SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ 68 જીવાજીવાભિગમ- 3.147 દ્વીપોના પરિક્ષેપનું પ્રમાણ 125 યોજનનું છે. આદર્શ મુખ વિગેરે દ્વીપોના પરિક્ષેપનું પ્રમાણ ૧પ૮૧ યોજનાનું છે. તથા પરિધિનું પ્રમાણ અહિંથી બધે તે કંઈક વિશેષાધિક છે. [148] અવગાહનામાં વિખંભમાં, અને પરિક્ષેપમાં દરેકની અપેક્ષાથી જુદ્ધ પણ આવે છેં. તેમાં પહેલાં બીજા, ત્રીજા અને ચોથાના અવગાહ આયામ વિખંભ અને પરિક્ષેપને લઈને અહીંયાં સૂત્રમાંજ સ્પષ્ટતા કરી છે. એજ ચોથા ચતુઝકના અશ્વમુખ વિગેરે દ્વીપો ની લંબાઈ પહોળાઈ છસો છસો યોજનની છે. અને પરિધિ 1897 અઢાર સો સત્તાણ યોજનાથી કંઈક વધારે છે. પાંચમાં ચતુષ્કમાં અશ્વકર્ણ વિગેરે દ્વીપોની લંબાઈ પહોળાઈ સાતસો યોજનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે 2213 બાવીસસો તેર યોજન નો છઠ્ઠા ચતુષ્કમાં ઉલ્કામુખ વિગેરે દ્વીપેની લંબાઈ પહોળાઈ આઠસો યોજનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે પચ્ચીસસો ઓગણત્રીસ 2529 યોજનનો છે. સંતમાં ચતુષ્કમાં લંબાઈ પહોળાઈ નવસો યોજનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે 2845 યોજનનો છે. [149 જે ચતુષ્કનો જેટલો વિખંભ છે, તે ચતુષ્કની એટલી જ અવગાહના છે. પહેલા વિગેરે ચતુષ્કનો પરિક્ષેપ જેટલો કહેલ છે, તેના પરિક્ષેપ પ્રમાણમાં અધિકપણું થતું જાય છે. શેષ બધા દ્વીપોનું કથન એકોરૂક દ્વીપના કથન પ્રમાણેનું સમજી લેવું ૧૫]હે ભગવન્! ઉત્તર દિશાના એકોરૂક મનુષ્યોનો એકોરૂક નામનો દ્વીપ કયાં કહેવામાં આવેલ છે ? જેબૂદ્વીપ નામના આ દ્વીપમાં જે સુમેરૂ પર્વત છે તેની ઉત્તર દિશામાં શિખરી નામનો જે વર્ષધર પર્વત છે તેની ઈશાન દિશાના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન ચાલવાથી જેમ દક્ષિણ દિશાના એકરૂક મનુષ્યોનો દ્વીપ કહેલ છે, તેજ રીતથી ઉત્તર દિશાના એકરૂક મનુષ્યોનો પણ એકોરૂક નામનો દ્વીપ કહેવામાં આવેલ છે. એ ઉત્તર દિશાનો અંતરદ્વીપ શિખરી પર્વતની દાઢાઓ પર આવેલ છે. અને તે તેની વિદિઓમાં છે. શુદ્ધતદ્વીપ પર્યન્તના બધા મળીને અઠ્યાવીસ અંતરદ્વીપો અહિં કહેલ છે. તે બધાનું વર્ણન દક્ષિણ દિશાના અંતર દ્વીપોના વર્ણન પ્રમાણેજ છે. [૧પ૧]હે ભગવનું અકર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે ? અકર્મભૂમિના મનુષ્યો ત્રીસ પ્રકારના કહેવામાં આવેલ પાંચ પ્રકારના હૈમવતક્ષેત્રના મનુષ્યો જ પાંચ હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય, પાંચ હરિવર્ષ ક્ષેત્રના મનુષ્ય, પાંચ રમ્યકક્ષેત્રના મનુષ્ય, પાંચ દેવકરૂના મનુષ્યો અને પાંચ ઉત્તરકુરૂના મનુષ્યો આ ત્રીસ અકર્મભૂમિ છે. આ અકર્મભૂમિયોમાં ઉત્પન્ન થયેલા જે મનુષ્યો છે, તેઓ અકર્મભૂમક મનુષ્યો કહેવાય છે. આનું સવિસ્તાર કથન પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપના પદમાં કરવામાં આવેલ છે. હે ભગવત્ કર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના કહ્યા છે? પંદર પ્રકારના છે. પાંચ ભરત ક્ષેત્રના, પાંચ ઐરાવતક્ષેત્રના, પાંચ મહાવિદેહ ક્ષેત્રના આ કર્મભૂમિના મનુષ્યો સંક્ષેપથી બે પ્રકારના થાય છે. આર્ય અને સ્વેચ્છ, પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પ્રજ્ઞાપના પદમુજબ આ સર્વ વર્ણન જાણી લેવું. આ રીતે મનુષ્યોનુ નિરૂપણ અહીં પુરુ થયું પ્રતિપત્તિ ૩-“મનુષ્ય”-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (પ્રતિપત્તિ ૩-દેવ”). [૧પ૨] હે ભગવનુ દેવ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે? હે ગૌતમ! દેવો ચાર પ્રકારના છે, ભગવનવાસી, વાનવન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy