SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ મહાનિસીહ – ૩//૬૨૬ અનુમોદન એમ ભાંગા કરતા અઢાર ભેદવાળું જાણવું. તેમજ કર કર્મ સચિત્ત અચિત્ત ભેોવાળું અથવા બ્રહ્મચર્યની નવગુપ્તિની વિરાધના કરવા વડે કરીને, શરીર વસ્ત્રાદિકની વિભૂષા કરવા રૂપ. માંડલીમાં પરિગ્રહ બે પ્રકારે. સૂક્ષ્મ અને બાદર. વસ્ત્રપાત્રનું મમત્વભાવથી રક્ષણ કરવું. બીજાને વાપરવા ન આપવા તે સૂક્ષ્મ પરિગ્રહ, હિરણ્યાદિક ગ્રહણ કરવાકે ધારણ કરી રાખવા, માલિકી રાખવી, તે બાદર પરિગ્રહ જાણવો. રાત્રિભોજન દિવસે ગ્રહણ કરી રાત્રે ખાવું દિવસે ગ્રહણ કરી બીજે દિવસે ભોજન કરવું. રાત્રે લઈ દિવસે ખાવું. રાત્રે લઈ રાત્રે ખાવું ઇત્યાદિ ભાગાવાનું. [૬૨૭-૬૩૨] ઉત્તર ગુણોને વિષે પિંડની જે વિશુદ્ધિ, સમિતિઓ, ભાવનાઓ, બે પ્રકારનો તપ, પ્રતિમા ધારણ કરવી, અભિગ્રહો ગ્રહણ કરવા આ વગેરે ઉત્તર ગુણો જાણવા. તેમાં પિંડવિશુદ્ધિ - સોળ ઉદ્ગમ દોષો, સોળ ઉત્પાદના દોષો, દશ એષણાના દોષો અને સંયોજનાદિક પાંચ દોષો, તેમાં ઉદ્ગમ દોષો આ પ્રમાણે જાણવા ૧. આઘાકર્મ, ૨ ઔદ્દેશિક, ૩ પૂર્તિકર્મ, ૪ મિશ્રજાત, ૫ સ્થાપના, ૬ પ્રાકૃતિકા, ૭ પ્રાદુષ્કરણ, ૮ ક્રીત ૯ પ્રામિત્યક, ૧૦ પરાવર્તિત, ૧૧ અભ્યાહત, ૧૨ ઉદ્ભિન, ૧૩ માલોપહત, ૧૪ આછિદ્ય ૧૫ અતિસૃષ્ટ, ૧૬ અધ્યવપૂરક- એમ પિંડ તૈયાર કરવામાં સોળ દોષો લાગે છે. [૬૩૩-૬૩૫] ઉત્પાદનના સોળ દોષો આ પ્રમાણે કહેલા છે. ૧- ધાત્રીદોષ, ૨-દ્રુતિદોષ, ૩- નિમિત્તોષ, ૪-આજીવકોષ, ૫ વનીપકદોષ, ૬- ચિકિત્સાદોષ, ૭ક્રોધદોષ, ૮-માનદોષ, ૯ માયાદોષ, ૧૦-લોભદોષ, આ. દસ દોષો તથા ૧૧-પહેલા કે પછી થએલા પરિચયનો દોષ, ૧૨- વિધાદોષ, ૧૩- મંત્રદોષ, ૧૪-ચૂર્ણોષ, ૧૫, યોગદોષ અને ૧૬- મૂળકર્મદોષ - એમ ઉત્પાદનાના સોળ દોષો લાગે છે. [૬૩૬-૬૪૭] એષણાના દસ દોષો આ પ્રમાણે જાણવા ૧- શક્તિ, ૨- પ્રક્ષિત, ૩નિક્ષિપ્ત,૪પિહિત,પ-સંહત,દુ-દાયક,૭- ઉન્મિશ્ર,૮- અપરિણત,લિપ્ત, ૧૦-છર્દિત. [૬૩૮] તેમાં ઉદ્ગમ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે. ઉત્પાદનના દોષો સાધુથી ઉત્પન્ન થવાવાળા અને એષણા દોષો ગૃહસ્થ અને સાધુ બન્નેથી ઉત્પન્ન થવાવાળા છે. માંડલીના પાંચ દોષો આ પ્રમાણે જાણવા ૧- સંયોજના, ૨- પ્રમાણથી અધિક વાપરવું, ૩- અંગાર ૪- ધુમ્ર, ૫- કારણનો અભાવ - એમ ગ્રાસેસણાના પાંચ દોષો થાય છે. તેમા સંયોજના દોષનો બે પ્રકાર ૧ ઉપકરણ સંબંધી અને ૨. ભોજન પાણી સંબંધી. વળી તે બન્નેના પણ અભ્યન્તર અને બાહ્ય. એવા બે ભેદો છે [૩૯] પ્રમાણ-બત્રીશ કોળીયા પ્રમાણ. આહાર કુક્ષિપૂરક ગણાય છે. ગમતાભાવતા ભોજનાદિક રાગથી વપરાય છે. તો તેમાં ઇંગાલ દોષ અને અણગમતામાં દ્વેષ થાય તો ધૂમ્ર દોષ. લાગે છે. - [૬૪૦-૬૪૪] કારણાભાવ દોષમાં સમજવાનું કે- ક્ષુધા વેદના સહન ન થાય, અશક્ત શરીરથી વેયાવચ્ચ ન બની શકે, આંખનું તેજ ઘટે અને ઈરિયાસમિતિમાં ખામી આવે. સંયમ પાલન માટે તેમજ પ્રાણ ટકાવવા માટે, ધર્મધ્યાન કરવા માટે, આ કારણ માટે ભોજન કરવાનું કલ્લે, ભૂખ સમાન કોઈ વેદના નથી માટે તેની શાંતિ માટે ભોજન કરવું. ભૂખથી દુર્બળ દેહવાળો વેયાવચ્ચ કરવા સમર્થ થઈ શકતો નથી. માટે ભોજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy