SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ આરામખુરશીમાં બેઠા બેઠા એક દરદીને દવા આપી રહ્યા હતા ત્યારે ભટ્ટજીને છાતીમાં દરદ ઉપડ્યું અને ત્યાં જ સ્થૂળ શરીર છોડી દીધું. જે કાર્યને પોતાનું જીવનધ્યેય બનાવ્યું હતું તેને અંતિમ ઘડી સુધી સફળતાપૂર્વક કરતા રહ્યા. જીવનમાં અનેક ઝંઝાવાતોનો સામનો કરી સફળ થયેલા ભટ્ટજીને તેમના સેવાકાર્યોએ અમર બનાવ્યા છે. દિવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ દવે કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રના પ્રખર અભ્યાસુ રણછોડભાઈ દવેનો જન્મ ૧૦-૮-૧૮૩૭ના રોજ મહુધા ગામે થયો હતો. નડિયાદમાં શિક્ષણ પૂર્ણ કરી તેઓ અમદાવાદ આવીને રહ્યા અને ‘બુદ્ધિપ્રકાશ'ના તંત્રી તરીકે સેવા આપી. કવિ દલપતરામ કાવ્યદોહનનું પુસ્તક તૈયાર કરતા હતા ત્યારે પણ કેટલોક સમય તંત્રી તરીકે કામ કર્યું સાથે સાથે સંસ્કૃત તેમ જ અંગ્રેજી ભાષા પર એવું પ્રભુત્વ મેળવ્યું કે ગમે તેવા કઠિન ગ્રંથનું તેઓ સરળતાથી અનુવાદ કરી શકતા. હોપ વાચનમાળામાં પણ તેમણે કામગીરી બજાવી હતી. કચ્છમાં દિવાનગીરી કરી હતી ત્યારે કચ્છનો ઇતિહાસ' લખ્યો હતો. કચ્છમાં વસતા સંસ્કૃત ભાષાના વિદ્વાનો, જ્યોતિષીઓ વગેરેનો સહવાસ પણ તેઓ રાખતા. એમણે ‘નળદમયંતી’, ‘બાણાસુરમદમર્દન' ઇત્યાદિ નાટકો લખ્યાં છે. પોતાની દીર્ધ સાહિત્યયાત્રામાં સંખ્યાબંધ નાટકો લખવા ઉપરાંત ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. એમનું ‘લલીતાદુઃખદર્શક' નાટક પશ્ચિમના નાટકોની અસર દાખવતું ગુજરાતી સાહિત્યનું પ્રથમ કરુણાન્ત નાટક છે. બાળલગ્ન, મરણ પછાડીની દશા, રડવા-કૂટવાની પ્રથા વગેરે તરફ તેમનો અણગમો હતો. અને તેમને નિર્મળ કરવા અથાગ પ્રયાસો પણ કરતા. વૃદ્ધ ઉંમરે પણ તેમની શારીરિક શક્તિ ક્ષીણ થઈ નહોતી. નિત્યક્રમ મુજબ વાચન-લેખનનું કાર્ય ચાલુ જ રાખતા. સંસ્કૃત ભાષા તરફ તેમને ઘણી ભક્તિ હતી. ઇ. ૧૯૨૩ માં રણછોડભાઈ દેવલોક પામી ગયા. નિષ્ઠાવાન ઈજનેર હિંમતલાલ ધીરજરામ ગુજરાતની અનેક પાયારૂપી ઇમારતોનું સર્જન કરનાર હિંમતલાલ ધીરજરામનો જન્મ અમદાવાદના એક નાગર ખરા રે નાગ ૧૭૭ કુટુંબમાં થયો હતો. તેમણે સ્વબળે નિષ્ઠાપૂર્વક, પૂરી લગનથી ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કરી પ્રથમ ઓવરસિયરની નિમણૂકથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને પછી તો એકિઝક્યુટિવ એન્જિનિયરના પદ સુધીની પ્રગતિ કરી. તેઓ તેમના કાર્યમાં કરકસર, નિષ્ઠા અને ચોકસાઈના ચોક્કસ આગ્રહી હતા. હિંમતલાલે તેમના કાર્યકાળ દરમિયાન અનેક ઇમારતો, ભવનો, રસ્તાઓ અને પુલોનું નિર્માણ કર્યું. પરંતુ એલિસબ્રીજ એ બધામાં શિરમોર કહી શકાય. ઉપરાંત ભરૂચના રસ્તાઓ, સરકારી કચેરીઓ જેવા અનેક ભવનો નિર્માણ કર્યા. જેની તે સમયના અધિકારીઓ અને આમ પ્રજાએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. હિંમતલાલની શ્રેષ્ઠ કામગીરીના કદરરૂપે ભારતના વાઈસરોય અને ગવર્નર જનરલ દ્વારા તેમને “રાવ બહાદુર'નો ઇલકાબ અર્પણ કરી તેમનું દિલ્હી દરબારમાં બહુમાન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે તેમની નિમણૂક થતાં અનેક બાંધકામો, ગુજરાત કોલેજ તેમજ કેટલીક સુવિખ્યાત ઇમારતોના નિર્માણમાં તેમનો ફાળો મહત્વનો બની રહ્યો હતો. બંગાળમાં પણ તેમણે રેલવે લાઈનો તથા સ્ટેશનોનું બાંધકામ કર્યું હતું. ૩૦-૭-૧૯૨૨ ના રોજ તેમનું લાંબી માંદગી બાદ દેહાવસાન થયું ત્યારે ગુજરાતે એક પ્રામાણિક અને બાહોશ ઇજનેર ગુમાવ્યાની આઘાતની લાગણી અનુભવી. મસ્ત કવિ બાળાશંકર કંથારિયા બાલ'ના નામે પ્રસિદ્ધ બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયાનો જન્મ ૧૭-૫-૧૮૫૮ ના રોજ નડિયાદમાં થયો હતો. કુટુંબની પરંપરાના સર્વ સંસ્કારો તેમનામાં ઉતરેલા હતા. બાળપણમાં તેમનું મન ઘણું ચંચળ હતું. કવિઓ નિશ્ચિત બનીને સુંદર વાતાવરણમાં રહીને કવિતા લખી શકે તે માટે તેમણે કવિલોક' નામની સંસ્થાની યોજના કરેલી ને તે યોજના અમલમાં મૂકી શકાય તેટલું ધન પ્રાપ્ત થાય તે માટે તેમણે બીડનું કારખાનું કાઢેલું, જે નિષ્ફળ જતાં તેમનું સ્વપ્ન રોળાઈ ગયેલું. કવિ બાળાશંકરે “ભારતીભૂષણ' સૈમાસિક પત્ર તેમજ જૂનાગઢના નવાબના આશ્રયથી “ઇતિહાસમાલા' નામનું માસિક પત્ર શરૂ કરેલું. તેમની કાવ્યકૃતિઓમાં શિખરિણી છંદમાં રચેલું કલાન્ત કવિ' જુદું તરી આવે છે. “હરિપ્રેમપંચદશી'માં દોઢ ડઝન જેટલી ગર ડઝન જેટલી ગઝલો છે. શેરના ટુકડાને ચોટદાર બનાવવાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy