SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = = = = = - - - - - ' - ૨૯૨ સફળતાથી થઈ રહી છે. આજ સુધીમાં પ00થી વધુ પ્રેક્ષાધ્યાન શિબિરો દ્વારા હજારો લોકોએ પોતાના જીવનમાંથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક તણાવો દૂર કરી શાંતિ અને આનંદનો અનુભવ કર્યો છે. આંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (endocrine glands) નાં પ્રવાહો અને ચૈતન્ય કેન્દ્રો પર પ્રેક્ષા અને અનુપ્રેક્ષાના પ્રયોગથી સેંકડો સાધકો નિષેધાત્મક (Negative) ભાવોને વિધેયાત્મક (Positive) ભાવોમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યા છે. તે આ મહાપ્રજ્ઞ ઉચ્ચ કોટિના ચિંતક, અને મનીષી છે. એમણે વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓનું ચિંતન કરી, એને માટે સમાધાન પણ આપ્યું છે. આરોગ્ય માટે મહાવીરનું આરોગ્ય શાસ', ઇકોનોમિક્સ પર “મહાવીરનું અર્થશાસ્ત્ર, રાજકીય તંત્ર માટે લોકતંત્ર : નવી વ્યક્તિ-નવો સમાજ અને જેનતત્ત્વ માટે “જૈન દર્શન-મનન અને મીમાંસા જેવા વિવિધ વિષયો પર ચિંતનશીલ પુસ્તકો લખ્યાં છે. મનની અશાંતિ અને ચિત્તની ચંચળતા દૂર કરવા તો પચાસેક ગ્રંથોની રચના કરી છે. સાહિત્યના ક્ષેત્રમાં આગમસાહિત્ય પર અનુસંધાનનું કામ આજે પણ ચાલુ છે. જૈન આગમોમાં સૌથી પ્રાચીન તેમ જ ગૂઢ મનાતા “આચારાંગ’ સૂત્ર પર એમણે સંસ્કૃતમાં પ્રથમ આચારાંગ ભાષ્ય' લખ્યું છે, જેમાં એમણે સ્વપ્રજ્ઞાથી કેટલાંય ગૂઢ રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા છે. અને મહાવીરના દર્શનના સાંપ્રત સંદર્ભોમાં–અહિંસા, પર્યાવરણ, સૃષ્ટિ, વિજ્ઞાન આદિની નવી પ્રસ્થાપના કરી છે. કુશળ સાહિત્યકાર મહાપ્રજ્ઞ એક સંવેદનશીલ કવિ પણ છે. સંસ્કૃતના તો આશુકવિ છે. “સંબોધિ' એમની કાવ્યધારાનું વિરલ સર્જન છે, જેમાં મહાવીર અને મેઘકમારના સંવાદથી સંસ્કૃત ભાષામાં જૈનદર્શનના ઊંડા સિદ્ધાંતો એમણે સમજાવ્યા છે. આ રચનાને જૈન ધર્મની ગીતા કહી શકાય. આ ઉપરાંત સંસ્કૃતમાં રચાયેલું ‘ઋષભાયણ’ પ્રથમ તીર્થકરના જીવનનું સચોટ દર્શન કરાવે છે. આવા મહાન દાર્શનિક, ચિંતક, વૈજ્ઞાનિક, ત્યાગી યોગીની અંતર્દષ્ટિ અને પ્રજ્ઞાનું મૂલ્યાંકન કરી ૧૯૬૮માં આચાર્ય તુલસી એમને “મહાપ્રજ્ઞ” નું અલંકરણ આપ્યું હતું. આ પ્રસંગે મહાપ્રજ્ઞ' શબ્દની મીમાંસા કરતાં એમણે કહ્યું હતું કે ફક્ત વિદ્વાન અથવા ભાષ્યકાર અથવા ધ્યાન-સાધના કરનારને જ હું મહાપ્રજ્ઞ નથી માનતો. મારી દૃષ્ટિમાં મહાપ્રજ્ઞ એને કહી શકાય, જેનામાં વિદ્યાનો પૂરો સમાવેશ થયો હોય અને સાથે સાધનાનો સમાગમ હાય, મુનિ નથમલજીમાં જ્ઞાન, ધ્યાન અને સાધનાનું ' 4 '' 3 '' - }* * * * * * * * * * [ + £ K ? ત્રિવેણી સંગમ છે. ૧૯૭૯માં એમને યુવાચાર્યપદ પર પ્રતિષ્ઠિત કિરવામાં આવ્યા. “યુવાચાર્ય મહાપ્રજ્ઞ” નું સાહિત્ય ગુજરાતી પથપ્રદર્શક ભાષામાં, “અનેકાન્ત ભારતી પ્રકાશન' (અમદાવાદ) દ્વારા શુભકરણ સુરાણાએ પ્રકાશિત કર્યું છે, જેમાં ૧૦૦ જેટલા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. કે માર - - ૧૯૮૯થી મહાપ્રજ્ઞજી- આંતરરાષ્ટ્રીય ભારતીયદર્શન કોંગ્રેસની કાર્યકારિણીના સન્માનિત સભ્ય છે. જૈન યોગના ક્ષેત્રમાં કરવામાં આવેલો ઉલ્લેખનીય કાર્યથી ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૯માં તેમને “જેન યોગના પુનરુદ્ધારક' સમ્માનથી વિભૂષિત કરવામાં આવ્યા. ૧૯૯૪માં એક અજબ ઘટનામાં નવમાચાર્ય તુલસીએ પોતાના આચાર્યપદનો સ્વેચ્છાએ ત્યાગ કરી મહાપ્રજ્ઞજીનો તેરાપંથ સંપ્રદાયના દશમા આચાર્ય તરીકેનો પદાભિષેક કર્યો.. " એમના સંઘમાં એમની આજ્ઞામાં ૭૫૦ સાધુ-સાધ્વીઓ તથા ૧૦૦ સમણ-સમણીઓ સ્વપરનું કલ્યાણ કરવા દેશવિદેશમાં અણુવ્રત, આંદોલન, પ્રેક્ષાધ્યાન જીવન વિજ્ઞાન દ્વારા અથાગ પ્રયાસ કરી રહ્યા છે. આવા પ્રજ્ઞાપુરુષને સમગ્ર જૈન સમાજે દિલ્હીમાં “યુગપ્રધાન' પદથી અલંકૃત કર્યા છે. - : ૧૫મી જૂન ૨૦૦૪માં ૮૫ વર્ષ પૂરા કરનાર આ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ સંતે અહિંસાનો ભેખ ધર્યો છે અને રોજબરોજના જીવનમાં કરુણા-અનુકંપા અને સમતાનો પ્રચાર કરવા પાંચ વર્ષની “અહિંસા યાત્રાએ નીકળી પડ્યા છે. ૨૦૦૨માં રાજસ્થાનથી શરૂ થયેલી એમની “અહિંસા યાત્રા”ના બે મુખ્ય ઉદેશ્ય છે-અહિંસક ચેતનાની જાગૃતિ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની ભાવનાનો વિકાસ. ફક્ત પ્રવચનમાં જ એમનો વિશ્વાસ નથી, એ પ્રયોગો દ્વારા હૃદય-પરિવર્તન અને ભાવનાઓની શુદ્ધિકરણમાં માને છે. એમના માર્ગદર્શન માટે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ આઝાદ અમદાવાદ તથા સુરતમાં ગયા હતા. અમદાવાદમાં આ. મહાપ્રશજીના પ્રયત્નોથી કોમી સદ્ભાવના સ્થપાયેલી અને જગન્નાથજીની યાત્રા શાંતિપૂર્ણ રહી હતી. વિભિન્ન ધર્મોના વડાઓની સાથે મળીને એમના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રપતિજીએ સુરત આધ્યાત્મિક ઘોષણા પત્ર દેશ સમક્ષ મૂક્યો હતો. એમના આ અદ્ભુત વિચારો અને કાર્યક્રમો માટે એમને “ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર તથા ‘મહાત્મા’ ના અલંકરણથી આભૂષિત કરવામાં આવ્યા છે. આ આવા મહાન આચાર્યશ્રી મહાપ્રજ્ઞ મુંબઈ, જલગાંવ, ઇંદોર, રતલામ થઈ સિરિયારી (રાજસ્થાન)માં ચાતુર્માસ કરી ૨૦૦૫ની સાલમાં મા. રાષ્ટ્રપતિજીના આમંત્રણથી દિલ્હી પધારશે. + - E હોય. મનિ' નઈપલા છે A - | * * ૨ - - 1 1 , I " - 1 4' 1 1 - , , , Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy