SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું લક્વાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય આ બધા ઉપરથી એમ લાગે છે કે “પંચદંડને પ્રશ્ન બહુ ગૂંચવાડાભરેલ નથી. બધી પ્રસિદ્ધ રચનાઓનું વસ્તુ લગભગ એક જ છે. વર્ણન વગેરેના ભાવોની ઘણી વાર પરસ્પર આપ-લે થયેલી હોય છે, તે તે ઉપર્યુક્ત કાવ્યોના સૂક્ષ્મ અવલોકનના અંતે જ જણાઈ આવે. પાટણમાં સંધના ભંડારની એક સંસ્કૃતિ પ્રત નામે savegવેન્ય પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીએ કઢાવી આપી હતી; તે “પંચદંડ” વિષેનાં આ સર્વ કાવ્યથી જુદી પડે છે. એ ફેર નીચે પ્રમાણેઃ “ઉજજયિનીમાં એક શાહુકારની પુત્રી વિષકન્યા હતી તેથી તેને કોઈ પરણતું નહોતું. એથી તે કન્યા કંપાપાત કરતી હતી, ત્યાં નગરચર્ચા જોવા નીકળેલા વિક્રમે તેને જોઈ અને અટકાવી, આપઘાત નહિ કરવા કહ્યું. ત્યારે કન્યાએ તેને પિતાની સાથે લગ્ન કરવા કહ્યું. પણ વિષકન્યા સાથે લગ્ન કરે તો વિક્રમ પોતે પણ મરી જાય, આથી તેણે બચાવ કંઈક ઉપાય માગ્યો. ત્યારે વિષકન્યાએ તેને દેવદમની ઘાંચણ (વાંસફોડા)ને ત્યાં મોકલ્યો.' પછીની વાર્તા બધી શામળને મળતી જ છે, ફેર માત્ર એટલો જ કે છેવટે, વિષાપહાર દંડથી વિક્રમ વિષકન્યાનું વિષ સહી શકે છે. ઉપર બતાવેલી વાર્તાઓમાં કેટલેક સ્થળે દંડનાં નામો પરસ્પર જુદાં પડે છે, તેની પાછળ પણ એક રસિક ઈતિહાસ છુપાયો છે. શાળે રામચન્દ્રસૂરિનું વિમત્ર, અને અજ્ઞાત કવિકૃત qષ્યëત્મ વિશ્વરિત્ર એ બન્ને જોયાં હશે, એમ એક સુભાષિતને તેણે કરેલા અવતરણ ઉપરથી લાગે છે : શામળ: જયારી પાસે રિડી, માંકડ કેટે હાર, ગેહેલી માથે બેડલું છાજે કેતી વાર ? ૧૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy