SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ 141 ગાશા - 683 છે. અનંતકાળ સુધી વેચવા યોગ્ય અશુભ કર્મ બંધાય છે. આથી સાધુએ બાહ્ય કે અભ્યતર સંયોજના કરવી નહિ. અપવાદ-દરેક સંઘાટ્ટકને ગોચરી વધારે આવી ગઈ હોય, વાપરવા છતાં આહાર વધ્યો હોય તો, તે પરઠવવો ન પડે તે માટે બે દ્રવ્યો ભેગા કરીને વાપરે તો દોષ નથી. ગ્લાનને માટે દ્રવ્ય સંયોજના કરી શકાય. રાજપુત્રાદિ હોય અને એકલો આહાર ગળે ઉતરતો ન હોય તો સંયોજના કરે. નવદીક્ષિત હોય પરિણત ન થયો હોય તો સંયોજના કરે. અથવા રોગાદિ કારણે સંયોજન કરવામાં દોષ નથી. 684-696] પ્રમાણ દોષ જે આહાર કરવાથી જ્ઞાનાભ્યાસ, વૈયાવચ્ચ આદિ કરવામાં અને સંયમના વ્યાપારોમાં તે દિવસે અને બીજા દિવસે આહાર વાપરવાનો સમય ન થાય ત્યાં સુધી શારીરિક બળમાં હાનિ ન પહોંચે તેટલો આહાર પ્રમાણસર કહેવાય. પ્રમાણ કરતાં વધારે આહાર વાપરવાથી પ્રમાણાતિરિક્ત દોષ થાય અને તેથી, સંયમ અને શરીરને નુકશાન થાય. સામાન્ય રીતે પુરુષ ને માટે બત્રીસ કોળીઆ. આહાર અને સ્ત્રી માટે અઠ્ઠાવીસ કોળીઆ આહાર પ્રમાણસર કહેવાય. કુટ-કુકડીના ઈંડા જેટલા પ્રમાણનો એક કોળીઓ ગણાય. કુફ્ફટી-બે પ્રકારની 1 દ્રવ્ય કુફ્ફટી અને 2 ભાવકુફ્ફટી. દ્રવ્ય કુફ્ફટી-બે પ્રકારે 1 ઉદરકુકુટી, ર ગલકુÉટી. ઉદરકુફ્ફટી-જેટલો આહાર વાપરવાથી પેટ ભરાય તેટલો આહાર, ગલકુલ્લુટી-પેટ પૂરતા આહારની બત્રીસમો ભાગ અથવા જેટલો કોળીઓ મુખમાં મૂકતાં મોં વિકૃત ન થાય, તે પ્રમાણનો કોળીઓ અથવા સહેલાઈથી મુખમાં મૂકી શકાય તેટલા આહારનો કોળીઓ. ભાવકક્યુટી- જેટલો આહાર વાપરવાથી (ઓછો નહિ તેમ વધારે નહિ) શરીરમાં રૂર્તિ રહે, જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણનો આહાર, તેનો બત્રીસમો ભાગ એક કળીઓ કહેવાય. બત્રીસ કોળીઆમાં એક, બે, ત્રણ કોળીઆ ઓછાં કરતાં યાવતુ સોળ કોળીઆ પ્રમાણ આહાર કરે વાવતું તેમાંથી પણ ઓછા કરતાં આઠ કોળીઆ પ્રમાણ આહાર કરે તે યાત્રામાત્ર નિવહ પૂરતો) આહાર કહેવાય. સાધુઓએ કેવો આહાર વાપરવો જોઈએ ? જેઓ હિતકારી દ્રવ્યથી અવિરૂદ્ધ, પ્રકૃતિને માફક અને એષણીય-દોષ વગરનો આહાર કરનારા, મિતાહારી પ્રમાણસર બત્રીસ કોળીઆ પ્રમાણ આહાર કરનારા, અલ્પાહારી-ભૂખ કરતાં ઓછો આહાર કરનારા હોય છે, તેમની વૈદ્યો ચિકિત્સા કરતા નથી. અતુ. તેવાઓને રોગ થતાં નથી. હિતકારી અને અહિતકારી આહારનું સ્વરૂપ-દહીંની સાથે તેલ ને, દુધની સાથે દહીં કે કિાંજી એ અહિતકારી છે, અથતુ શરીરને નુકશાન કરે છે. અહિતકારી આહાર વાપરવાથી સઘળા રોગ ઉત્પન્ન થાય છે. દૂધ અને તેલ કે દહીં અને તેલ સાથે વાપરવાથી કોઢ રોગ થાય છે, સરખા ભાગે વાપરવાથી ઝેરરૂપ બને છે. માટે અહિતકારી આહારનો ત્યાગ કરવો અને હિતકારી આહાર વાપરવો જોઈએ. - મિત આહારનું સ્વરૂપ-પોતાના ઉદરમાં છ ભાગની કલ્પના કરવી. તેમાં શિયાળો, ઉનાળો અને સાધારણ કાલની અપેક્ષાએ આહાર વાપરવો, તેની સમજ આપવા અહીં કોઠો બનાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy