SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષત્તિ-૩, તિર્યંચ ઉદેસોર 3 પદમાં પૃથ્વીકાયિકોના ભેદોના વર્ણન-અનુસાર સમવું. આ પ્રમાણે બાદર પૃથ્વીકાયિ કાયિક જીવોના સંબંધમાં આ વર્ણન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનું વર્ણન વનસ્પતિકાયિકના કથન પર્યન્ત સમજી લેવું હે ભગવનું ત્રસાયિક જીવોના કેટલા ભેદો કહ્યા છે. ત્રસકાયકજીવો ચાર પ્રકારના કહ્યા બે ઈદ્રિયવાળા જીવો, વાવતા પાંચ ઈદ્રિય વાળા જીવો બે ઈકિયાવાળા જીવો. અનેક પ્રકારના કહ્યા છે. આ બધા જીવોનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાંથી લઈને કહી લેવું જોઈએ [13] હે ભગવનું પૃથ્વી કેટલા પ્રકારની કહેવામાં આવી છે? પૃથ્વી છ પ્રકારની કહેવામાં આવી છે. ગ્લક્ષણ પૃથ્વી, શુદ્ધપૃથ્વી તાલુકા પૃથ્વી, શર્કરાપૃથ્વી, મનશિલા પૃથ્વી પરપૃથ્વી છે. ભગવનું લક્ષ્ય પૃથ્વીની સ્થિતિ કેટલા કાળ ની કહેવામાં આવી છે? જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે અને ઉત્કૃષ્ટથી તે એક હજાર વર્ષની કહેવામાં આવી છે. શુદ્ધ પૃથ્વીની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે. અને ઉત્કૃષ્ટથી બાર હજાર વર્ષની કહેલ છે. વાલુકાપ્રભ પૃથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્ત ની અને ઉત્કૃષ્ટથી ચૌદહારવર્ષની કહેલ છે.મનઃશિલાપૂથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહુર્તની સ્થિતિ કહી છે. અને ઉત્કૃષ્ટથી સોળ હજાર વર્ષની છે. શર્કરા પ્રભા પૃથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી અઢાર હજાર વર્ષની કહેવામાં આવી છે. ખર પૃથ્વીના જીવોનીસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષની કહી છે. હે ભગવનું નૈરયિક જીવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? ગૌતમ! નારક જીવોની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની કહી છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની કહેવામાં આવી છે. આ જ પ્રમાણે ચોવીસ દંડકના ક્રમથી અહિયાં પ્રજ્ઞા પના સૂત્રમાં કહેલ સ્થિતિ પદ પ્રમાણે સવર્થ સિદ્ધના દેવો સુધીની સ્થિતિનું નિરૂપણ કરી લેવું. હે ભગવનું જીવ જીવપણાથી કેટલા કાળ સુધી રહે છે ? હે ગૌતમ ! નારક જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી દસ હજાર વર્ષનો છે, અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમનો છે. તિર્યંગ્યોનિકજીવનો કાળ જઘન્યથી અંતમુહૂર્તનો છે એ ઉત્કૃષ્ટથી. અનંતકાળ રૂપ છે. પૃથ્વીકાયિક જીવ પૃથ્વી કાયિકપણાથી સર્વકાળ વર્તમાન રહે છે. આજ પ્રમાણે વનસ્પતિકાયિક જીવની, અને સામાન્ય ત્રસકારિક જીવની કાયસ્થિતિનો કાળ પણ સમજી લેવો [13] હે ભગવન્! જેટલા નવા પૃથ્વી કાયિક જીવો વિવક્ષિત કાળમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી ઉત્પન્ન થાય છે, તે બધાજ જીવો કેટલા કાળ પછી જો તેઓમાંથી એક એક સમયમાં એક એક જીવ બહાર કાઢવામાં આવે તો પૂરે પૂરા બહાર કાઢી શકાય? હે ગૌતમ ! જઘન્ય અપેક્ષાથી જો તેઓમાંથી પ્રત્યેક સમયમાં એક એક જીવ બહાર કાઢવામાં આવે, તો પૂરેપૂરા તેઓને બહાર કાઢવામાં અસંખ્યાત ઉત્સર્પિણીયો અને અસંખ્યાત અવસર્પિણીયો પૂરી થઈ જાય છે. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટથી જઘન્ય પદવાળા ઉત્પન્ન થનારા નવા નવા પૃથ્વી કાયિક જીવોની અપેક્ષાથી જે ઉત્કૃષ્ટ પદ વર્તી નવા નવા પૃથ્વીકાયિક જીવો ઉત્પન્ન થાય છે, તેઓ અસંખ્યાત ગણા વધારે હોય છે. કેમકે જઘન્ય અને ઉત્કૃષ્ટ પદોમાં બન્ને સ્થળે અસંખ્યાત પદ હોવા છતાં પણ જઘન્ય પદમાં કહેલ અસંખ્યાત ની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પદમાં કહેલ અસંખ્યાતગણું વધારે હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy