SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ દસા-૬, સૂત્ર-૪૭ બનાવેલો કોઈપણ પદાર્થ તેને લેવો કલ્પતો નથી. જ્યારે તે (શ્રમણભૂત) ઉપાસક ગૃહપતિના કુળ (ઘર) માં આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી પ્રવેશ કરે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ- “પ્રતિમાધારી શ્રમણો પાસક ને ભિક્ષા આપો.” આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતા એવા તે ઉપાસકને જોઈને કદાચ કોઈ પૂછે, “હે આયુષ્યપાનું તમે કોણ છો ?” તે કહો. ત્યારે તેણે પૂછનારને કહેવું જોઈએ કે “હું પ્રતિમાધારી શ્રમણોપાસક છું.” આ પ્રકારના આચરણપૂવર્ક વિચરતા તે જધન્યથી એક-બે કે ત્રણ દિવસથી ઉત્કૃષ્ટ ૧૧- મહિના સુધી વિચરણ કરે.- આ અગિયારમી (શ્રમણભૂત નામક) ઉપાસક પ્રતિમા. આ પ્રમાણે તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી અગિયાર ઉપાસક પ્રતિમા (શ્રાવકોને કરવાની વિશિષ્ટ ૧૧ પ્રતિજ્ઞાઓ) કહેલી છે. તે પ્રમાણે હું (તમને) કહું છું. છઠ્ઠી દસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. (દસા-૭-ભિક્ષુ પ્રતિમા) આ દસાનું નામ ભિક્ષ-પ્રતિમા છે. જે રીતે આ પૂર્વેની દસા માં શ્રાવક-શ્રમણો પાસકની ૧૧-પ્રતિમાનું નિરૂપણ કરેલ છે. અહીં પણ પ્રતિમા’ શબ્દનો અર્થ વિશિષ્ટ પ્રકારના આચરણયુક્ત પ્રતિજ્ઞા એમ જ સમજવો. [૪૮] હે આયુષ્યમાનું ! તે નિવણિપ્રાપ્ત ભગવંતના સ્વ-મુખેથી મે એવું સાંભળેલું છે આ જિનપ્રવચનમાં) સ્થવિરભગવંતોએ નિશ્ચયથી બાર-ભિક્ષપ્રતિમાઓ કહી છે. તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બારભિક્ષુ પ્રતિમા કઈ કહી છે? તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી કહેલી બાર ભિક્ષપ્રતિમાં આ પ્રમાણે છે- એકમાસિકી, દ્ધિ માસિક, ત્રિમાસિકી, ચતુમિિસકી, પંચમાસિકી, છમાસિકી, સાતમાસિક, પહેલી સાતરાત્રિદિવસ, બીજી સાતરાત્રિદિવસ, ત્રીજીયાતરાત્રિદિવસ, અહોરાત્રિની એકરાત્રિકી. - ૪૯] માસિકી ભિક્ષુ પ્રતિમાને ધારણ કરતા સાધુ કાયાને વોસિરાવી દીધેલા અને શરીરના મમત્વભાવના ત્યાગી હોય છે. દેવ-મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે કોઈ ઉપસર્ગ આવે છે. તેને તે સમ્યક પ્રકારે સહન કરે છે. ઉપસર્ગ કરનારને ક્ષમા કરે છે, અદીન ભાવે સહન કરે છે, શારીરિક ક્ષમતા પૂર્વક તેનો સામનો કરે છે. માસિક ભિક્ષુ પ્રતિમાધારી સાધુને એક દત્તિ ભોજન અને એક દત્તિ પાણી લેવું કહ્યું છે. દત્તિ એટલે એક અખંડ ધારાથી જેટલું ભોજન કે પાણી ને દાતા આપે તે) આ દિત્તિ પણ અજ્ઞાત કુળથી, અલ્પમાત્રામાં બીજા માટે બનાવેલ, અનેક દ્વિપદ-ચતુષ્પદ-શ્રમણ-બ્રાહ્મણ- અતિથિ- કૃપણ અને ભિખારી આદિના ભિક્ષા લઈને ચાલી ગયા બાદ ગ્રહણ કરવી કહ્યું છે. વળી આ દત્તિ જ્યાં એક વ્યક્તિ ભોજન કરતો હોય ત્યાંથી લેવી કહ્યું. પણ બે-ત્રણ-ચાર-પાંચ વ્યક્તિ સાથે બેસીને ભોજન કરતા હોય ત્યાંથી લેવી કલ્પતી નથી. ગર્ભિણી, નાના બાળવાળી કે બાળક ને દૂધ પાતી હોય તેની પાસેથી આહાર- પાણીની દત્તિ લેવી ન કલ્પે જેના બંને પગ ડેલી-ઉંબરાની બહાર કે અંદર હોય તો તે સ્ત્રી પાસેથી દત્તિ લેવી કહ્યું પણ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy