SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત”ના ઉલ્લેખ ૧૨, દેપાલકૃત જંબુસ્વામી-પંચભવચરિત્ર” (સં. ૧પર) ભોજક કવિ દેપાલે સં. ૧૫રરમાં જંબુસ્વામી પંચભવચરિત્ર”૧૭ લખ્યું છે. તેની ૧૩પમી કડી નીચે પ્રમાણે છે – गंगातटि जल ऊरेवीई, गूजरात किम आंबा पीइ । जीव मरीनइ चिहुगति भमइ, जे विस पाइ ते पुण मरइ ।। ત્રિભુવનદીપકપ્રબન્ધ”માંની આગળ ઉતારેલી પંક્તિઓ જ દેપાલે ડાક પાઠાન્તર સાથે લીધી છે. અથવા કદાચ એમ પણ હોય કે આ પંક્તિઓ એક કહેવતના રૂપમાં પ્રચલિત બની ગઈ હોય, જેનો ઉપયોગ દેપાલે કર્યો હોય. જો એમ હોય તો તે “ગૂજરાત” શબ્દપ્રયોગની વ્યાપકતા સૂચવે છે. ઉપસંહાર આ પછીના સમયને સાહિત્યમાં “ગૂજરાત'ને પ્રયોગ તપાસવાની જરૂર મને લાગતી નથી,૧૮ કારણ કે વિક્રમના સોળમા શતકના ૧૭. મારા મિત્ર ૫. અમૃતલાલ મોહનલાલ ભેજક પાસેની સં. ૧પ૬૦માં લખાયેલી હાથપ્રતને મેં ઉપયોગ કર્યો છે. કાવ્ય હજી અપ્રસિદ્ધ છે. દેપાલ કવિ માટે જુઓ “જૈન ગૂર્જર કવિઓ, ભા. ૧, પૃ. ૩૭–૪૨. ૧૮. ઉપર્યુક્ત કવિ દેપાલની પછી થયેલા–અથવા સંભવતઃ એના સમકાલીન-માંડણુ બંધારાકૃત પ્રબોધબત્રીશી માં જાણેશિ જા તુ યમ કરિ ચડી, ગૂજરાત શેરી સાંકડી.” (કડી પર) આ પ્રમાણે “ગૂજરાત ને ઉલ્લેખ છે. “પ્રબોધબત્રીશી ના કર્તાની એક પ્રતિજ્ઞા તત્કાલીન કહેવતોનો સંગ્રહ કરવાની છે; પ્રસ્તુત સ્થળે “ગુજરાત શેરી સાંકડી ને પ્રયોગ સ્પષ્ટ રૂપે કહેવત તરીકે જ થાય છે. જનસમાજના સર્વ સામાન્ય ઉક્તિભંડળમાં પ્રવેશ પામેલાં આવાં વાક સામાન્યત: ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy