SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો રમેશભાઈને સંસારની અસારતા હૃદયમાં વસી ગઈ હતી. પગપાળા દેવદર્શને જવું, ખુલ્લા પગે કોલેજ જવું, પોતાનાં કપડાં પોતે જ ધોવાં-એવી નાની નાની બાબતોમાં તેમના સંસ્કારો વ્યક્ત થતા હતા. આગળ જતાં મુંબઈમાં ઉચ્ચ અભ્યાસ કરવા સાથે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની સેવા કરવાનો લાભ મળ્યો અને રમેશભાઈને સંયમજીવન સ્વીકારવાની લગની લાગી. સં. ૨૦૨૦ના મહા વદ પાંચમને શુભ દિવસે લાલબાગમાં પૂ. આ. શ્રી વિજયવિક્રમ-સૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં ભવતારિણી ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી મુનિ શ્રી રાજયશવિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં રહીને સ્વાધ્યાય-તપમાં દિનપ્રતિદિન વિકાસ સાધવા માંડ્યા. દીક્ષાના ચોથા વર્ષથી તો પ્રવચનપીઠ સંભાળી અને સમગ્ર ભારતવર્ષમાં એક અચ્છા પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓશ્રીની આ અનન્ય કુશળતા જોઈને પૂ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ આનંદિત થઈ બોલી ઊઠતા કે, “રાજા મારું રાજ્ય સંભાળશે.'' પોતાનું આટલું માન હોવા છતાં મુનિશ્રી રાજયવિજયજી પૂરેપૂરા વિનમ્ર, વિવેકી, નિખાલસ અને નિઃસ્પૃહી રહેતા. શાસ્ત્રોના અધ્યયનમાં નિમગ્ન રહેતા. જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રમાં પૂજ્યશ્રીનું વિશિષ્ટ અને વ્યાપક જ્ઞાન જોઈ સહુ કોઈ આશ્ચર્ય પામતાં, તદુપરાંત, તેઓશ્રીએ અનેક ભાષાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરીને પોતાની એક પ્રકાંડ પંડિત તરીકેની પ્રતિભા ઉપસાવી હતી. પૂ. ગુરુદેવશ્રી સાથેના બે ભવ્ય છ’રીપાલિત સંઘોમાં વિહાર કરીને પૂજ્યશ્રીએ પોતાનો એક સમર્થ ભાષાવિદ્ તરીકેનો પરિચય આપ્યો હતો. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની આદિ સર્વ ભાષાઓ પર એકસરખું પ્રભુત્વ ધરાવનાર પૂજ્યશ્રી કોઈ વિદ્વાન પ્રોફેસરની અદાથી ઇંગ્લિશમાં લેક્ચર આપી શકે છે. વળી, એક મહાન તપસ્વી અને સમર્થ આરાધક તરીકે પણ તેઓશ્રીની અનન્ય છાપ છે. સં. ૨૦૪૩માં રાજનગરમાં પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ વિવિધ શાસનપ્રભાવના દ્વારા લાખો ભાવિકોનાં હૃદયે સ્થાન પામી ચૂક્યા છે. તેઓશ્રી પર ગુરુકૃપાની અમીધારા અહોનિશ વરસતી રહે છે, જેને લીધે પૂજ્યશ્રી ભરૂચ તીર્થોદ્ધારનું કાર્ય સફળતાથી પૂર્ણ કરી શક્યા છે. એ મહાન તપસ્વીને કોટિ કોટિ વંદના! Jain Education International 943 पू. आ. श्री चंद्रानन सागरसूरिजी म.सा. कम उम्र में जो लोग सफलता के सब से ऊंचे शिखर को हासिल करते हैं उन्हें साधना भी बहुत ज्यादा करनी पड़ती है । लेकिन उस शिखर पर बने रहने के लिए उससे भी कई गुना ज्यादा तपस्या के लिए खुद को समर्पित करना होता है। आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज को ऐसा ही सबसे ऊंचा शिखर हासिल हे जिन्होंने साधना, तपस्या और धर्म के मुश्किल मार्ग को आम आदमी के लिए आसान बनाने की कोशिशों को नई दिशा दी है। साथ ही सामाजिक, शैक्षणिक, सांस्कृतिक कार्यो को आगे बढ़ाने में अपना महत्त्वपूर्ण योगदान दे रहे हैं । वे औरों की तरह सिर्फ जीवन का धर्म और धर्म का मर्म बताने के साथ ही पवित्रता से परिपूर्ण कर्म का मार्ग ही नहीं बताते बल्कि सामाजिक और शैक्षणिक क्षेत्र में क्रांतिकारी परिवर्तन का रास्ता दिखाते हैं। शिक्षा के लिए उनका गजब समर्पम है। आध्यात्मिक चेतना के साथसाथ शैक्षणिक क्रांति उनकी प्रेरणा का महत्वपूर्ण हिस्सा देखी गई है। जितने धार्मिक और सामाजिक कार्य उनके खाते में दर्ज हैं उतनी ही शैक्षणिक विकास की कोशिशें भी आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज के कार्यों का हिस्सा रही हैं। आज के संतों में आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज शिक्षा के विकास के सबसे महत्वपूर्ण हस्ताक्षर के रूपमें देखे जाते हैं। गुजरात के सौराष्ट्र इलाके के आदरियाणा में विक्रम संवत २०१५ को भादरवा सुद १ को जन्मे आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज का दीक्षा संस्कार राजस्थान के गोड़वाड़ की धरती पर पाली जिले के फालना में विक्रम संवत २०२७ के जेठ वद ११ को १७ जून १९७१ को शनिवार के दिन हुआ । छोटी सी उम्र में साधु का For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy