SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ વહિદસાણં-૧/૩ સુરપ્રિય યક્ષનું યક્ષાયતન છે. તે ઘણા કાળનું સ્થાપિત છે. યાવતું ત્યાં ઘણા માણસો આવીને હંમેશાં તે સુરપ્રિય યક્ષાયતનની પૂજા કરે છે. તે સુરપ્રિય યક્ષા યતન એક મોટા વનખંડ વડે સર્વ દિશાએ ચોતરફથી પરિવરેલું છે. તેનું વર્ણન પૂર્ણભદ્ર યક્ષાયતનની જેમ યાવતુ પૃથ્વીશિલાપટ્ટ સુધી જાણવું. ત્યાં દ્વારવતી નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ રાજા હતા. યાવત્ રાજ્યને શાસન કરતા વિચારતા હતા-રહ્યા હતા. તે કૃષ્ણ રાજા ત્યાં સમુદ્રવિજય વિગેરે દશ દશાહ, બળદેવ વિગેરે પાંચ મહા વીરો, ઉગ્રસેન વિગેરે સોળ હજાર રાજાઓ, પ્રદ્યુમ્ન વિગેરે સાડા ત્રણ કરોડ કુમારો, સાંબ વિગેરે સાઠ હજાર દુદત કુમારો, વીરસેન વિગેરે એકવીસ હજાર વીરો, મિણી વિગેરે સોળ હજાર રાણીઓ, અનંગસેના વિગેરે અનેક હજાર ગણિકાઓ તથા બીજા ઘણા રાજા, ઈશ્વર યાવતું સાર્થવાહ વિગેરે પરિવાર સહિત ઉત્તરમાં વૈતાઢય ગિરિ અને બીજી ત્રણ દિશાએ સમુદ્રની મર્યાદાવાળા દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના આધિ પત્યને ભોગવતા રહેલા હતા. તે દ્વારવતી નગરીમાં બળદેવ નામે રાજા હતા, તે મોટા એટલે હિમવંત, મલય, મંદર અને મહેન્દ્ર પર્વત જેવા સારવાળા યાવતુ રાજ્યને પાળતા રહ્યા હતા. તે બળદેવ રાજાને રેવતી નામની રાણી હતી. તે સુકોમળ હતી યાવતુ સુખે સુખે વિચરતી હતી. ત્યારપછી તે રેવતી રાણી એકદા તે પ્રકારના શયનને વિષે સુતી સતી યાવતું સ્વપ્રમાં સિંહને જોઈને જાગી ગઈ અને જે પ્રમાણે સ્વમ જોયું તે પ્રમાણે રાજાને કહ્યું વિગેરે. તે રાણીએ પુત્ર પ્રસવ્યો અને તે કાળમાં મહાબલ કુમાર જેવો થયો. વિશેષ એ ક-પચાસનો દાયજો આપ્યો. પચાસ રાજકન્યાઓનું એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. તે નિષધ નામનો કુમાર યાવતુ પ્રાસાદની ઉપર ક્રીડા કરતો વિચરતો હતો. તે કાળે તે સમયે અહનુ અરિષ્ટનેમિ ધર્મની આદિને કરનારા, દશ ધનુષ ઉંચા શરીરવાળા, તેનું વર્ણન કહેવું. યાવતુ નંદનવદન ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વાંદવા માટે પર્ષદા નીકળી. ત્યારપછી કણવાસુદેવે આ કથાનો અર્થ પામ્યા હુષ્ટ તુષ્ટ થઈ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું-શીધ્રપણે હે દેવાનુપ્રિયો ! સુધમ સભામાં સામુદાનિક ભેરી ને વગાડો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો યાવતુ કષ્ણ વાસુદેવની આજ્ઞા અંગીકાર કરીને જ્યાં સુધમ સભામાં સામુદાનિક ભેરી હતી ત્યાં આવ્યા. તે સામુદાનિક ભેરીને મોટા મોટા શબ્દવડે વગાડી. ત્યારપછી તે સામુદાનિક ભેરી મોટા મોટા શબ્દ વગાડી ત્યારે તેનો પ્રતિછંદ સાંભળીને સમુદ્રવિજ્ય વિગેરે દશ દશારો તથા દેવીઓ-રાણીઓ પણ કહેવી યાવતુ અનંગસેના વિગેરે અનેક હજાર ગણિકાઓ તથા બીજા ઘણા રાજા, ઈશ્વર યાવતું સાર્થવાહ વિગેરે સ્નાન કરી યાવતું પ્રાયશ્ચિત્ત કરી સર્વ અલંકારથી વિભૂષિત થઈ, પોતપોતાના યથાયોગ્ય વૈભવ, ઋદ્ધિ અને સત્કારના સમુદાયવડે કેટલાક અશ્વપર આરુઢ થઈને યાવતુ પુરુષોના સમૂહે પરિવય અને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડી કૃષ્ણ વાસુદેવને જયવડે વિજયવડે વધાવતા હતા- વધાવ્યા. ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ કૌટુંબિક પુરુષોને આ પ્રમાણે કહ્યું - શીધ્રપણે હે દેવાનુપ્રિયો! અભિષેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy