SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ 123 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧, ઉદ્દેસ-૧ [27] જ્ઞાતપુત્ર જિનોત્તમ ભગવાન મહાવીરે કહ્યું છે, કે પૂર્વોક્ત નાસ્તિક-આદિ ઊંચી નીચી ગતિઓમાં ભ્રમણ કરશે અને અનંતવાર ગર્ભવાસ પ્રાપ્ત કરશે. અધ્યયનઃ૧- હસો: ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ ૧-ઉદેસો 2) [28] જીવ પૃથક પૃથક છે, આ યુક્તિથી સિદ્ધ થાય છે. તેઓ પૃથક પૃથક જ સુખ દુઃખ ભોગવે છે અને અલગ અલગ જ એક સ્થાનથી બીજા સ્થાન પર જાય છે. [29] જગતના જીવો જે સુખ અને દુઃખ ભોગવે છે તે તેના પોતાના કરેલા નથી અને અન્ય ઈશ્વર આદિ દ્વારા કરેલા પણ નથી. પરંતુ સ્વભાવથી જ છે. [30-31] પૃથક પૃથક જીવ સુખ દુઃખનું વેદન કરે છે તે સ્વયંકતા નથી તેમજ અચકૃત પણ નથી. જીવોના સુખ દુઃખ નિયતિ દ્વારા ઉત્પન્ન થાય છે. આ નિયતિ વાદીઓનું કથન છે. આ પ્રમાણે કહેનારા નિયતિવાદી અજ્ઞાની હોવા છતાં પણ પોતાને પંડિત માને છે. સુખ દુઃખ નિયત અને અનિયત એમ બન્ને પ્રકારે હોય છે, પરંતુ બુદ્ધિહીન નિયતિવાદી આ જાણતા નથી. [32] નિયતિને જ સુખ દુઃખના કતાં માનનારા પાર્શ્વસ્થ નિયતિવાદી) એક માત્ર નિયતિને જ કત બતાવવાની ધૃષ્ટતા કરે છે. તેઓ પોતાના સિદ્ધાંતાનુસાર પારલૌકિક ક્રિયામાં પ્રવૃત્ત થવા છતાં પણ દુઃખથી મુક્ત થવામાં સમર્થ નથી. [33-35) જેવી રીતે ત્રાણહીન ચંચળ મૃગ શંકાના અયોગ્ય સ્થાનમાં શંકા કરે છે અને શંકાયુક્ત સ્થાનમાં શંકા કરતા નથી, તે પ્રમાણે રક્ષિત સ્થાનમાં શકિત અને પાશના સ્થાનમાં નિઃશંક, અજ્ઞાન અને ભયથી ઉદ્વિગ્ન થયેલ તે મૃગ પાશયુક્ત સ્થાનમાં જ જઈને ફસાય છે. તે સમયે તે મૃગ કદી તે બંધનને ઉલ્લંઘી જાય અથવા તે બંધનથી નીચે થઈને નીકળી જાય તો તે બચી શકે, પરંતુ તે મૂર્ખમૃગ તે જાણતા નથી. [36-4] તે મૃગ પોતાનું અહિત કરનાર છે અને અહિત પ્રજ્ઞાનો ધારક છે તેથી તે વિષમ બંધનવાળા સ્થળે જઈને ત્યાં વિનાશનો પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ અનાર્ય કોઈ કોઈ શ્રમણ શંકારહિત અનુષ્ઠાનોમાં શંકા કરે છે અને શંકા યોગ્ય અનુષ્ઠાનોમાં શંકા કરતા નથી. તે મૂઢ, વિવેકવિકલ તથા શાસ્ત્રજ્ઞાનથી રહિત અજ્ઞાનવાદી આદિ અન્યતીર્થી દશ પ્રકારના ક્ષમા વગેરે ધર્માની સાચી પ્રરૂપણામાં શંકા કરે છે, પરંતુ પાપના કારણરૂપ આરંભોમાં શંકા કરતાં નથી. સમસ્ત લોભ, માન માયા અને ક્રોધનો નાશ કરીને જીવ કમરહિત થાય છે, પરંતુ મૃગ સમાન અજ્ઞાની જીવ આ વાતને જાણતા નથી. અર્થાત્ લોભ આદિનો ત્યાગ કરતા નથી. જે મિથ્યાદ્રષ્ટિ અનાયો આ અર્થને જાણતા નથી, તેઓ પાશબદ્ધ મૃગની પેઠે અનંતવાર ઘાતને પ્રાપ્ત થશે. 4i1-46] (અજ્ઞાનવાદી કહે છે) કોઈ બ્રાહ્મણ અને શાક્યાદિ શ્રમણ એ બધા પોતપોતાનું જ્ઞાન બતાવે છે, પરંતુ સમસ્ત લોકમાં જે પ્રાણીઓ છે તેઓને કાંઈ પણ તેઓ જાણતા નથી. જેમ કોઈ આર્ય ભાષાનો અજાણ બ્લેચ્છ પુરુષ આર્ય પુરુષના કથનનો અનુવાદ કરે છે, પરંતુ તે તે ભાષાનો હેતુ સમજતો નથી માત્ર ભાષણનો અનુવાદ જ કરે છે. તે પ્રમાણે જ્ઞાનહીન બ્રાહ્મણ અને શ્રમણ પોત-પોતાનું જ્ઞાન કહેતા હોવા છતાં પણ નિશ્ચિત અર્થને જાણતા નથી. તેઓ પૂર્વોક્ત પ્લેચ્છની જેમ અજ્ઞાની છે. “અજ્ઞાન જ શ્રેષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005062
Book TitleAgam Deep 02 Suyagado Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy