SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૧૩ વલ્લભસૂરિ સમુદાયના આચાર્યો તરફ ખૂબ જ તેમના પરિવારને ભક્તિભાવ રહ્યો છે. એક પુણ્યશાળી શ્રાવક તરીકે, એક આગેવાન ઉદ્યોગપતિ તરીકે, અને એક શ્રેષ્ઠ માનવ તરીકે તેમનું નામ અને કામ બહાળા સમૂહમાં ગાજતું રહ્યું છે. મુંબઈ સમાજની કારોબારીમાં ૧૯૬૩ થી ૧૯૮૬ સુધી સક્રિય સેવા આપી. ભીવંડી સ્કૂલ આયેાજનને પાંચ વર્ષમાં સ્કૂલ બનાવી તેના ચેરમેન પદે રહ્યા. ત્રણ ભાઈઓમાં મોટાભાઈ શ્રી ઝવેરચંદભાઈ, બીજા શ્રી લાલજીભાઈ અને ત્રીજા શ્રી ભગવાનજીભાઈ પુત્ર વિનોદકુમાર, બિપીનકુમાર, દિલીપકુમાર અને પુત્રી નલબહેન. શ્રી વસનજી લખમશી શાહ કેઈએ ખૂબ એગ્ય કહ્યું છે : “ધન કમાવાનું તે ઘણુના ભાગ્યમાં લખાયેલું હોય છે, પણ એ કમાયેલા ધનને માર્ગો ખર્ચવાનું બહુ ઓછાનાં ભાગમાં લખાયેલું હોય છે.” હંમેશાં એમ બનતું આવ્યું છે કે દાન દેનાર થાકે, લેનાર નહિ; પણ વસનજીભાઈ માટે ફેરવીને કહેવું પડે, કે દાન લેનાર થાકે, પણ દેનાર નહિ. વસનજીભાઈ મુંબઈ શહેર કે શહેર બહાર સુરેન્દ્રનગર, કચ્છ, યાત્રાધામે, દિલ્હી તેમ જ ભારત બહાર લેટર (લંડન) વગેરે સ્થળેથી નાનું સરખું પણ સારું કામ કરનાર ખ્યાત કે અલ્પ ખ્યાત, જૂની કે નવી કેઈપણ સંસ્થાને વિશ્વાસ શ્રદ્ધા અને પ્રેમથી અનુદાન આપે છે. દાન આપી ચૂપ રહે છે. દાનને કઈ દેખાડ કે ભભકે કરતા નથી. પ્રચારની કેઈ ખેવના રાખતા નથી. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક, કલા વિષયક, વૈદકીય, સાંસ્કૃતિક, વ્યાપારીસંસ્થાકીય દરેક પ્રવૃત્તિને પાંગરવા-વિકસાવવા માટે વસનજીભાઈ તરફથી પ્રેત્સાહન અને આર્થિક સગ મળી રહે છે, અને ઊગતા કલાકાર, સાહિત્યકાર, લેખકે વગેરેને પૂરું પીઠબળ સાંપડી રહે છે. - તેઓ સરળ, સાલસ, વિનમ્ર, મૃદુભાષી, મમતાળુ અને નખશિખ સજજન છે. ન છે. દાન કઈ એવન કહીય, વસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy