SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧ થી ૧૦ ૩૦૫ શ્રીપાર્શ્વનાથ પુરુષોમાં પ્રધાન અનુક્રમ વિચરતા યાવત્ દેવોના સમૂહે પરિવરેલા સતા અહીં પધાર્યા છે. તો હે માતાપિતા ! તમારી આજ્ઞા પામી સતી હું શ્રી પાર્શ્વનાથ અર્જુન પુરુષાદાનીયના પાદવંદન કરવા માટે જવા ઇચ્છું છું. માતાપિતાએ કહ્યું-હે દેવાનુપ્રિયા ! ઇચ્છા પ્રમાણે ક૨. વિલંબ ન કર. ત્યારપછી તે ભૂતા દારિકા પોતાના પરિવારવડે પરીવરીને રાજગૃહ નગરની મધ્યે થઈને નીકળી. નીકળીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું ત્યાં આવી. આવીને તેણીએ છત્રાદિક તીર્થંકરના અતિશય જોયા. જોઈને ધાર્મિક શ્રેષ્ઠ ત્યાર પછી તે ભૂતાદારિકા શ્રીપાર્શ્વનાથ અર્જુને પ્રમાણે કહ્યું ત્યારે હર્ષ પામી યાનથી નીચે ઉતરીને દાસીઓના સમૂહથી પરિવરી જ્યાં શ્રીપાર્શ્વનાથ અર્હત પુરુષાદાનીય ત્યાં આવી. આવીને તેમને ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવત્ પર્યુપાસના કરવા લાગી. ત્યારપછી શ્રીપાર્શ્વનાથ અર્જુન પુરુષાદાનીએ તે ભૂતાદારિક તથા તે મોટી પર્ષદા આગળ ધર્મકથા કહી. તે ધર્મકથા સાંભળીને હૃદયમાં ધારીને તુષ્ટ થઇ ભગવાનને વંદના કરી, નમ સ્કાર કર્યા. આ પ્રમાણે બોલી-હે ભગવાન ! હું આ નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું યાવત્ હે ભગવાન ! હું નિર્ગથ પ્રવચનમાં સાવધાન થઇ છું. જે પ્રમાણે તમો કહો છો તે તેમ જ છે. પણ વિશેષ એ કેહે દેવાનુપ્રિય ! હું મારા માતાપિતાની રજા લઉં. ત્યારપછી હું યાવત્ પ્રવ્રજ્યા લેવા ઇચ્છું. ત્યારે ભગવાન બોલ્યા કે-હે દેવાનુપ્રિયા ! જેમ યોગ્ય લાગે તેમ કર. પ્રતિબંધ ન કર. ત્યારપછી તે ભૂતાદારિક તે જ પોતાના ધાર્મિક શ્રેષ્ઠ વાહન ઉપર યાવત્ આરુઢ થઈ. આરુઢ થઈને જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવી. સતી રાજગૃહ નગરની મધ્યે મધ્યે થઇને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવી. રથમાંથી નીચે ઉતરી જ્યાં માતાપિતા હતા ત્યાં આવી. જમાલિની જેમ બે હાથ જોડી દીક્ષા લેવાની રજા માગી. ત્યારે માતાપિતા બોલ્યા કે-હે દેવાનુપ્રિયા ! જેમ તને સુખ ઉપજે તેમ કર. ત્યારપછી તે સુદર્શન ગાથા પતિએ વિસ્તારવાળું અશન, પાન, ખાદિમ એ ચાર પ્રકારનું ભોજન તૈયાર કરાવ્યું. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ વિગેરેને આમંત્રણ કર્યું. આમંત્રણ કરીને યાવત્ તેમને જમાડયા. ભોજન કર્યા પછી તેમની દીક્ષાને માટે અનુમતિ લઇને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિયો ! શીધ્રપણે ભૂતા દારિક માટે હજાર પુરુષોએ વહન કરવા લાયક શિબિકાને લાવો. લાવીને યાવત્ આ મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારપછી તે સુદર્શન ગાથાપતિએ ભૂતા દારિકને સ્નાન કરેલી યાવત્ શરીરે વિભૂષિત થયેલીને હજાર પુરુષોથી વહન થતી શિબિકા ઉપર ચડાવીને મિત્ર, જ્ઞાતિ વિગેરે પરિવાર સહિત યાવત્ વાજિંત્રના શબ્દ સહિત રાજગૃહ નગરની મધ્યે મધ્યે થઈને જ્યાં ગુણશીણ ચૈત્ય હતું, ત્યાં આવ્યો. આવીને તીર્થંકરના છત્રાદિક અતિ શયો જોયા. જોઈને શિબિકાને સ્થાપના કરી. સ્થાપન કરી. સ્થાપન કરીને ભૂતા દારેિકને શિબિકા ઉ૫૨થી નીચે ઉતારી. ત્યારપછી તે ભૂતાદારિકને તેના માતાપિતા આગળ કરીને જ્યાં શ્રીપાર્શ્વનાથ અર્હન પુરુષાદાનીય હતા ત્યાં આવ્યા. આવીને ત્રણવાર વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા-આ પ્રમાણે નિશ્ચે હે દેવાનુપ્રિય ! આ ભૂતા દારિક અમારે એક જ પુત્રી છે. તે આ હે દેવાનુપ્રિય ! સંસારના ભયથી ઉદ્વેગ પામી છે, ભય પામી છે, ભય પામી છે, તેથી યાવત્ દેવાનુપ્રિય એવા આપની પાસે મુંડ થઈ યાવત્ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy