SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, નૈરયિક ઉદ્દેસી-૧ 45 20 હજાર યોજનનો છે,તેના જ્યારે કેવલીની બુદ્ધિથી ક્ષેત્રછેદનપણાથી વિભાગ કરવામાં આવે તો ઉપર પ્રમાણે જાણવું યાવતુ સાતમી નારકી સુધી આ પ્રમાણે જાણવું. [9] હે ભગવનું જે આ રત્નપ્રભા પૃથ્વી છે, તે કેવા પ્રકારના સંસ્થાન વાળી કહેલ છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ઝલ્લરીના આકાર જેવી છે જે બરકાંડ છે, તે ઝાલરના જેવા ગોળ આકારવાળો કહ્યો જે રત્નકાંડ છે, તે ઝાલરના આકાર જેવા ગોળ છે રત્નકાંડના કથન પ્રમાણે યાવતુ રિષ્ટ કાંડપણ ઝાલરના આકાર જેવાજ કહેલ છે. બરકાંડ વિગેરેના કથન પ્રમાણે પંકબહુલકાંડ અબ્બેહુલમંડ ધનોદધિ ધનવાત તનુવાત છે, અવકાશાન્તર પણ ઝાલરના જેવાજ આકાર વાળું કહેવામાં આવેલ છે. શર્કરપ્રભાઇ પૃથ્વી પણ ઝાલરના આકાર જેવાજ આકારવાળી કહી છે. એ જ પ્રમાણે યાવતુ તમસ્તમાં પ્રભાના સુધી સમજવું ૯હે ભગવનું આ રત્નપ્રભા નમની જે પૃથ્વી છે એ પૃથ્વીની પૂર્વદિશાના ચર માંતથી કેટલે દૂર લોકાન્ત- કહ્યો છે ? પૂર્વદિશામાં રહેલ ચરમાંતથી બાર યોજન પછી લોકનો અંત અલોક કહ્યો છે. એ જ પ્રમાણે દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં બાર બાર યોજનનો અપાન્તરાલ છે. તેર યોજન દૂર બે ભાગ સહિત બાર યોજન દૂર લોકનો અંત કહેલ છે. તાલુકાપ્રભાની પૂર્વદિશામાં આવેલા ચરમાંતથી ત્રીજા ભાગ સહિત તેર યોજન પછી લોકનો અંત કહેલ છે. એકપ્રભાની પૂર્વદિશાના ચરમાન્ત થી ચૌદ યોજના પછી લોકનો અંત છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વી છે, તેની ચારે દિશામાં આવેલ ચરમાન્ત થી ત્રીજા ભાગ કમ પંદર યોજન પછી લોકનો અંત કહ્યો છે. છઠ્ઠી પૃથ્વીની ચરમાન્સથી ત્રીજાભાગ સહિત પંદર યોજન પછી લોકનો અંત છે. સાતમી પૃથ્વીની ચરમાન્તથી પૂરા સોળ યોજન પછી લોકનો અંત કહ્યો છે. હે ભગવનું આ રત્ન પ્રભા પૃથ્વીની પૂર્વદિશામાં આવેલ જે ચરમાન્ત છે, ત્યાં સુધી અને અલોકની પહેલાં જે અપાંતરાલ છે તે કેટલા પ્રકારનો કહેલ છે?એ અપાન્તરાલ ત્રણ પ્રકારનું કહેલ છે.વલયકારઘનોદધિ, વલયાકારધનવાત વલયાકાર તનુવાત એ જ રીતે શર્કરપ્રભા આદિ સાતેમાં સમજવું [0] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો ઘનોદધિવલય રત્નપ્રભા પૃથ્વીની સઘળી દિશાઓ અને વિદિશાઓના ચરમાન્તરમાં જે ધનોદધિવલય છે, તે તિર્યમ્બા હલ્યની અપેક્ષાએ કેટલો મોટો કહેલ છે? હે ગૌતમ ! તે તિબાહલ્યની અપેક્ષાથી છ યોજનની મોટાઈ વાળો કહેલ છે. શર્કરપ્રભા પૃથ્વીનો તે યોજનના ત્રીજા ભાગ સહિત છ યોજનનો કહેલ છે. યોજનના ત્રીજા ભાગથી ઓછ સાત યોજનાની મોટાઈવાળો કહેલ છે. ધૂમપ્રભા પૃથ્વીનો ત્રીજા ભાગ સહિત સાત યોજનન કહેલ છે. તમ.પ્રભા પૃથ્વીનો ત્રીજા ભાગ કમ આઠ યોજનનો કહેલ છે. સાતમી તેનો ધનોદધિવલય તિર્ગબાહલ્યની અપેક્ષાથી આ યોજનાનો કહ્યો છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો જે ધનવાલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી કેટલો વિશાળ કહ્યો છે? હે ગૌતમ! સાડાચાર યોજના નો કહ્યો છે. શર્કરપ્રભા પૃથ્વીનો એક કોસ કમ પાંચ યોજનનો, વાલુકાપ્રભા પૃથ્વીનો * પાંચ યોજનાનો કહેલ છે પંકપ્રભા પૃથ્વીનો એક કોસ અધિક પાંચ યોજનનો ધૂમપ્રભા પૃથ્વીનો સાડા પાંચ યોજનનો. તમપ્રભા પૃથ્વીનો એક કોશ કમ છ યોજનનો, અધઃ સપ્તમી પૃથ્વીનો ધનવાતવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી છ યોજન નો વિશાળ કહ્યો છે. હે ભગવનું રત્નપ્રભા પૃથ્વીમાં જે તનુવાતવલય છે, તે તિર્યમ્બા હલ્યની અપેક્ષાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy