SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ 89 શતક-૩, ઉદેસો-પ અનગાર, એક મોટા ઘોડાના રૂપને અભિયોજી અનેક યોજનો સુધી જવાને સમર્થ છે? ગૌતમ ! તે તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! શું આત્મઋદ્ધિથી જાય છે, પારકી ઋદ્ધિથી જાય છે? હે ગૌતમ! આત્મ-દ્ધિથી જાય પારકી ઋદ્ધિથી જતો નથી. પોતાના કર્મથી જાય પારકાના કર્મથી જતો નથી, પોતાના પ્રયોગથી જાય પારકાના પ્રયોગથી જતો નથી. તથા તે સીધો પણ જઈ શકે વિપરીત પણ જઈ શકે છે. હે ભગવન્! શું તે અનગાર અશ્વ કહેવાય છે ગૌતમ! તે અનગાર છે. પણ ઘોડો નથી. એ પ્રમાણે શરભના રૂ૫ સુધીના બધા આરોપસંબંધી જાણવું. હે ભગવન્! શું તે વિકુવણ માયી અનગાર કરે. કે અમાયી અનગાર પણ કરે ? હે ગૌતમ ! તે વિફર્વણા માયી અનગાર કરે અમાયી અનગાર ન કરે. હે ભગવન્! તે પ્રકારનું વિતુર્વણ કર્યા પછી તે સંબંધી આલોચન કે પ્રતિક્રમણ કર્યા સિવાય જે તે વિકુવણ કરનાર માણી કરનાર માયી સાધુ કાળ કરે, તો તે ક્યો ઉત્પન થાય? હે ગૌતમ ! તે સાધુ, કોઈ એક જાતના અનાભિયોગિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય? હે ભગવન્! તે એ પ્રમાણે છે, [૧૦]સ્ત્રી, તરવાર, પતાકા, જનોઈ અને પર્યકાસન, એ બધાં રૂપોનો અભિયોગ અને વિકુવણ માયી સાધુ કરે એ હકીકત આ ઉદ્દેશકમાં છે | [શતક ૩ના ઉદ્દેસા-પની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (ઉદસો-) [191] હે ભગવન્! રાજગૃહ નગરમાં રહેલો મિથ્યાવૃષ્ટિ અને માયી-કષાયી ભાવિતાત્મા અનગાર વીયલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને વિર્ભાગજ્ઞાનલબ્ધિથી વાણારસી નગરીનું વિતુર્વણ કરીને (તગત) રૂપોને જાણે, જૂએ? હે ગૌતમ ! હા, તે, તે રૂપોને જાણે અને જૂએ. હે ભગવન્! શું તે તથાભાવે જાણે અને જૂએ, કે અન્યથાભાવે જુએ છે? હે ગૌતમ! તે તે તથાભાવે ન જાણે અને ન જૂએ, પણ અનયથાભાવે જાણે અને જૂએ. હે ભગવન્! તેમ થવાનું શું કારણ? હે ગૌતમ! તે સાધુના મનમાં એમ થાય છે કેવારાણસીમાં રહેલો હું રાજગૃહ નગરની વિદુર્વણા કરીને તદ્ગત) રૂપોને જાણું છું અને જોઉં છું. એવું તેનું દર્શન વિપરીત હોય છે માટે આ કારણથી-તે, અન્યથા. ભાવે જાણેજૂએ છે. હે ભગવન્! વારાણસીમાં રહેલો માયી, મિથ્યાદ્રષ્ટિ ભાવિતાત્મા અનગાર યાવતુ-રાજગૃહ નગરનું વિદુર્વણ કરીને (તદ્ગત) રૂપોને જાણે અને જૂએ? હે ગૌતમ ! હા, તે તે, રૂપોને જાણે અને જૂએ. યાવતુ તે સાધુના મનમાં એમ થાય છે કે, રાજગૃહ નગરમાં રહેલો હું વારાણસી નગરીની વિકુવણા કરીને રૂપોને જાણું છું અને જોઉં છું એવું તેનું દર્શન વિપરીત હોય છે માટે આ હેતુથી તે અન્યથાભાવે જાણે છે અને જુએ છે. હે ભગવન્! માયી મિથ્યાવૃષ્ટિ ભાવિતાત્મા અનગાર વીર્યલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને વિર્ભાગજ્ઞાનલબ્ધિથી વારાણસી નગરી અને રાજગૃહ નગરની વચ્ચે એક મોટા મનુષ્ય સમુદ્યયની વિકુણા કરે અને તેમ કર્યા પછી તે વારાણસી નગરી અને રાજગૃહ નગરની વચ્ચે એક મોટા જનસમૂહ વર્ગને જાણે અને જૂએ? હે ગૌતમ ! હા, તે તેને જાણે અને જૂએ? હે ભગવન્! શું તે, તેને તથાભાવે જાણે જૂએ, કે અન્યથાભાવે જાણે જૂએ. હે ગૌતમ ! તે, તેને તથાભાવે ન જાણે અને ન જૂએ, પણ અન્યથાભાવે જાણે અને જૂએ. હે ભગવન્! તે પ્રકારે જાણે અને જૂએ. યાવતુ-તેનું શું કારણ? હે ગૌતમ! તે સાધુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy