SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો વર્ષ ૨૦૦૯નું ચાતુર્માસ દિલ્હીમાં કર્યા બાદ ૧૨ કલ્યાણકોની ભૂમિ હસ્તિનાપુરમાં ૨૫ કરોડની લાગતથી નિર્મિત ૧૫૧ ફૂટ ઉંચું શ્રી અષ્ટાપદ તીર્થની ઐતિહાસિક અંજનશલાકાપ્રતિષ્ઠા તા. ૨-૧૨-૨૦૦૯નું ભવ્ય આયોજન. આવા અદમ્ય પુરુષાર્થી, મહાન શાસનપ્રભાવક, ગચ્છાધિપતિ જૈનાચાર્યના ચરણોમાં કોટિ કોટિ વંદના સૌજન્ય : ગુરુભક્તોના સૌજન્યથી પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા. બેંગ્લોર (કર્ણાટક) સ્થિત કંકુબહેન જેવંતરાજ પોરવાલ માતુશ્રીની પવિત્ર કુક્ષિએ દિવ્ય સ્વપ્ન અને દિવ્ય સંકેતના અનુસારે ફાગણ વદ-૪, ગુરુવારે તા. ૧૪-૩-૧૯૬૩ના શુભ દિને સવારે ૯=૩૦ વાગે એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો તે બાળકનું નામ રમેશકુમાર પાડવામાં આવ્યું. નાનપણથી જ માતાના અને ફઈબા તથા બહેનના સંસ્કારો હેઠળ નિર્માણ પામેલ આ બાળકને ધર્મના સુસંસ્કારો આપવામાં આવ્યા. નાનપણથી જ અતિ સરલ, નમ્ર, વિનયી અને દયાળુ આદિ સુસંસ્કારોને કારણે બાળક રમેશ સૌને પ્રિય બની ગયો. પાઠશાળામાં પણ ભણવામાં ખૂબ જ હોશિયાર, અતિ તેજસ્વી બુદ્ધિપ્રતિભા જોઈને પાઠશાળાના પંડિતજીએ પણ કહ્યું કે આ બાળકને શાસનના ચરણે સમર્પિત કરવામાં આવે તો ભવિષ્યમાં આ બાળક એક સમર્થ આચાર્ય બની શકે તેવી પૂરી સંભાવના છે. ફઈબાએ પંડિતજીની વાત ઝીલી લીધી અને બાળક દીક્ષા જ લે એવા સંસ્કારો આપવામાં આવ્યા. દશ વર્ષની નાની ઉંમરમાં ફઈબાની સાથે કલકત્તાથી નીકળેલ પાલિતાણા પર્યંતનો છઃરીપાલિત સંઘયાત્રા ચાલીને કરી અને દાવગિરિમાં ઉપધાન પણ કર્યાં. નાની ઉંમરથી આ બાળકના આવા ઉલ્લાસિત ભાવો જોઈને ફઈબાએ માતાપિતા અને પરિવારના સૌએ દીક્ષા અપાવવા માટે સંમત કર્યાં. અતિશય ઉલ્લાસ-ઉમંગના વાતાવરણની સાથે તથા રાજાશાહી ઠાઠમાઠથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિની સાથે ભવ્યાતિભવ્ય વર્ષીદાનની યાત્રા સાથે Jain Education International ૮૦૩ અંદાજિત પચીસહજારની મેદની સમક્ષ મા. સુદ-૫-ના શુભદિને આ તેજસ્વી બાળકે સંયમજીવનનો સ્વીકાર કર્યો. સંયમજીવન સ્વીકાર્યા બાદ રમેશમાંથી આ બાળક હવે મુનિશ્રી રત્નશેખરવિજયજી મ.સા. બન્યા. આ નાના બાલમુનિની વડીદીક્ષા પૂ. ગચ્છાધિપતિ ગુરુદેવશ્રીના વરદ હસ્તે પૂનામાં વૈશાખ સુદ-૬ના દિને સુસંપન્ન થઈ. આ નાનો બાળમુનિ (ભક્તિસૂરિ સમુદાયમાં) સૌનો પ્રિય બની ગયો. સરળતા, નમ્રતા, વિનય, સ્વાધ્યાયરુચિ આદિ વિશિષ્ટ ગુણોને કારણે આ નાના બાલમુનિને દરરોજની ૫૦-૬૦ ગાથા કંઠસ્થ કરવી રમતવાત થઈ પડી. દરરોજના ૮ થી ૧૦ પંડિતો પાસે અભ્યાસ કરતાં કરતાં આ બાલમુનિએ ભાષ્યપ્રકરણો, કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી, તત્ત્વાર્થ, લોકપ્રકાશ, વિશેષાવશ્યક ભાષ્ય, દ્રવ્યગુણપર્યાયનો રાસ, પન્નવણા સૂત્ર (આગમ) સતિના ૬૭ બોલની સજ્ઝાય, સીમંધરસ્વામી ભ.નું ૧૨૫, ૧૫૦, ૩૫૦ ગાથાઓનાં સ્તવનો વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, છંદ, કાવ્ય, અલંકારશાસ્ત્ર, આગમ વાચન, ચિંતન– મનન અને શિલ્પશાસ્ત્ર આદિનો ખૂબ જ સુંદર અભ્યાસ કરી આ નાના બાલમુનિને મોટા યોગોદ્દહન કરાવવા દ્વારા વિશિષ્ટ પ્રવચનશક્તિ અદ્ભુત જોઈને પૂ. ગચ્છાધિપતિ ગુરુદેવશ્રી શંખેશ્વરજીમાં મા.વ. ૪ને દિવસે મુનિમાંથી ગણિ પદ આપવામાં આવ્યું. ગણિ પદ ધારણ કર્યા બાદ આ ગણિવર્યની અદ્ભુત શાસનપ્રભાવના, પ્રવચનશક્તિ, વ્યવહારકુશળતા, દીર્ધદ્રષ્ટા, યશસ્વી માર્ગદર્શક, સાહિત્યપ્રકાશક આદિ અનેકાનેક ગુણો જોઈને પૂ. ગુરુદેવશ્રીએ ગણિમાંથી ૨૦૫૬ ફાગણ સુદી–૭ના દિને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. પંન્યાસ પદ ધારણ કર્યા બાદ પૂ. ગુરુદેવશ્રીના દરેક કાર્યમાં પછી તે ઉપાશ્રયનું કાર્ય હોય કે દેરાસરનું કાર્ય હોય, પાઠશાળાનું હોય કે જ્ઞાનમંદિરનું હોય, શ્રી ૧૦૮ ટ્રસ્ટમાં થતાં દરેક કાર્યોમાં અને દરેક ક્ષેત્રોમાં પૂ. ગુરુદેવશ્રીનો પડ્યો બોલ ઝીલી લેનાર આ પંન્યાસશ્રીનો મુખ્ય ફાળો રહ્યો છે. પૂ. ગુરુદેવશ્રીની એક ભાવના હતી કે પંન્યાસજી મ.ને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવે તો ખરેખર શાસનને ઉપયોગી બની રહેશે. અત્યારસુધીમાં અનેકાનેક પરિવારોને ધર્માભિમુખ કરવામાં આ પંન્યાસજી મ.ની એક લબ્ધિ રહી છે. શાસનપ્રભાવના, સાધુસાધ્વી–વૈયાવચ્ચ અને સાધર્મિકભક્તિ, વિદ્યાદાન, સાતેય ક્ષેત્રોની ભાવથી ભક્તિ તે તેમનાં જીવનસૂત્રો રહ્યાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy