SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 90 ગણિવિજ્જા- [45] [૪૫-૪૬]બવ, બાલવ, કૌલવ, વરિજુ , નાગ, ચતુષ્પાદ આ કરણોમાં શિષ્યદિક્ષા કરવી. બવમાં વ્રત-ઉપસ્થાપન, ગણિ-વાચકની અનુજ્ઞા કરવી. શકુનિ અને વિષ્ટી કરણમાં અનશન કરવું. ૪૭-૪૮)ગર શક અને સોમ દિવસોમાં શૈક્ષનિષ્ક્રમણ, વ્રત-ઉપસ્થાપન અને ગણિ-વાચક અનુજ્ઞા કરવી, રવિ, મંગળ અને શનિ દિવસે મૂળ-ઉત્તરગુણ, તપકર્મ અને પાદપોપગમન કાર્ય કરવું. ૪૯-૫૫]રૂદ્ર વગેરે મુહૂર્તો 96 અંગુલ છાયા પ્રમાણ છે. 60 અંગુલછાયાએ શ્રેય, બારે મિત્રે, છ અંગુલે આરભડ મુહૂર્ત, પાંચ અંગુલે સૌમિત્ર. ચારે વાયવ્ય, બે અંગુલે સુપ્રતીત મુહૂર્ત થાય છે. મધ્યાહ્ન સ્થિત પરિમંડલ મુહૂર્ત થાય છે. બે અંગુલે રોહણ, ચાર અંગુલ છાયાએ પુનબલ મુહૂર્ત થાય છે. પાંચ અંગુલ છાયા એ વિજય મુહૂર્ત છ એ નૈઋત થાય છે. બાર અંગુલ છાયાએ વરુણ 60 અંગુલે અધર્મ અને દ્વીપ મુહૂર્ત થાય છે. 96 અંગુલ છાયા પ્રમાણે એ રાત્રિ દિવસના મુહૂર્ત કહ્યા. દિવસ મુહૂર્ત ગતિ વડે છાયાનું પ્રમાણ જાણવું. પદ-૫૮]મિત્ર, નિંદ, સુસ્થિત, અભિજિત, ચંદ્ર, વારણ, અગ્નિવેશ્ય. ઈશાન. આનંદ, વિજય આ મુહૂર્ત-યોગમાં શિષ્યદિક્ષા વ્રત-ઉપસ્થાપના અને ગણિવાચકની અનુજ્ઞા કરવી, ખંભ, વલય, વાયુ, વૃષભ અને વરુણ મુહૂર્ત-યોગમાં ઉત્તમાર્થ મોક્ષ) ને માટે પાદપોપગમન અનસન કરવું પિ૯-૬૪]jનામધેય શકુનો માં શિષ્ય દીક્ષા કરવી. સ્ત્રીનામી શકુનોમાં વિદ્વાનો સમાધિને સાથે, નપુસંક શકુનોમાં સર્વ કમનું વર્જન કરવું, વ્યામિશ્ર નિમિત્તોમાં સર્વ આરંભો વર્જવા, તિર્યંચ બોલે ત્યારે માર્ગગમન કરવું, પુષ્પફલિત વૃક્ષ જુએતો સ્વાધ્યાયક્રિયા કરવી. વૃક્ષની ડાળ ફુટવાના અવાજે શિલ્પની ઉપસ્થાપના કરવી. આકાશ ગડગડાટ થાય તો ઉત્તમાર્થ (મોક્ષ) સાધના કરવી. બિલમલ ના અવાજથી સ્થાન ને ગ્રહણ કરવું. વ્રજના ઉત્પાતના શકુન થાય તો મરણ. થાય. પ્રકાશ શકુનોમાં હર્ષ અને સંતોષ વિકુવો. ' ૬૪-૬૮)ચલરાશિ લગ્નમાં શિષ્યદિક્ષા કરવી. સ્થિર રાશિ લગ્નમાં વ્રત-ઉપસ્થાપના, શ્રુતસ્કંઘ અનુજ્ઞા, ઉદ્દેશ, સમુદેશ કરવા, દ્વરાશી લગ્ન માં મૂળગુણ ઉત્તરગુણ શિક્ષા આપવી, ખૂણા-દિશા લગ્નમાં ઉત્તમાર્થ સાધવો, એ પ્રમાણે લગ્ન બળ જાણવું અને દિશા-ખૂણાવિશે સંશય ન કરવો. [૯-૭૧]સૌમ્યગ્રહ લગ્નમાં હોય ત્યારે શિષ્યદક્ષા કરવી, કુરગ્રહ લગ્નમાં હોય ત્યારે ઉત્તમાર્થ સાધવો. રાહુ કે કેતુ લગ્નમાં સર્વકર્મ વર્જવા, પ્રશસ્ત લગ્નોમાં પ્રશસ્ત કાર્યો કરવા, અપ્રશસ્ત લગ્નમાં સર્વ કાર્ય વર્જવા. જિનેશ્વર ભાષિત એવા ગ્રહોના લગ્નોને જાણવા જોઈએ. ૭૨]નિમિત્તો નષ્ટ થતા નથી.ઋષિભાષિતુ મિથ્યા થતું નથી, ર્દિષ્ટ નિમિત્તો વડે વ્યવહાર નાશ પામે છે. સુદષ્ટ નિમિત્તો વડે વ્યવહાર નાશ પામતો નથી. ૭૩-૭૯]જે ઉત્પાતિકી ભાષા અને જે બાળકો બોલે છે. તેમજ સ્ત્રીઓ જે બોલે છે તેનો વ્યતિક્રમ નથી. તે જાત વડે તે જાતનું અને તે સરીખાવડે સરખું તરૂપ થી તાદ્રય અને સદંશથી સર્દશ નિર્દેશ થાય છે. સ્ત્રી-પુરુષ ના નિમિત્તોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005092
Book TitleAgam Deep 31 Ganivijja Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages15
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 31, & agam_ganividya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy