SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વખારી-૩ 165 મંગલ દ્રવ્યો ના નામો સ્વસ્તિક, શ્રીવત્સ નદિ કાવર્ણ વર્તમાનક, ભદ્રાસન, મત્સ્ય કળશ અને દર્પણ ત્યારબાદ પૂર્ણ કળશ જળ સંપૂરિત કળશ ભંગાર ઝારી તેમજ દિવ્ય પ્રધાન છત્રયુત પતાકાઓ યાવતુ પ્રસ્થિત થઈ. ત્યાર બાદ વૈડૂર્યમણિ નિર્મિત વિમલ દંડયુક્ત છત્ર પ્રસ્થિત થયું. ત્યાર બાદ સાત એકેન્દ્રિ યરત્નએ સર્વરત્નો યથાનુપૂર્વી ચાલ્યાં ત્યારબાદ પાતાળ માર્ગથી થઈને નવ મહાનિધિઓ પ્રસ્થિત થયા. ત્યારબાદ સોળ હજાર, દેવો યથાનુપૂર્વી ચાલ્યા. ત્યાર બાદ 32 હજાર મુકુટબદ્ધ રાજાઓ ચાલ્યાં ત્યારબાદ તેના પતિ રત્ન પ્રસ્થિત થયું. ત્યારબાદ ગાથાપતિરત્ન એનાં પછી વર્ધક રત્ન, એના પછી પુરોહિત રત્ન એ ત્રણ રત્નો ચાલ્યા. એ પુરોહિતરત્ન શાંતિ કર્મકારક હોય છે. સંગ્રામ માં પ્રહાર આદિથી પીડિત થયેલા સૈનિકોની મણિરત્નના જળના છાંટા થી એ રત્ન વેદનાને શાન્તિ કરે છે. હસ્તિરત્ન અને અશ્વરત્ન, સેનાની સાથે જ ચાલ્યાં. એથી એમના ગમનનું કથન અત્રે કરવામાં આવ્યું નથી. ત્યાર બાદ શ્રી રત્ન ચાલ્યું. ત્યાર બાદ 32 હજાર ઋતુકલ્યાણકારિણિઓ-રાજકુલોત્પન્ન કન્યાઓ ચાલી. જેમનો સ્પર્શ તુ વિપરીત-શીતકાળમાં ઉષ્ણ સ્પર્શરૂપ અને ઉષ્ણકાળમાં શીતસ્પર્શરૂપ થઈ જાય છે-ચાલી. એ સર્વકન્યાઓમાં એ ગુણજન્માન્તરોપચિતપ્રકષ્ટ પુણ્ય પ્રકૃતિના મહિ માંથી જેમ રાજકુળમાં ઉત્પત્તિ થઈ છે તેમજ ઉત્પન્ન થઈ જાય છે, ત્યાર બાદ 32 હજા૨ જનપદ કલ્યાણ કારિણીઓ ચાલી. ત્યાર બાદ ૩ર-૩ર પાત્રોથી આબદ્ધ 32 હજાર નાટકો ચાલ્યા. એ 32 હજાર રાજાઓ વડે પોતાની કન્યાઓના પાણિગ્રહણમહોત્સવમાં કરમોચનના સમયમાં ચક્રવર્તીને એક-એક નાટક આપવામાં આવે છે. એ નાટકો પછી 30 સૂપકારો પાચકજનો-પ્રસ્થિત થયા. ત્યાર બાદ 1.8 શ્રેણિપ્રશ્રેણિજનો પ્રસ્થિત થયા. 18 પ્રશ્રેણિઓ આ પ્રમાણે કુંભકાર- પટેલ- સુવર્ણ કાર- સૂપકાર ગંધર્વ, નાપિત માળી કચ્છકર તાંબૂલિક ચર્મકાર યગ્ન પાલક તેલી પ્રન્થિક ઝિંપક કેશકર સીવક-દજી ગોપાલ ભરવાડ ભિલ્લ ધીવર એ 9 પ્રકારના નાર્કો કહેવામાં આવ્યા છે. ત્યારબાદ 84 લાખ ઘોડાઓ પ્રસ્થિત થયા. ત્યારબાદ 96 કરોડ જેટલી માનવ મેદિની પદાતીઓની ચાલી. એ જનસમૂહ પછી અનેક રાજાઓ માંડ વિકજનો, ઈશ્વર યુવરાજ તલવર, નગર રક્ષક યાવતુ સાર્થવાહ વગેરે લોકો ત્યાર બાદ અનેક અસિ તલવાર ગ્રાહીજનો, અનેક યષ્ટિગ્રાહીજનો, અનેક મલ્લધારીજનો અનેક ધનુ રીજનો. અનેક ધ્વોપકરણધારીજનો અનેક ફભલગ્રાહીજનો, અનેક પરશુ ગ્રાહી જનો, અનેક શુભાશુભ પરિજ્ઞાનને જાણવામાટે પુસ્તકોને લઈ ને ચાલનારાજનો, અનેક વીણા ધારીજનો અનેક તેલ આદિના કુતુપો લઈને ચાલનારા જનો અનેક સોપારી વગેરે રૂપ પાનની સામગ્રી ભરીને ડબ્બાઓ લઈને ચાલનાર જનો તેમજ અનેક દવાઓ ને લઇ ને ચાલનારા જનો કે જેઓ પોત-પોતાના કાર્ય ને અનુરૂપ વેશભૂષાથી સુસજ્જ હતા અને પોતાના નિયોગ માં અશૂન્ય હતા ચાલ્યા. ત્યારબાદ અનેક દંડધારી જનો, અનેક મુંડી જનો અનેક શિખડીઓ અનેક જયધારી જનો. અનેક મયૂર વગેરેના પિચ્છોને ધારણ કરનાર લોકો અનેક હસાવનારા લોકો અનેક ધૂત આદિમાં પ્રવૃત્તિ કરનારા લોકો અનેક ચાટુકારી ખુશામદ કરનારા લોકો અનેક કામકથા કરનારા, લોકો, અનેક કૌત્કચ્ય-કાયાની કુચેષ્ઠા કરનારા-ભાંડજન, અનેક વાચાલ જનો, મનોજ્ઞવેષ વગેરેથી પોતાની જાતને અને બીજાઓને સુસજ્જિત કરતા, તથા જય જય શબ્દોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy