટે પણ તે વધુ રસભરી બનત. (૧૯) અહીં જે વાર્તાઓની ટૂંક સમીક્ષા કરી છે, તેના વાંચનારને એ ૫૦. કાર્યવિશ્વનો અનુવાદ “ગુણસુન્દરી - ફેબ્રુઆરી ૧૯૩૩માં મેં છપાવ્યો હતો. ' પ૧. જુઓ શ્રી. મેઘાણી સંપાદિત “કંકાવટી.” ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy