SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો વિદ્યાલય (વિશ્વવિદ્યાલય) પિતાશ્રીના નામે બોટાદમાં હાઈસ્કૂલ બનાવી છે. પાંચ વર્ષ પહેલાં રામ એન્જિનિયરિંગ વર્કસ–કારખાનું શરૂ કર્યું. ધંધાને વિકસાવવામાં પૂરો રસ લઈ રહ્યા છે. વિકાસશીલ વ્યાપારી અને ઉદ્યોગપતિ તરીકેનું પ્રતિષ્ઠિત સ્થાન અને સન્માન મેળવવા તેઓ સદ્ભાગી બની શક્યા છે. તેમના યશભાગી હાથે વડે વિવિધ ક્ષેત્રનું ભાવિ ઉજવળ બની રહે અને તેમના પ્રત્યેક કાર્યો વધુ ને વધુ યશસ્વી બની રહે તેવી અભ્યર્થના. સ્વ. શ્રી વિનયકુમાર અમૃતલાલ ઓઝા દ્વારકા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજે જેમનું સેવાધર્મભૂષણ'ની પદવી આપીને બહુમાન કર્યું; મુંબઈના ઉપનગર ઘાટકેપર ખાતેના ઘાટકેપર બ્રાહ્મણ સમાજને સંગીન અને સક્રિય બનાવવામાં જેમને મેટ ફાળો હતજેઓ સેવા અર્થે દાન આપીને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં ઊંડે રસ ધરાવતા હતા. શ્રી વિનયકુમારભાઈનું સમગ્ર કુટુંબ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજના નવનિર્માણમાં ભાગ લઈ રહ્યું છે. શિક્ષણ વિના માનવી અંધ કહેવાય છે. એટલે શિક્ષણની આંખ આપવાની શ્રી વિનયકુમારભાઈની ધગશ જીવનધર્મની ધજા ફરકાવે છે. આવા વિનયી સજજન શ્રી વિનયકુમાર ઓઝાને જન્મ ભાવનગરમાં તા. ૨૭-૧૦-૧૯૧૫ના રોજ થયે હતે. શ્રી વિનયકુમારભાઈને સ્વ. પૂ. પિતાશ્રી અમૃતલાલભાઈને જન્મ ભાવનગર પાસેના ઉમરાળા ગામમાં થયો હતો. સ્વ. શ્રી અમૃતલાલભાઈએ માત્ર ૧૫ વર્ષની કિશોર અવસ્થામાં મુંબઈમાં આવીને આપકમી જીવન શરૂ કર્યું. તે પહેલાં માત્ર ૧૨-૧૩ વર્ષની ઉંમરે ફક્ત બે રૂપિયાના પગારથી તેમણે નોકરી કરી હતી. મુંબઈ આવીને દારૂખાના પાસે જૂના લેખંડને વેપાર કરતી શેઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy