SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, 199 પુદ્ગલોથી બનેલા શરીરોવાળા હોય છે, તે જીવ કર્મને વશીભૂત થઈ ત્યાં ઉત્પન્ન થાય છે તેમ શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે. [9] શ્રી તીર્થકરે વનસ્પતિના અન્ય પણ ભેદ વર્ણવ્યા છે. આ લોકમાં કોઈ જીવ વૃક્ષથી ઉત્પન્ન થાય છે; વૃક્ષમાં સ્થિત રહે છે. તથા વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે વૃક્ષથી ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત અને તેમાં જ વૃદ્ધિ પામતા જીવ કર્મને વશીભૂત. બનીને કર્મથી પ્રેરિત બનીને વનસ્પતિ કાયમાં આવી વૃક્ષથી ઉત્પન્ન વૃક્ષમાં અધ્યારૂહ વનસ્પતિના રૂપમાં ઉત્પન્ન હોય છે. તે જીવ તે વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય પર્વતના શરીરના રસનો આહાર કરે છે. તેવો આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. તે વૃક્ષયોનિક અધ્યારૂપ વૃક્ષોના વિવિધ પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા અનેકવિધ રચનાવાળા બીજ શરીરો પણ હોય છે. તે તે શરીરને જીવપૂર્વના કર્મ અનુસાર પ્રાપ્ત કરે છે, એમ તીર્થકરો કહે છે. [s8 શ્રી તીર્થંકરદેવે વનસ્પતિકાયના અન્ય ભેદ પણ કહ્યા છે. કોઈ પ્રાણી અધ્યારૂહ વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે, તેઓમાંજ સ્થિત રહે છે અને તેઓમાંજ વૃદ્ધિ પામે છે. તે જીવ કર્મથી પ્રેરાઈ ત્યાં આવી વૃક્ષથી ઉત્પન્ન અધ્યારૂહ વૃક્ષમાં અધ્યારૂહ રૂપથી ઉત્પન્ન થાય છે. તે જીવ અધ્યારૂહયોનિક અધ્યારૂહ વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરના રસનો પણ આહાર કરે છે અને આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. તે અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના અનેક વર્ણ ગંધ, રસ, સ્પર્શ અને રચનાવાળા બીજા શરીરો પણ હોય છે. 681 શ્રી તીર્થંકરદેવે વનસ્પતિ કાયના અન્ય ભેદ પણ કહ્યા છે. આ લોકમાં કોઈ જીવ અધ્યારૂહ વૃક્ષોથી ઉત્પન્ન હોય છે. અને તેમાં સ્થિત રહે છે અને તેનાથી જ વૃદ્ધિ પામે છે. તે જીવ કર્મથી પ્રેરાઇ ત્યાં આવે છે અને અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષોમાં અધ્યારૂહ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના રસનો આહાર કરે છે તે જીવ પૃથ્વી, જલ, તેજ, વાયુ, વનસ્પતિનો પણ આહાર કરે છે. આહાર કરીને પોતાના રૂપે પરિણાવે છે. તે અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના મૂળ અને બીજ આદિના વર્ણ, ગંધ, રસ સ્પર્શ અને રચનાવાળા બીજા શરીર પણ હોય છે, તેમ ભગવાને કહ્યું છે. [682 શ્રી તીર્થંકરદેવે વનસ્પતિના બીજા પણ ભેદ કહ્યા છે. આ જગતમાં કોઈ કોઈ જીવ અધ્યારૂહ વૃક્ષોથી ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિત રહે છે અને તેમાંજ વૃદ્ધિ પામે છે. તે પોતાના પૂર્વકૃત કર્મથી ત્યાં આવે છે અને અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષોમાં મૂળ તથા કન્દ આદિથી લઈ બીજ સુધીનારૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અધ્યારૂહ યોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. અધ્યારૂહ યોનિક મૂળ અને બીજ આદિના અનેક વર્ષ –ગન્ધ-રસ અને સ્પર્શવાળા બીજા શરીરો પણ હોય છે, તેમ શ્રી તીર્થકરોએ કહેલ છે. [683] શ્રી તીર્થકર ભગવાને વનસ્પતિકાયનો અન્ય પણ ભેદ કહ્યો છે. તે આ પ્રમાણે-કોઈ પ્રાણી પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિત રહે છે. તેમાં વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામીને અનેક પ્રકારની જાતિવાળી પૃથ્વીના રસનો આહાર કરે છે. તે જીવ કર્મથી પ્રેરાઈ તૃણયોનિમાં ઉત્પન્ન થાય છે. એમ શ્રી તીર્થંકર ભગવાને કહ્યું છે. [684] આ પ્રમાણે કોઈ પ્રાણી પૃથ્વીયોનિક તૃણોમાં તૃણરૂપથી ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005062
Book TitleAgam Deep 02 Suyagado Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy