SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૩, બાસયિા છેંતાલીસ ભાગ થાય છે. અમાવાસ્યાથી અમાવાસ્યા એક શુકલાદિ ચાંદ્રમાસ થાય છે. તેનું પ્રમાણ ઓગણત્રીસ રાતદિવસ તથા એક રાતદિવસના બાસ ઠિયા બત્રીસભાગ થાય છે. પુનમથી પુનમ પર્યન્તનો સમય પણ કૃષ્ણાદિ ચાંદ્રમાસ હોય છે, તેથી અહીંયા પણ મુહૂર્તપરિમાણ એ જ પ્રમાણે થાય છે, પૂર્વપ્રતિપાદિત મુહૂર્તપરિ માણ આઠસો પંચાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બત્રીસ ભાગ આટલા મુહૂર્તપ્રમાણનો એક ચાંદ્રમાસ થાય છે. પહેલાં કહેલ ચાંદ્રમાનો અર્ધો ભાગ અથતુ એક પક્ષમાં ચંદ્ર કેટલા મંડળને પુરે છે. ચૌદ મંડળોમાં ચંદ્ર ગમન કરે છે, ચૌદ મંડળો પુરા અને પંદરમા મંડળના ચોથા ભાગ અથતુ સવા ચૌદ મંડળમાં ભ્રમણ કરે છે. સૌર સંક્રાંતિની અવધિરૂપ અધમાસ પ્રમાણવાળા સમયમાં ચંદ્ર કેટલા મંડળમાં સંચરણ કરે છે ? આદિત્ય અર્ધમાસથી ચંદ્ર સોળ મંડળમાં ભ્રમણ કરે છે. સોળ મંડળચારી એજ ચંદ્રનો ઉદય થાય છે. અને બીજા બે અષ્ટક એકસો ચોવીસભાગ આઠભાગ તુલ્ય કે જેને કોઈ બીજા ચંદ્ર ભોગવેલ હોય એજ ચંદ્ર સ્વયં પ્રવેશ કરીને ગતિ કરે છે. આ બે અષ્ટકો એકસોચોવીસના આઠમાભાગ પ્રમાણને કોઈએ પહેલાં ઉપભોગ ન કરેલમાં ચંદ્ર સ્વયં પ્રવેશિને ગમન કરે છે. એ અષ્ટકના સમયનું પ્રતિપાદન આ પ્રમાણે છે. સવન્જિંતર મંડળથી ધીરેધીરે બહાર નિકળતો ચંદ્ર જ્યારે અમાસના અંતમાં ગમન કરે છે. ત્યારે એક અષ્ટક આ રીતે થાય છે. જેનો પહેલાં કોઇએ ઉપભોગ કરેલ ન હોય ત્યારે ચંદ્ર સ્વયં ત્યાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. આ પ્રમાણે બધા બાહ્ય મંડળથી ધીરેધીરે દરની તરફ પ્રવેશ કરીને ચંદ્ર જ્યારે પૂર્ણિમાના અંતમાં આવે છે. ત્યારે કોઈએ ઉપભોગ ન કરેલ હોય એવા બીજા મંડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે. આ પ્રમાણે બે અષ્ટકો હોય છે. આ પહેલાં કહેવામાં આવેલ અમાસની અંતમાં તથા પૂર્ણિમાની અંતમાં રહેલા બે અષ્ટકો એવા હોય છેકે-જેને બીજા કોઇએ પહેલા ભોગવેલ ન હોય કે જ્યાં ચંદ્ર પોતે પ્રવેશ કરીને ગતિ કરે છે. પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્ર દક્ષિણ ભાગથી અત્યંતર મંડળની તરફ પ્રવેશ કરે ત્યારે સાત અધમંડળો થાય છે. જેને ચંદ્ર દક્ષિણ ભાગથી અભ્યતરાભિમુખ પ્રવેશ કરીને આક્રમિત કરે છે. એ મંડળમાં ગમન કરે છે. વાસ્તવિક રીતે બે ચંદ્ર એક ચાંદ્રમાસથી ચૌદમંડળો. પૂરા કરીને પંદરમા મંડળના એક સોચોવીસીયા બત્રિસિયાભાગને પોત પોતાના ભ્રમણથી પુરિત કરે છે. આ પ્રકારના એજ સાત અર્ધમંડળો હોય છે. કે જેમાં ચંદ્ર અત્યંતરાભિમુખ ગમન કરીને મંડળોના દક્ષિણભાગથી તેતે મંડળોમાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. હવે એજ મંડળોને બતાવે છે. દક્ષિણ ભાગથી અત્યંતર મંડલાભિમુખ પ્રવિષ્ટ થયેલ ચંદ્રના એજ સાત અર્ધમંડળો હોય છે. કે જે મંડળોનું અહીં પ્રતિપાદન કરેલ છે. અને યુગ્મ સાત અર્ધ મંડળો હોય છે. બીજું અધમંડળ, ચોથું અધમંડળ છઠ્ઠ, અધમંડળ આઠમું અધમંડળ દસમું અધમંડળ, બારમું અધમંડળ, અને ચૌદમું અર્ધમંડળ આ પ્રમાણે સાત અર્ધ મંડળો હોય છે. પહેલાં કહેલ બીજું ચોથા ઇત્યાદિ યુગ્મ અર્ધમંડળો સાત થાય છે. જે મંડળોમાં ચંદ્ર સર્વ બાહ્ય નામના પંદરમા મંડળથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ગમન કરે છે. પહેલા અયનમાં ગમન કરતો ચંદ્ર પૂર્વોક્ત મંડળોમાં ઉત્તર ભાગથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ચંદ્ર વક્ષ્યમાણ પ્રકારના છ અર્ધમંડળ પુરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy