SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ કાબરાજી, પાશ્રી કુમારપાળ દેસાઈ, નવચેતનાના ચાંપશી ઉદ્દેશી, કર્મચેતનાના મર્મી ઝવેરચંદ મેઘાણી, નીરુભાઈ દેસાઈ, બચુભાઈ રાવત જેવા અનેક ખ્યાતનામ પત્રકારો અને કાર્ટૂનિસ્ટો વિશે વિહંગાવલોકન કરાવ્યું છે. * “સારપની સુગંધ'માં પૂ.પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર મહારાજે સદાચારપ્રેમી, ન્યાયપ્રિય, સત્ત્વપરાયણ જિનભક્તોની સાધના વિશે ધર્મપ્રચૂર હકીકતો રજૂ કરી છે. આ ઉપરાંત સાહસિક ઉદ્યોગપતિઓ, દાનવીરો, સમાજસેવકો, શિક્ષણશાસ્ત્રીઓ જેવી અનેક સાંપ્રતયુગની પ્રતિભાઓની આછેરી ઝલક આ ગ્રંથમાં આપવામાં આવી છે. આમ આપણા વિરલ સંપાદક શ્રી નંદલાલભાઈએ માનવમાં માનવતાના દીવડા પ્રગટાવવાના મહાયજ્ઞને પ્રજવલિત કરનાર અનેકાનેક માનવરત્નોની ભેટ “સ્વપ્નશિલ્પીઓ' ગ્રંથમાં પીરસી છે અને એ રીતે માનવતાની મહેક સર્વત્ર પ્રસરાવવાના ઉમદા કાર્યમાં સહભાગી થયા છે. એમનો મંત્ર છે. કામ કરો બહુ, ખૂબ ઘસાઓ. સુખે શતાયુ થાઓ. માનવ! તુજ પંથ આ જ અવર નહિ, કર્મે કાં ગભરાઓ? ભારતીયતા એટલે ઉત્તમ વિચાર-વૈભવનો વારસો. ભારતીયતા એટલે વ્યાપક ( ધર્મભાવનાની ઉપાસ્યતા. આવી મહાન અધ્યાત્મવાદી સંસ્કૃતિના સંતાન હોવાનું ગૌરવ છે અને અહોભાગ્ય આપણને સહુને સાંપડ્યું છે. સંસ્કાર એ જ ધર્મનું સ્વરૂપ હોઈ એવા = સંસ્કારધનના ગોપ્તા બની, એક સાચા ભારતીય બની, દુનિયાના સર્વ માનવીઓને વિરાટ લાગણીતંત્ર સાથે સાંકળવાનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ. વેદના ઋષિની વાણીમાં : समानी व आकूति समाना हृदयोनि वः । સમનમતુ મનો યથા વૈઃ સુસEસતિ || (ઋ વેદ, ૧૦, ૧૯૧.૪) આપણી ઝંખનાઓ સમાન હો, આપણાં હૃદયો સમાન હો. હૃદય વડે જ સત્યને પિછાની શકાય છે.” માનવજીવન કરતાં મૂલ્યવાન એવી કોઈ ચીજ આજ દિન સુધી જડી નથી. અંતમાં શ્રદ્ધા અને અનુભવના રણકા સાથે શ્રી નંદલાલભાઈ નિરામય રહી કર્મયોગની સાધના દ્વારા સતત શબ્દની ઉપાસના જેવી નિર્મળ પ્રવૃત્તિ કરતા રહે એવી પરમ કપાળ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના અને આવા કર્મયોગી સાધકની ધીરગંભીર કલમે સંપાદિત થયેલ, ગુર્જરભૂમિની પ્રતિભાઓનું અંકન કરતો આ “સ્વપ્ન શિલ્પીઓ’ જેવો ઉત્તમ ગ્રંથ ગુજરાતના ગ્રંથપ્રકાશનક્ષેત્રે દેદીપ્યમાન દીપકની જેમ ઝળહળતો રહે એવી અંતરની અભિલાષા સાથે, વિરમું છું. હે માનવ! I ! “નિરમે તું આજ, રાષ્ટ્રની એવી રચાશે કાલ, સંસ્કારની તુજ હાથમાં જલતી રહો મશાલ.” વિ.સં. ૨૦૬૬, પોષ સુદિ ૧૫ ગુરુવાર, ૩૧ ડિસેમ્બર, ૨૦૦૯ ડૉ. ભારતી શેલત અમદાવાદ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy