SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ પુલ્ફિયાણું - ૪/૮ કાયઙ્ગતિ વાળા, ઇંદ્રિયોને ગોપવનારા, ગુપ્ત બ્રહ્મચર્યવાળા, બહુશ્રુતથયેલા, ધણા વર્ષના ચારિત્ર પર્યાયવાળા હતા, તે અનુક્રમે વિહાર કરતા એક ગામથી બીજે ગામ રહેતા જ્યાં વારાણસી નગરી હતી, ત્યાં આવ્યા. આવીને યથાયોગ્ય અવગ્રહને માગીને ત્યાં સંયમ અને તપનું સેવન-પાલન કરતા રહ્યા. ત્યારપછી તે સુવ્રતા આર્યાના એક સંધાટક વારા ણસી નગરીમાં ઉંચ, નીચ અને મધ્યમ કુળોમાં જૂદા જૂદા ધરની ભિક્ષા લેવા માટે ભિક્ષા ચર્યામાં અટન કરતા ભદ્ર સાર્થવાહના ધરમાં પેકા. ત્યારપછી તે સુભદ્રા સાર્થ વાહીએ તે આયઓને આવતા જોયા. જોઈને હ્રષ્ટ તુષ્ટ થઈને તે તત્કાળ આસન ઉપરથી ઉભી થઈ. ઉભી થઈને સાત આઠ પગલાં તેમની સન્મુખ ગઈ. સન્મુખ જઈને તેમને વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી ધણા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારવડે પ્રતિલાભીને આ પ્રમાને બોલી.- આ પ્રમાણે નિશ્ચે હૈ આર્યા ઓ ! હું ભદ્રસાર્થવાહની સાથે મોટા સમૃદ્ધિવાળા શબ્દદિક કામભોગને ભોગવતી રહું છું. તોપણ મને પુત્ર કે પુત્રી કાંઈપણ થયું નથી. તેથી તે માતાઓને ધન્ય છે યાવત્ એમાંના એક બાળકને પણ હું પામી નથી. તેથી હે આર્યાઓ ! તમે ધણું જાણો છો, ધણું ભણ્યા છો, ધણાં ગામ નગર યાવત્ સંનિવેશમાં વિચરો છો, ધણા રાજા, ઈશ્વર, તલવર યાવત્ સાર્થવાહ વિગેરેના ગૃહોમાં પ્રવેશ કરો છો. તો તેવા પ્રકારનો કોઈ વિદ્યાપ્રયોગ, મંત્ર પ્રયોગ, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધ કે ભેષક કાંઈપણ તમને પ્રાપ્ત થયું છે જાણ વામાં છે કે જેનાથી હું પુત્ર કે પુત્રીને પ્રસવી શકું ? ત્યારપછી તે આઓિએ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિયા! અમે સાધ્વીઓ નિગ્રંથીનીઓ ઈર્યા સમિતિવાળી યાવત્ ગુપ્ત બ્રહ્મચર્યવાળી છીએ. અમારે આ અર્થ કાનવડે સાંભળવો પણ કલ્પે નહીં, તો પછી તેને કહેવાને કે આચરણ કરવાને તો શાનો જ કલ્પે ? પરંતુ હે દેવાનુપ્રિયો !અમે તો તને કેવળી ભગવાને પ્રરુપેલો ધર્મ જ કહીએ છીએ. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે આર્યાઓની પાસે ધર્મ સાંભળી હ્યદયમાં ધારી હ્યષ્ટ તુષ્ટ થઈ તે આઓને ત્રણ વાર વંદના કરી,કાયાવડે નમસ્કાર કર્યા અને આ પ્રમાણે તે બોલી-“ હે આર્થાઓ ! હું નિર્ગંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, તેની પ્રતીતિ કરું છું તથા તે મને રુચે છે. હે નિથિની આર્યાઓ ! આ તમે કહો છો તે તેમ જ છે, તે તથાપ્રકારે જ છે, તે અવિતથ એટલે સત્ય જ છે, યાવત્ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારે આર્યાઓ બોલી કે-“હે દેવાનુપ્રિયા ! જેમ તને સુખ ઉપજે તેમ કર. આ અર્થમાં તું પ્રતિબંધ ન કર ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે આઓની પાસે યાવત્ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તે આર્યાઓને વંદના કરી, નમસ્કાર કર્યા. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહી શ્રમણો પાસિકા થઈ યાવત્ વિચરવા લાગી. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીને અન્યદા કદાચિત્ પૂર્વરાત્રિ અને અપર રાત્રિના કાળ સમયે એટલે મધ્યરાત્રિએ કુટુંબજાગરણ પ્રત્યે જાગતી હતી ત્યારે આવા પ્રકારનો યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો કે-“ આ પ્રમાણે નિશ્ચે હું ભદ્ર સાર્થવાહની સાથે વિસ્તારવાળા કામભોગને ભોગવતી સતી યાવત્ રહું છું, તોપણ મેં એક પણ પુત્ર કે પુત્રી ઉત્પન્ન કરી નથી. તેથી હવે મારે એ જ શ્રેયકારક છે કે-કાલે પ્રભાત સમયે સૂર્ય જાજ્વલ્યમાન થાય ત્યારે ભદ્ર સાર્થવાહની રજા લઈને સુવ્રતા નામની આની પાસે યાવત્ પ્રવ્રુજિત થાઉં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy