SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯૨ વાંચન હતું. તેઓ ધાર્મિક વાંચન તો કરતાં જ ચિંતન અને મનન પણ ખૂબ કરતાં. તેમના ઘરમાં પણ જૈનદર્શનના ખૂબ સુંદર પુસ્તકો હતા. નવરા હોય ત્યારે વાંચન-મનન ચાલુ જ હોય. આવું વ્યસ્ત જીવન હોવા છતાં સવારમાં ઊઠીને, પ્રાતઃકાર્યથી પરવારીને સર્વ પ્રથમ સામાયિક કરતાં ત્યારબાદ જ કામ ઉપર ચડતાં. છેક ૧૯૪૪ની સાલથી આ ક્રમ જળવાઈ રહ્યો હતો તે છેક સુધી જળવાયો. છેલ્લા ૧૫ વર્ષથી તો ચોખ્ખા ચોવિહાર નિયમિત રીતે કરતાં. ઘણી વખત વ્યવસાયને કારણે મોડું અવાય કે રાત્રિભોજન થાય કે કરવું પડે તો પણ ભોજન કર્યા બાદ કશું જ ન વાપરતા. અરે ! છેલ્લે લગભગ ત્રણેક વર્ષ નબળાઈ, બિમારી અને ક્ષીણતાને કારણે રાત્રિભોજન કરવું પડે તો પણ, ચોવિહારમાં પાણીની છૂટ ઘરના લોકો રખાવે તો પણ તેઓ રાત્રે કશું જ વાપરતા નહીં. આવા ડોક્ટર હોવાછતાં તેઓ ખૂબ જ લાગણીશીલ, સૌજન્યશીલ અને પ્રેમાળ માનવી હતાં. પરિવારમાં બે પુત્રપુત્રવધૂઓ અને એક દિકરી જમાઈ હોવા છતાં ક્યારેય પોતાના વિચારોને કોઈના પર થોપતા નહીં. હા, એમને જ્યારે જરૂર લાગે ત્યારે દિશાસૂચન કરતાં, માર્ગદર્શક બનતાં પરંતુ કોઈની ઇચ્છા વિરુદ્ધનું કોઈપણ કાર્ય તેની પાસે કરાવતાં નહીં. આવા ગુણોને કારણે જ આજે પણ હજુ તેમને સેંકડો લોકો યાદ કરે છે. શ્રી રામજીભાઈ ડાહ્યાભાઈ દોશી સૌરાષ્ટ્રની આગવી ઓળખ એટલે ગરવો ગઢ ગિરનાર. જ્યાં નરસિંહ મહેતા જેવા આદ્યકવિ થઈ ગયા, એવી આ સંતો-મહંતોની ધરતીમાં માનવીઓ પણ એવા થયા કે જેઓએ સમગ્ર જીવનમાં સાદગી, સરળતા, પ્રામાણિકતા અને પ્રેમ જ વહેંચ્યો. તેમનું જીવન એ તેમના અનુગામીઓ માટે એક આવી સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતી, ગામમાં શ્રી ડાહ્યાભાઈ દોશી નામના દીવાદાંડીરૂપ બની રહ્યું. તેનું બિલખા ગામ. આ જૈન શ્રેષ્ઠી વસે. આ ડાહ્યાભાઈને ત્યાં રામજીભાઈનો જન્મ થયો. નાનપણથી જ ધર્મના સંસ્કારો ગળથૂથીમાં મળેલા. એમાંયે આ ઉપરાંત તેમની ઉદારતા, અનુકંપા અને પરગજુ ખોરડું ભારે પ્રતિષ્ઠિત. નગરશેઠ કહેવાય તેવા આ શ્રેષ્ઠી. સ્વભાવને કારણે હંમેશા બીજા લોકોને મદદરૂપ થવા તત્પર રહેતા. દાન પણ ગુપ્ત રીતે જ કરતાં. ક્યારેય કોઈને આપ્યું હોય તો તેની ઘરમાં કે બહાર કોઈને ખબર ન હોય. માત્ર તેઓ રામજીભાઈએ યોગ્ય ઉંમરે જમકુબેન સાથે પ્રભુતામાં પગલા પાડી ગૃહસ્થાશ્રમમાં પગરણ માંડ્યા. વાત્સલ્ય, વિશુદ્ધતા અને વિશાળતાએ જેના દિલમાં વાસ કર્યો હતો તેવા રામજીભાઈનું જીવન એટલે એક શ્રમણોપાસક શ્રાવકનું જીવન. એમાંયે પાંચમાં પૂછાતા શ્રેષ્ઠી. એ સમયે દાદાગુરુ ડુંગરના પનોતા શિષ્ય જય–માણેક, પુરુષોત્તમજી મ.સા. વગેરેના ભવ્યાતિભવ્ય ચાતુર્માસ બિલખા ગામે કરાવનાર એક જાજરમાન, ધર્મનિષ્ઠ અને વિરલ વ્યક્તિત્વ. પોતે ને બીજો લાભાર્થી એ બે જણ જ જાણતાં હોય કે શું લીધું–દીધું. આવા એક મુઠ્ઠી ઊંચેરા વ્યક્તિત્વના સ્વામી શ્રી રસિકભાઈના અર્ધાંગિની શ્રીમતી ઇંદિરાબેન પણ એક પતિવ્રતા, સેવાપરાયણ, બીજાના દુઃખે દુ:ખી થનારા, એક લાગણીશીલસંવેદનશીલ સન્નારી છે. પતિના દરેક કાર્યમાં તેમના પગલે પગલે ચાલીને આજે પણ તેઓ દિવંગત પતિના અધૂરા કાર્યોને પૂરા કરી રહ્યા છે. શ્રી રસિકભાઈ તા. ૨૯-૯-૨૦૧૦ના રોજ થોડાક દિવસોની માંદગીમાં આ ફાની દુનિયાને છોડીને તો ચાલી ગયા પરંતુ પોતાના સેવાકાર્યોની મહેંક સદાને માટે મુકતા ગયા. પોતાની પાછળ પત્ની-બે પુત્રો તથા પુત્રવધૂઓ તથા એક દિકરી અને જમાઈના પરિવારને છોડતા ગયા છે. તેમના જિન શાસનનાં મોટા પુત્ર હર્ષદભાઈ પોતે ડોક્ટર છે અને તેમનો પુત્ર રાજીવ શાહ પણ દાંતના ડોક્ટર છે. બીજા પુત્ર મહેશભાઈ પણ ડોક્ટર છે. જેમની બંને પુત્રીઓ કોમ્પ્યુટર એન્જીનીયર છે. આવા આ વિરલ વ્યક્તિત્વને ભાવભીના વંદન..... અનેક સદ્ગુણોના માલિક, સ્પષ્ટ વક્તા, ધર્મનિષ્ઠ વ્યક્તિત્વ Jain Education International સાચા અર્થમાં સંત-સતીજીઓના અમ્મા–પિયાની ભૂમિકા ભજવનારા ધર્મવાન, ચારિત્ર્યનિષ્ઠ અને મહાન માનવી. ધર્મઆરાધનાની સાથે સાથે જ્ઞાન અને દર્શનમાં પણ જેઓ ખૂબ જ આગળ હતાં એવા નમ્ર નિરાભિમાની કર્મઠ વ્યક્તિત્વ. વળી શાસ્ત્રના પણ જાણકાર જેથી સંત-સતીજીઓ માટે હંમેશા દોષ લગાડ્યા વિના વૈયાવચ્ચ કરવા તત્પર ઉમદા શ્રાવક, વળી નાનપણથી જ ધર્મના રંગે રંગાયેલા તેથી કુટુંબમાં પણ ધર્મ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy