SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૭૧ ધર્મ સ્થાને અને એવી અનેક બીજી સંસ્થાઓને તેમણે ઉદાર દિલથી મદદ કરી છે. યજ્ઞયાગાદિ ને ધર્મરાગ પણ એટલા જ પ્રશંસનીય હતા. શ્રી શંકરાચાર્યની પધરામણી અને સરભરા, કથાકીર્તન, મંદિરો ધર્મસ્થાનોને ભેટ વગેરે અનેક ધાર્મિક સત્કાર્યો કરી તેમની ધાર્મિક ભાવનાને ભવ્ય બનાવી હતી. અને પાવન થયા હતા... તદ્ઉપરાંત દેશ પ્રત્યેની, સમાજ પ્રત્યેની તેમની ફરજ બજાવવાનું તેઓ હરગિજ ચૂક્યા નથી. તેમણે દેશની, રાજ્યની અને સમાજની પ્રવૃત્તિઓને પણ અપનાવી, પિષી પૂરતું ઉત્તેજન આપ્યું. તેઓ તેમના કુટુંબીજને પ્રત્યે પણ હંમેશાં અત્યંત માયાળુ, નેહભીનું શાંત વર્તન રાખતા. સંસારમાં અનેક જીવાત્માઓ આવે છે અને વિલય પામે છે. માત્ર થોડા જ એવા ભાગ્યશાળી પુણ્યાત્માઓ હોય છે કે જે મરજીવા બને છે, અને મૃત્યુ બાદ પણ જીવંત રહે છે અને અમર નામના મૂકી જાય છે. સ્વ. અમૃતલાલભાઈ અમૃતકૂપ સમાન હતા. અમૃત એ સંજીવન છે. તેઓ દેહાવસાન બાદ પણ માનવહૃદયમાં વાસ કરી રહ્યા છે, અને જીવન સાર્થક કરી અમરતા પામ્યા છે. - - શ્રી અમૃતલાલ પોપટલાલ મણિયાર અપ્રતિમ કાર્ય કૌશલ. અદમ્ય ઉત્સાહ અને પ્રબળ પુરુષાર્થથી ઉદ્યોગ ક્ષેત્રમાં તેમ જ સામાજિક ક્ષેત્રમાં આદરપાત્ર સ્થાન સંપ્રાપ્ત કરનાર વઢવાણનિવાસી શ્રી અમૃતલાલભાઈ પી. મણિયાર તેમનાં અનેકવિધ સુંદર કાર્યો માટે આજે સમાજમાં એક અગ્રગણ્ય વ્યક્તિ છે. શૂન્યમાંથી સર્જન કરનાર શ્રી અમૃતભાઈએ મુંબઈમાં સુખ્યાત વ્યવસાય ગૃહ મેસર્સ મહાવીર રિફેકટરીઝ કેરપિરેશન તેમ જ વાંકાનેરમાં મેસર્સ સૌરાષ્ટ્ર સરેમિક ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી વ્યવહારદક્ષ માર્ગદર્શનની પ્રતીતિ કરાવી આપી છે. સેનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy