SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વંદનીય હોય છે. આવી વિભૂતિઓ સ્વજીવનના ઉચ્ચ આદર્શો દ્વારા પ્રાણી માત્રના કલ્યાણની ભાવનાપૂર્વક સર્વ આત્માઓનું હિતમંગલ માર્ગદર્શન કરે છે. પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ એવા જ એક દેદીપ્યમાન સિતારા છે. પૂજ્યશ્રીનો જન્મ તા. ૧૦-૯-૧૯૩૫ના શુભ દિને અજીમગંજ (બંગાળ) ની પાવન વસુંધરા પર થયો. પિતાનું નામ જગન્નાથસિંહ અને માતાનું નામ ભવાનીદેવી હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું હતું. જન્મથી તેમને નમ્રતા, વિવેક, વિનય, સરળતા, નિજાનંદની મસ્તી, ભાવનાશીલતા, મધુરભાષીપણું, ગુણજ્ઞદૃષ્ટિ એવા સદ્ગુણો વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ અજીમગંજમાં જ થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી વીરતત્ત્વ પ્રકાશન મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને વિભિન્ન ચિંતકો અને સાધુસંન્યાસીઓના સાહિત્યનું વાચન મનન કરવાનો અવસર પ્રાપ્ત થયો. વિદ્યાકાળ દરમ્યાન તેમનું મન જીવનમાં કંઈક કરવા માટે વારંવાર ઉત્સુક રહ્યાં કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન પછી તેઓ એવા નિર્ણય પર પહોંચ્યા કે અતિ દુર્લભ માનવજીવન પામીને માત્ર ભૌતિકતાના રંગોમાં જ લપેટાઈ રહેવું, ભોગ અને આસક્તિમાં રચ્યાપચ્યા રહેવું એ તો પશુતુલ્ય જીવનની નિશાની છે. માનવીનો અણમોલ અવતાર સાધના–સુકૃત માટે છે. એ રીતે તેમણે પોતાના જીવનની દિશા સુનિશ્ચિત કરી દીધી. શ્રી વીતરાગ પ્રભુપ્રેરિત સંયમમાર્ગ અપનાવીને રત્નત્રયીની આરાધના દ્વારા સ્વપરના કલ્યાણનો માર્ગ ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પની સિદ્ધિ રૂપે તેમને સં. ૨૦૧૧-ના કારતક વદ ૩ના શુભ દિને, ગુજરાતની પુણ્યભૂમિ સાણંદ મુકામે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં આવી અને શ્રી કલ્યાણસાગરસૂરિજીના શિષ્ય તરીકે મુનિ શ્રી પદ્મસાગરજી નામે ઘોષિત કરવામાં આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાણી અને વિશાળ શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીનો સંયમપર્યાય સોળે કળાએ શોભી રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, અપૂર્વ અભ્યાસપ્રીતિ અને પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અંતઃકરણના આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર ધર્મગ્રંથોનો જ નહીં Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ પરંતુ દર્શનશાસ્ત્ર આદિ વિષયોનો અભ્યાસ કરી લીધો. આગમગ્રંથોનું પરિશીલન કર્યું. મનોહર મુખમુદ્રા, ચમકભરી આંખો, આકર્ષક અને પ્રભાવશાલી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખો જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ કયારેય કોઈ પણ ગચ્છસંપ્રદાયની સીમાઓમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય અને સંપ્રદાયનાં બંધનો પૂજ્યવરને બાંધી શકતાં નથી. પૂજ્યશ્રી પોતાનાં પ્રવચનોમાં ઘણીવાર કહે છે, “હું બધાનો છું, બધાં મારા છે, હું મુસ્લિમનો પીર છું. હિંદુઓનો સંન્યાસી, ઈસાઈઓનો પાદરી, શીખોનો ગુરુ અને જૈનોનો આચાર્ય છું.” આવી વિશાળ, ઉદાર અને વિશ્વવ્યાપી ભાવનાને લીધે પૂજ્યશ્રી કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રદેશોમાં જ્યાં જ્યાં વિચર્યા છે તે દરેક પ્રદેશનાં ગ્રામ- નગરોમાં તેઓશ્રીને ઘણાં યશ-કીર્તિ પ્રાપ્ત થયાં છે. પૂજ્યશ્રીના મુખની એક ઝલકને પામવા લાલાયિત થતી હજારો આંખો, પૂજ્યશ્રીની સુમધુર વાણીની અમૃતધારા પામવા આતુર કાન, પૂજ્યશ્રીનાં ચરણો પાછળ ચાલવા માટે તત્પર હજારો કદમ તેઓશ્રીની સર્વાધિક અને અદ્વિતીય લોકપ્રિયતાનાં પરિચાયક છે. પ્રકાંડ પાંડિત્યથી ભરપૂર અને લલિત મધુર પ્રવચનોથી પ્રભાવિત થનારો વિશાળ વર્ગ પૂજ્યશ્રીની લોકપ્રિયતાનાં પ્રમાણો છે, ટૂંકા સમયમાં શાસનપ્રભાવનાનો અજોડ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે વસ્તુતઃ સુવર્ણાક્ષરે લખવા યોગ્ય છે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોથી તીર્થસ્થાન જેવું ભવ્ય અને ગ્રંથભંડારોમાં વિરલ એવું સ્થળ ગાંધીનગર કોબા ગામે નિર્માણ થયું છે. સૌજન્ય : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા-૩૮૨૦૦૯ (ગાંધીનગર) तीर्थोद्धारक, राष्ट्रसंत जैनाचार्य श्री पद्मसागरसूरीश्वरजी म.सा. નન્મ : 10 સિતમ્પર, 1935 અનિમાંન (પં. વંશાત) નિપવ : 28 નનવરી, 1974, ભ્રમવાવાવ પંન્યાસ પર્વ : 8 માર્ચ, 1976, નામનાર આચાર્યપટ્ : ૭ વિસમ્બર, 1976, મહેસાળા आचार्य श्री की सत्प्रेरणा से जैन धर्म को प्राप्त विशिष्ट उपलब्धियाँ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy