SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 280 નિરયાવલિયા 1/17 તત્કાલ ક્રોધ પામી યાવતુ ભૃકુટિ ચડાવી આ પ્રમાણે કહ્યું " કૂણક રાજાને સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર હું નહીં આપું, તેમ જ વિહલકુમારને નહીં મોકલું. આ હું યુદ્ધ કરવા સજ્જ થઈને રહ્યો છું. " એમ કહી તે દૂતને સત્કાર કર્યા વિના સન્માન કર્યા વિના પાછળના દ્વારા માર્ગે કાઢી મૂકાવ્યો. [18] ત્યારપછી તે કૂણિકરાજાએ તે દૂતની પાસે આ અર્થ સાંભળી હૃદયમાં ધારી તત્કાલક્રોધપામી કાલાદિક દશ કુમારોને બોલાવ્યા,બોલાવીને આ પ્રમાણે કહ્યું " નિશે હે દેવાનુપ્રિયાવિહલ્લકુમાર મારા અજાણતાં જ મેચનક ગંધહસ્તી, અઢાર સરનો હાર, અંતઃપુરનો પરિવાર અને ભાંડ પાત્ર વિગેરે ઉપકરણ લઈને ચંપાનગરીથી નીકળ્યો. નીકળીને વૈશાલી નગરીમાં આર્યક ચેટકરાજા પાસે યાવતું જઈ રહ્યો છે. ત્યારપછી તે સેચનક ગંધહસ્તી અને અઢાર સરના હાર માટે બે દૂતો મોકલ્યા. તેમનો ચેટકરાજાએ આ કારણે કરીને નિષેધ કર્યો. ત્યારપછી મેં ત્રીજો દૂત મોકલ્યો. તેને સત્કાર સન્માન કર્યા વિના પાછલા બારવડે કાઢી મૂક્યો. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે ચેટકરાજાની યાત્રા પ્રહણ કરવી-એની પાસે જવું તે શ્રેયકારક છે. અર્થાત્ તેની સાથે યુદ્ધ કરવું તે જ કલ્યાણકારક છે.” ત્યારપછી કાલાદિક દશ કુમારોએ કૃણિકરાજાના આ અર્થને વિનય વડે અંગી કાર કર્યો. ત્યારપછી તે કૂણિકરાજાએ કાલાદિક દશ કુમારોને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુ પ્રિયો ! તમે પોતપોતાના રાજ્યમાં જાઓ. અને સ્નાન વિગેરે યાવતુ પ્રાયશ્ચિત કરી શ્રેષ્ઠ હતીના અંધપર આરુઢ થઈ તમે દરેક દરેક ત્રણ હજાર હાથી, ત્રણ હજાર રથ, ત્રણ હજાર અશ્વ અને ત્રણ કરોડ મનુષ્ય સાથે પરિવર્યા સતા સર્વ સમૃદ્ધિવડે યાવતુ વાજિત્ર ના શબ્દવડે પોતપોતાના નગરમાંથી નીકળી. નીકળીને મારી પાસે પ્રગટ થાઓ-આવો. ત્યારપછી તે કાલાદિક દશ કુમારો કૂણિકરાજાના આ અર્થને સાંભળી પોત પોતાના રાજ્યને વિષે જઈ તે દરેકે દરેકે સ્નાનવિગેરે કર્યું યાવત ત્રણ કોટિ મનુષ્યની સાથે પરિવય સતા સર્વ સમૃદ્ધિવડે યાવતું વાજિત્રના શબ્દવડે પોતપોતાના નગરો માંથી નીકળ્યા. નીકળીને જ્યાં અંગદેશ હતો,જ્યાં ચંપાનગરી હતી અને જ્યાંકૂણિક રાજા હતો, ત્યાં આવ્યા અને બે હાથ મસ્તકે જોડી કૂણિકરાજાને વધાવ્યો. ત્યારપછી તે કૂણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીનેઆપ્રમાણેકહ્યું “હે દેવાનપ્રિયો ! શીધ પણે અભિષેક કરાયેલા હસ્તીરત્નને લાવો. અશ્વ, હાથી અને રથ વિગેરે ચતુરંગી સેના ને તૈયાર કરો. કરીને આ મારી આજ્ઞાને પાછી સોંપો.” તે સાંભળી તેમણે તેમ કર્યું યાવતુ તેની આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે કૂણિક રાજા જ્યાં સ્નાન કરવાનું ઘર હતું ત્યાં આવ્યો. યાવતુ ત્યાંથી નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં આવી ચાવતુ તે રાજા હસ્તીરત્ન ઉપર આઢ થયો. ત્યારપછી તે કુણીકરાજા ત્રણ હજાર હાથી ઓ સહિત યાવતુ વાજિંત્રના શબ્દસહિત ચંપાનગરીના મધ્યભાગે કરીને નીકળ્યો, નીકળીને જ્યાં કાલાદિક દશકુમારો હતા ત્યાં આવ્યો, આવીને કાલાદિક દશ કુમારોની સાથે એકત્ર મળ્યો. ત્યાર પછી તે કૂકિરાજા તેત્રીશ હજાર હાથી, તેત્રીશ હજાર અશ્વ, તેત્રીશ હજાર રથઅને તેત્રીશ કોટિ મનુષ્યની સાથે પરિવર્ષો સુતો સર્વ સમૃદ્ધિવડે યાવતુ વાજિત્રના શબ્દવડે સહિત શુભ એવા નિવાસસ્થાન અને ભોજન કરીને તેમ જ દુઃખ ઉપજે તેવા મોટા પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy