SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ Fes સારું એવું પ્રદાન કર્યું છે. તેઓ જીવનભર ઇતિહાસની આરાધના કરતા રહ્યા છે. પ્રા. પરિમલ રમણિકલાલ દલાલ ગુજરાતના ચારુતર પ્રદેશમાં ખડાલ ગામમાં, દશા ખડાયતા વણિક જ્ઞાતિના વૈષ્ણવ કુટુંબમાં તા. ૧૦-૧૦૧૯૪૨ના નવરાત્રિના પ્રથમ દિવસે જન્મેલા પ્રા. પરિમલભાઈ દલાલના પિતાશ્રી રમણિકલાલ દલાલ વ્યવસાયે ધારાશાસ્ત્રી અને સાહિત્યિકક્ષેત્રે અભિરુચિ અને કૌશલ્ય ધરાવતા સારસ્વત સજ્જન હતા. સાહિત્યિકક્ષેત્રે પણ નવલકથાઓ તથા અનુવાદોનું તેમનું વ્યાપક પ્રદાન હતું. પિતાનો આ વિદ્યાવારસો અને તેનું સંવર્ધન પ્રા. શ્રી પરિમલભાઈ સતત સફળતાપૂર્વક કરતા રહ્યા. બાલ્યકાળથી તેઓ વિદ્યાવ્યાસંગી, કાર્યકુશળ અને એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે પ્રથમહરોળમાં રહી તેમના જીવનપથને સદા વિજયપથ બનાવતા રહ્યા છે. શાળાજીવન બાદ, ઈ.સ. ૧૯૬૨માં અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાં મુખ્ય વિષય તત્ત્વજ્ઞાન સાથે તેઓ કોલેજમાં સ્નાતકકક્ષાએ પ્રથમ આવી તેજ સંસ્થામાં ‘ફેલો' તરીકે નિમાયા. અનુસ્નાતક એમ.એ.નો અભ્યાસ ગુજરાત કોલેજમાંથી ઈ.સ. ૧૯૬૪માં પૂર્ણ કરી તત્ત્વજ્ઞાન વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવી તેમણે ‘શ્રી ચિનુભાઈ લલ્લુભાઈ મહેતા સુવર્ણચંદ્રક' તથા ‘શ્રી પ્રાણલાલ જેટલી સુવર્ણચંદ્રક' મેળવ્યા. શહેર મધ્યે આવેલી બી.ડી. આર્ટ્સ કોલેજમાં ૧૫ જૂન ૧૯૬૪થી કારકિર્દીની શરૂઆત નાની વયે કરી વ્યાખ્યાતાની પદવી મેળવ્યા બાદ પણ વિદ્યાભ્યાસની કૂચ આગળ ધપાવતા રહી ઈ.સ. ૧૯૬૯માં એલ.એલ.બી. અને ઈ.સ. ૧૯૭૨માં વિધિમીમાંસા અને આંતરરાષ્ટ્રીય કાનૂન વિષય સાથે એલ.એલ.એમ.ની પદવી પ્રાપ્ત કરી. કોલેજમાં તેઓ ઈ.સ. ૧૯૬૯થી તત્ત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ થયા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં મદદનીશ અનુસ્નાતક શિક્ષક તરીકે કાર્ય કર્યું. ૧૯૭૬માં તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન વિષયની અભ્યાસ સમિતિમાં નિમાયા, આર્ટ્સ ફેકલ્ટીના સભ્ય થયા અને અભ્યાસ સમિતિનું સતત છ વર્ષ સુધી અધ્યક્ષસ્થાન શોભાવ્યું. છેલ્લા ચાર દાયકા ઉપરાંતના તેમના ઉત્તમ અધ્યાપનકાર્યથી તેમની વિદ્યાર્થિનીઓ આજે સમાજનાં ઉચ્ચ અને મોભાદાર પદો જેવાકે, આચાર્ય, વ્યાખ્યાતા, ધારાશાસ્ત્રી તથા Jain Education International પથપ્રદર્શક સામાજિક કાર્યકર તરીકે સેવાઓ આપી રહી છે જે તેમના અધ્યાપન કાર્યની સિદ્ધિ છે. ‘સોનામાં સુગંધ ભળે’ એવું કહેવાય છે તે સાંભળ્યું છે, પરંતુ અહીં તો ‘સુગંધમાં સોનું મળ્યું છે' મુંબઈની વિલ્સન કોલેજના સમાજશાસ્ત્ર વિષયના સ્નાતક તથા ગૃહિણી તેમના પત્ની શ્રીમતી જ્યોતિબહેન દલાલનો પણ તેમના જીવનમાં સિંહફાળો રહ્યો છે. તેમના બંને પુત્રો ચિ. પારસ તથા ચિ. ફાલ્ગુન પિતાના પગલે ચાલી તેમના પરિમલને દેશ ઉપરાંત અમેરિકા સુધી પ્રસરાવે છે. ચિ. પારસ અમેરિકામાં ન્યુજર્સીમાં સોફ્ટવેર કન્સલ્ટન્ટ છે. તેઓએ ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી સાથે સુવર્ણચંદ્રક મેળવી એમ.બી.એ.માં શિક્ષણકાર્ય પણ કરેલ. ચિ. ફાલ્ગુન પણ કોમ્પ્યૂટરક્ષેત્રમાં વ્યવસાયી છે. શ્રી શિવલાલભાઈ ગોકળદાસભાઈ શ્રેષ્ઠીવર્ય શ્રી શિવલાલભાઈ જામનગરના વતની છે પણ ઘણાં વર્ષોથી ભાવનગરને વતન બનાવ્યું છે. સૌરાષ્ટ્રના અગ્રગણ્ય વ્યાપારીઓમાં તેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે. મોરબીમાં વેજિટેબલ પ્રોડક્ટસના સફળ મેનેજિંગ ડિરેક્ટર તરીકે સંચાલન કર્યા બાદ ભાવનગર કેમિકલ્સ વર્ડ્સ (૧૯૪૬) લિ.નું સુકાન સંભાળે છે. તેમના ઘણા વ્યવસાયો હોવા છતાં ગ્રાહકોના સંતોષથી પ્રગતિ સાધી શક્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રે ક્વોલિટી કંટ્રોલ રાખી શક્યા છે. જાહેર જીવનમાં તેમણે સૌરાષ્ટ્ર રાજ્ય વખતે સેલટેક્ષની લડતમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. જામનગરની સૌથી જૂની અને આગેવાન પેઢી શાહ શિવલાલ ધીરજલાલની કું. તથા જામનગરની પેરેગોન લેબોરેટરીઝ તથા રાજકોટના હસમુખલાલ એન્ડ બ્રધર્સના પાર્ટનર છે. સામાજિક ક્ષેત્રે આપેલ સેવામાં નવાનગર ચેમ્બર ઓફ કોમર્સ તથા જામનગર બુલિયનના માનદ્ મંત્રી ઉપરાંત બંદર, રેલવે, ટેલિફોન, આર.ટી.ઓ. વગેરેની સલાહકાર સમિતિના સભ્યપદે વર્ષો સુધી રહ્યા છે. જ્ઞાતિનાં કેળવણી મંડળો એમ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રોટરી ક્લબ-મોરબીના પ્રમુખ, લાયન્સ ક્લબજામનગરના પ્રમુખ-મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ તરીકે તેમની સેવા જાણીતી છે. વતન જામનગરમાં બાલમંદિરથી માંડી હાઇસ્કૂલ સુધીનું શિક્ષણ આપતી સંસ્થાનું એક ટ્રસ્ટ ઊભું કરી તે ટ્રસ્ટ દ્વારા તેનું સફળ સંચાલન કરી રહ્યા છે, જેને માટે સ્વ. હસમુખરાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy