SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीं वीतरागाय नमः नाना धर्मसमुदायाचारविचारादिमध्ये । प्रमोदसमत्वभावैः प्रवर्तन्ते प्रसाधका : ॥ શ્રમણ ગ્રંથ પ્રકાશન-પ્રશસ્તિ RI વિ.સં. ૨૦૬૬ની તિથિ પોષ વદી એકમ અંગ્રેજી તારીખ ૧-૧-૨૦૧૦ના , શુભદિવસે પાવનતમ પાલીતાણા મુકામથી પ્રકાશિત થયેલ વિશ્વ અાચબી-જૈન શ્રમણ ગ્રંથ વાંચતા લાગશે કે જયકારી વિજયકારી જિનશાસનના આચાર્ય ભગવંતોની આસ્થા અને આવડત, ઉપાધ્યાયોનો ઉલ્લાસ અને ઉપબૃહણા તેમજ સાધુ-સંતોની સાધના અને સાદગીનું તે વિરાટ ગ્રંથમાં ફકત આછેરું દર્શન (પ્રદર્શન નહિ) કરવામાં આવ્યું છે. સંપ્રદાયવાદથી મુકત રહી સૂરિરાજથી લઇ મુનિરાજ અને સાધ્વી સંસ્થાનો પણ શકય તેટલો પરિચય આપવામાં સાહિત્યોપાસક તથા ૫૦ વરસના દીર્ઘ અનુભવી સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકને જે પણ સફળતા સાંપડી છે, તેમાં વાદ-વિવાદ અને વિખવાદથી વિયુકત પ્રવર્તમાન અભ્યદયકાળે પણ સારી એવી સહાયતા બક્ષી છે. સંપાદકશ્રીએ પોતાના ઉમળકા સુપેરે પોતાની પુરોવચન નોંધમાં ઠાલવ્યા છે. ગ્રંથ સર્જનનો મંગળારંભ મારા-અમારા જેવા જૂજ ત્રણ ચાર મહાત્માઓની પ્રેરણા અને પ્રોત્સાહનથી કર્યો, છતાંય હજુ પણ અમુક વિષયો, અમુક લેખકો અને અમુક વિશિષ્ટ સાધકોના પરિચયો છૂટી ગયા છે, જે કદાચ સમયના અભાવ અથવા ગુરૂદેવો કે ગુરૂભાઇઓ તરફથી લેખો કે પરિચયો મોકલવામાં થયેલ વિલંબને કારણે બન્યું હશે તેવું સંપાદકીય નોંધથી અનુમાન સ્પષ્ટ થાય છે. જે હોય તે પ્રકાશિત ગ્રંથ એટલું જરૂર પુરવાર કરે છે કે વિવિધ આચાર-વિચાર અને સામાચારીઓ વચ્ચે પણ જૈન સંઘ એકતાનો હિમાયતી છે.સરકારને (રાજને) પણ નમસ્કાર કરાવી શકે છે અને ફકત આર્યભૂમિ ભારતવર્ષ જ નહિ પણ વિશ્વને પણ પ્રભાવિત કરી શકે છે. અહિંસા, તીર્થરક્ષા કે તપસ્વી અને શાસનશોભાના વરઘોડા વગેરે પ્રસંગોએ જૈન સંઘે Positive Approach દ્વારા જિનશાસનની Aristocracy સ્થાપિત કરવી રહેશે. જેમ મુખ કરતાં પણ પેટ મોટા હોવા છતાંય કિંમત મુખની મોટી છે તેમ, પ્રચાર કરતાંયા આચાર અને આસ્થા કરતાંય આચરણની કિંમત પરમાત્માના પાવનકારી શાસનમાં વધુ છે અને રહેવાની. જેન શ્રમણો આધુનિકવાદથી અંજાઇ આધુનિક ન બને પણ પૂર્વ-પૂર્વના મહર્ષિઓની ઉજજવળ સંયમ સાધનાની સુખદયાત્રા સાથે વિજ્ઞાન-વાણિજય કે વાસ્તુકળા વગેરે અનેક ક્ષેત્રને આંબી શકે તથા શ્રમણોપાસકના માધ્યમે જૈન જયતિ શાસનમ અવશ્ય કરાવી શકે છે. એવી ઝાંખી ઝલક જૈન શ્રમણ ગ્રંથના પરિચયો અને લેખો આપી રહ્યા છે. પર્યાય વિકાસ પછી પણ જેમનામાં માનની મોટાઇ, વચનની વિષમ વડાઇ કે કાયાની કર્કશ-કઠોરાઇ નથી તેવા આચારવંતો થકી જિનશાસન જયવંતુ રહેવાનું છે. તપસ્વીઓનું બોલેલું કળે છે અને બ્રહ્મચારીઓનું કુકત ચિતવેલું તો તપ-ત્યાગ અને તિતિક્ષાથી તેજવંતી શ્રમણ સાધનાઓ કયા કયા ચમત્કારો અને આશ્ચર્યો સર્જન શકે. વરસોથી એકધારી ચાલેલ સાહિત્ય યાત્રાની સમાપ્તિ હોતી નથી, બલ્ક તે જ યાત્રાને સંસારયાત્રાની સળંગતાની જેમ અભૂત સ્વરૂપે વળાંકો મળી રહે છે. પ્રાંતેઃ અત્રેથી અભિનંદન આપતાં સંપાદક શ્રી નંદલાલભાઇ દેવલુકને લેખકો કરતાંય વાંચકો વિશેષથી વધાવે કારણ કે જેન સમાજને આદરબુધ્ધિ, ધગશ અને કોઠાસૂઝ સાથે સતત દળદાર ગ્રંથોની સંસ્કાર મૂડી આપનાર તેઓ વિરલ વ્યકિત છે, સદ્વાંચન દ્વારા સન્માર્ગ સૌ પામે તેવી શુભભાવના સાથે વિરામ. પ્રેષક : લેખક જગદર્શન વિજય નેમિપ્રેમી) शिवमऽस्तु सर्वजगतः Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy