SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 36 જીવાવાભિગમ - 2-67 અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની જે પ્રમાણોની સ્થિતિ કહેલી છે, એ જ પ્રમાણોની સ્થિતિ યાવતુ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોની પણ સમજવી. ઈત્યાદિ હે ભગવનું નપુંસક જો પોતાના નપુંસકભાવનો પરિત્યાગ ન કરે તો તે ક્યાં સુધી, ત્યાગ નથી કરતા? હે ગૌતમ! નપુંસ કોની કાયસ્થિતિ જઘન્યથી એક સમયની છે, અને ઉત્કરથી વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળની છે. નૈરયિક નપુંસકોની કાયસ્થિતિ જઘન્યથી તો દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની છે. એજ પ્રમાણે પૃથ્વીકાયિકોની સ્થિતિ કહેવી જોઈએ. નપુંસક જો તિર્થગ્લોનિક નપુંસકપણાથી. થતા રહે તો તે ઓછામાં ઓછાં એક સમય સુધી થાય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ એટલે કે અનંતકાળ સુધી થતા રહે છે. આ જ પ્રમાણે તિર્યગ્લોનિક નપુંસકોમાં એક ઇન્દ્રિયવાળા નપુંસક જીવોની કાયસ્થિતિનું કાળમાન છે. વિશેષની અપેક્ષાથી વનસ્પતિકાયિક એક ઈન્દ્રિયવાળા નપુંસકોની કાયસ્થિતિનો કાળમાન પણ સામાન્યતઃ એક ઇન્દ્રિયવાળીની કાયસ્થિતિના કાળમાન પ્રમાણે જ છે, પૃથ્વી કાયિક અપકાયિક તે ઉકાયિક અને વાયુકાયિકોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળની છે, આમાં કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષા અંસખ્યાતલોક સમાપ્ત થઈ જાય છે, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા નપુંસકોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કટથી અસંખ્યાતકાળની છે. પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસક જીવોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી પૂવકોટિ પૃથકત્વની છે. પાંચ ઇન્દ્રિય વાળા તિર્થગ્યોનિનપુંસક જીવની જેમ જલચર તિર્થગ્યો, સ્થલચર ઉરપરિસર્પ ભુજપરિસર્ષ અને મહોરગ આ નપુંસકોની કાયસ્થિતિ પણ જઘન્યથી એક અંતર્મુહૂર્ત ની છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથર્વની છે. ક્ષેત્રની અપેક્ષાથી મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિનો કાળમાન ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્તનો છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથક્વનો છે, ચારિત્રધર્મની અપેક્ષાથી મનુષ્ય નપુંસકની કાયસ્થિતિનું પ્રમાણ જધન્ય થી એક સમયનું છે, અને ઉત્કૃષ્ટથી કંઇક ઓછું પૂર્વકોટિ છે. બન્ને સ્થાનોની ભાવના પહેલા કહ્યા પ્રમાણેની સમજી લેવી. સામાન્ય નપુંસકની જેમજ કર્મભૂમિના જે મનુષ્ય નપુંસકો છે, તેઓની પણ કાયસ્થિતિ સમજવી. અકર્મભૂમિક મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ જન્મની અપેક્ષાથી ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પૃથક્વ છે, સંહરણની અપેક્ષાથી તેઓની કાય સ્થિતિનો કાળ જઘન્ય થી એક અંતમુહૂર્તનો છે. કેમ કે ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિનું છે. સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની જેવી કાયસ્થિતિ છે,એજ પ્રમાણોના બધા ની જ યાવતુ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિ જન્મની અપેક્ષાથી અંતર્મુહૂર્ત પૃથકત્વની છે. તથા સંહરણની અપેક્ષાથી તેઓની કાયસ્થિતિ સુધન્યથી એક અંત મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિની છે. નપુંસક જીવને નપુંસક વેદથી છૂટયા પછી ફરી પાછા નપુંસક થવામાં જઘન્ય એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટ સાગરોપમ શત પૃથક્વનું છે. પુરૂષ અને નપુંસકની કાયસ્થિતિ ક્રમથી ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથક્ત હોય છે. નૈરયિક નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તરૂકાળ પ્રમાણ એટલે કે-અનંતકાળનું છે. રત્નપ્રભા નૈરયિક નપુંસકોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy