SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 148 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬, સર્વ મુનિઓમાં પ્રધાન હતા. જેમ સમુદ્રોમાં સ્વયંભુરમણ સમુદ્રપ્રધાન છે, નાગોમાં ધરણેન્દ્ર ઉત્તમ છે અને રસવાળા પદાર્થોમાં ઈક્ષરોદક સમુદ્ર શ્રેષ્ઠ છે તેમ સર્વ મૂનિઓમાં ભગવાન મહાવીર પતાકાની પેઠે સર્વોપરિ હતા. જેમ હાથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા અને પક્ષીઓમાં વેણુદેવ ગરૂડ શ્રેષ્ઠ છે તેમ નિવણવાદીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતા. જેમ યોદ્ધાઓમાં વિશ્વસેન, ફૂલોમાં કમળ, અને ક્ષત્રિઓમાં દાન્ત વાક્ય પ્રધાન હતા તેમ ઋષિઓમાં ભગવાન વર્ધમાન શ્રેષ્ઠ હતા. જેમ ધનોમાં અભયધન, સત્યમાં નિર્વધ સત્ય અને તપોમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે તે પ્રમાણે લોકમાં જ્ઞાતપુત્ર શ્રમણ ઉત્તમ હતા. જેમ સમસ્ત સ્થિતિમાં પાંચ અનુત્તર વિમાનવાસી દેવો શ્રેષ્ઠ છે. સભાઓમાં સુધમસભા શ્રેષ્ઠ છે અને ધમોંમાં નિર્વાણ શ્રેષ્ઠ છે. તે પ્રમાણે જ્ઞાનીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરથી કોઈ વધુ જ્ઞાની નથી. [37] ભગવાન મહાવીર પૃથ્વી સમાન સમસ્ત પ્રાણીઓના આધાર ભૂત છે. અષ્ટ કમોને વિદારનાર, આસક્તિ રહિત, કોઈ પણ પદાર્થનો સંગ્રહ ન કરનાર, આશુપ્રજ્ઞ, સદા જ્ઞાનોપયોગથી સંપન્ન, ક્રોધાદિ વિકારોથી રહિત, પ્રાણીમાત્રને અભય. દેનાર અને અનંત સંસાર સાગરને પાર કરીને મોક્ષ પધાર્યા છે. તે અનન્તચક્ષુ છે. [377ii અરિહંત મહર્ષિ ભગવાન મહાવીરે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર આંતરિક દોષોનો ત્યાગ કર્યો છે. તે સ્વયં પાપ કરતા ન હતા, કરાવતા પણ ન હતા અને કરનારને અનુમોદન આપતા ન હતા. 3i78] ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી એ સર્વમત વાદીઓના મતને જાણીને ભગવાન મહાવીર માવજીવન સંયમમાં સ્થિત રહ્યા હતા. [37] ભગવાન મહાવીરે દુઃખના ક્ષય માટે સ્ત્રીસંગ તથા રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો તેમજ દુઃખો-કર્મોનો ક્ષય કરવા માટે સદ્ધ તપમાં પ્રવૃત્ત હતા. આ લાક અને પરલોકના સ્વરૂપને જાણીને સર્વ પ્રકારના પાપનો સર્વથા ત્યાગ કર્યો હતો. 3i80] અરિહંત દેવ દ્વારા કથિત યુક્તિસંગત, શબ્દ અને અર્થથી શુદ્ધ ધર્મને સાંભળીને જે જીવો તેના પર શ્રદ્ધા રાખે છે તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. કદાચિત શેષ કર્મ રહી જાય તો ઈન્દ્ર સમાન દેવતાઓના અધિપતિ બને છે, પછીના ભવમાં સિદ્ધ થાય છે. અધ્યયન નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયન ૭-કુશલપરિભાષિત, [381-383 પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, તૃણ, વૃક્ષ, બીજ આદિ વનસ્પતિકાય અને ત્રસકાય-અંડજ જરાયુજ સ્વેદજ, અને રસજ આ બધા જીવ સમૂહને તીર્થકર ભગવાને જીવનિકાય કહેલ છે. તે બધા જીવો સુખના અભિલાષી અને દુઃખના. દ્વેષી છે એમ જાણવું. અને સૂક્ષ્મ રીતે વિચાર કરવો જોઈએ કે જેઓ આ પ્રાણીઓનો નાશ કરે છે તેઓ પોતાના આત્માને દડે છે અને વારંવાર આ યોનિઓમાં ઉત્પન્ન થાય છે. પૂર્વોક્ત ત્રસ અને સ્થાવર જીવની હિંસા કરનાર જીવ વારંવાર એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીની યોનિયોમાં પરિભ્રમણ કરે છે અને ત્રસકાય તથા સ્થાવર કાયમાં ઉત્પન્ન થઈને વિનાશ પામે છે. વારંવાર જન્મ લઇને દૂર કર્મો કરનાર તે અજ્ઞાની જીવ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005062
Book TitleAgam Deep 02 Suyagado Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy