SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ 17 પ્રતિપત્તિ -3, દ્વીપસમુદ્ર સંબંધી કથન ગોસ્તૂપ આવાસ પર્વતના કથન પ્રમાણે છે. ગૌતમ! આ દગાસીમ નામના આવાસ પર્વત પર શીતા અને શીતોદા માહનદીયોનો જલ પ્રવાહ વહેતો રહે છે. તેથી જલની સીમાનો કર્યા છે, તેનું નામ દગસીમ આવાસ પર્વત એ પ્રમાણે થયેલ છે. અથવા હે ગૌતમ ! આ દકસીમ એ નામ અનાદિ કાળભાવી છે. ત્રિકાલસ્થાયી ધ્રુવ નિયત, અવ્યય, યાવત્ નિત્ય છે. આ પર્વત પર મહર્તિક વિગેરે વિશેષણોવાળા મનશિલક નામના દેવ રહે છે. હે ભગવન્! મનઃશિક વેલંધર નાગરાજની મનશિલા નામની રાજધાની કયાં આવેલ છે ? હે ગૌતમ ! દકસીમ આવાસ પર્વતની ઉત્તર દિશામાં તિર્યકુ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને ત્યાં આવેલ બીજા લવણ સમુદ્રમાં 1200 યોજન પછી મનઃશિલા નામની રાજધાની આવેલી છે. તેનું વર્ણન વિજયા રાજધાનીના વર્ણન પ્રમાણે છે. [20] ગોસ્તૂપ પર્વત કનકમય છે. દકભાસ અંક રત્નમય છે. શંખ રજતમય છે. અને દકસીમ સ્ફટિકમય છે. પરંતુ જે મહાવેલંધર દેવ છે એ દેવોના અનુયાયી જે વેલંધર દેવ છે તેના જે આવાસ પર્વતો છે. તે રત્નમય છે. [207 હે ભગવનું અનુવેલંધર રૂપ નાગ રાજા કેટલા કહેલા છે? હે ગૌતમ! રાજા, ચાર કહેલા છે. કર્કોટક, કર્દમ, કૈલાસ, અને અરૂણપ્રભ આ ચાર અનુલંધર નાગરાજા ઓના કેટલા આવાસ પર્વતો કહેલાં છે? હે ગૌતમ ! ચાર આવાસપર્વતો કહેલા છે. કર્કોટક, કર્દમ, કૈલાસ અને અરૂણપ્રભ. જંબૂઢીપ નામના દ્વીપ માં જે મંદર પર્વત છે, એ મંદર પર્વતની ઈશાન દિશામાં લવણસમુદ્રમાં 42000 યોજન આગળ જવાથી કર્કોટક નાગરાજનો કટક નામનો આવાસ પર્વત કહેલ છે. આ પર્વત 1721 યોજન ઉંચો છે. આ પ્રમાણેનું જેવું પરિમાણ વિગેરે ગોસ્તંભ પર્વતનું કહેલ છે, એ જ પ્રમાણેનું આ કર્કોટક નામના પર્વતનું પરિમાણ વિગેરે કથન સમજી લેવું. આ કકોંટક પર્વતપર નાની મોટી અનેક વાવ છે. યાવતુ બિલ પક્તિયો છે, એ બધામાં અનેક ઉત્પલો યાવતુ લાખ દલવાળા કમળો છે. એ બધાનો આકાર કકટકના જેવો છે, અને કોટકના જેવો જ તેનો વર્ણ છે. એ કારણથી આ પર્વતનું નામ કકટક એ પ્રમાણે કહેલ છે. તથા આ પર્વત પર કર્કોટક એ નામના એક દેવ પણ રહે છે જે તો આ દેવના સંબંધને લઈને પણ આ પર્વતનું નામ કર્કોટક એ પ્રમાણે છે. કર્કોટક અનુવલંધર નાગરાજની કર્કોટક નામની રાજધાની કર્કોટક પર્વતની ઈશાન દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને ત્યાં આવેલ અન્ય લવણ સમુદ્રમાં 12000 યોજન પ્રમાણ આગળ જવાથી આવે છે. કમક અનુવલંધર નાગરાજના સંબંધમાં પણ એજ પ્રમાણેનું તમામ કથન કરી લેવું. જંબૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે. તેની આગ્નેય દિશામાં લવણ સમુદ્રમાં 42000 યોજન આગળ જવાથી કદમક અનુવેલંધર નાગરાજનો કર્દમક નામનો આવાસ પર્વત છે. ગોસ્તૂપાવાસ પર્વતની જેમજ અહીયા કર્દમની રાજધાનીનું ઇત્યાદિ જાણવું. કૈિલાસના સંબંધમાં પણ આ જ પ્રમાણેનું વર્ણન સમજવું. જંબુકીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે એ મંદર પર્વતની નૈઋત્ય દિશમાં લવણ સમુદ્રમાં ૪ર૦૦૦ યોજના આગળ જવાથી કિલાસ અનુલંધર નાગરાજનો કૈલાસ એ નામનો આવાસપર્વત છે. તેની ઉપર મહદ્ધિક કેલાસ નામનો દેવ રહે છે. કૈલાસ પર્વતની નૈઋત્ય દિશામાં કૈલાસ નામની રાજધાની છે. અરૂણપ્રભના સંબંધમાં પણ એ જ પ્રમાણેનું કથન સમજી લેવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy