SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ નિરયાવલિયાણું - ૧/૧૮ ૨૦૨ સ્થાપન કર્યું. ત્યારપછી તે બન્ને રાજાએ રણભૂમિને સજ્જ કરાવી, સજ્જ કરાવીને રણભૂમિમાં ગયા.ત્યારપછી તે કૂણિકરાજાએ તેત્રીશ હજાર હાથીવિગેરે યાવત્ તેત્રીશ કોટિ મનુષ્યોનું ગરુડવ્યૂહ રચ્યું. રચીને તે ગરુડવ્યૂહવડે રથમુશલ સંગ્રામમાં ઉતર્યોઆવ્યો. ત્યાર પછી તે ચેટકરાજાએ સત્તાવન હજાર હાથી વિગેરે યાવત્ સત્તાવન કોટિ મનુષ્યોવડે શકટવ્યૂહ રચ્યું. રચૂને શકટવ્યૂહવડે રથમુશલ સંગ્રામમાં આવ્યા. ત્યાર પછી તે બન્ને રાજાના સૈનિકો બાર પહેરી તૈયાર થયા, યાવત્ તેઓએ આયુઘ અને પ્રહરણ ગ્રહણ કર્યા, ફ્લાંને હસ્તપાશરુપ કર્યા, ખડ્ગને મ્યાનમાંથી બહાર ખેંચ્યાં, ભાથા ને ખભાઉપર લટકાવ્યાં, ધનુષને પ્રત્યંચા સહિત કર્યા, બાણોને ભાથામાંથી બહાર ખંચ્યાં, બરછી વિગેરેને ઉછાલવા લાગ્યા, સાથળે બાંધેલા ઘુઘરાને દૂર કર્યા, શીધ્રપણે વાજિત્રોને વગાડવા લાગ્યા, મોટા ઉત્કૃષ્ટ સિંહનાદ જેવા શબ્દો અને કલકલ શબ્દો કરવા લાગ્યા તેથી જાણે કે તેઓ સમુદ્રની જેવી ગર્જના કરતા હોય તેમ સર્વ સમૃદ્ધિ સહિત યાવત્ વાજિંત્રના શબ્દ સહિત અશ્વવારો સાથે, હાથીના સ્વારોની સાથે, રથિકો રથિકોની સાથે અને પત્તિઓની સાથે એમ પરસ્પર એક બીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી તે બન્ને રાજાના સૈનિકો પોતાના સ્વામીની આજ્ઞામાં રક્ત હોવાથી . મોટા જનક્ષયને કરતા, જનોના વધને કરતા, જનોના મર્દનને કરતા, લોકોના સંવર્તક વાયુની જેમ એટલે સંવર્તક વાયુ જેમ ચોતરફથી વસ્તુને એકત્ર કરે તેમ લોકોને ઉપરા ઉપરિ એકત્ર કરતા, નૃત્ય કરતા કબંધ વડે અને હાથમાંથી પડી ગયેલા વાર વડે રણભૂ મિને ભયંકર કરતા તથા રુધિરના કાદવને કરતા સતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી તે કાલકુમાર ત્રણ હજાર હાથી સહિત યાવત્ ત્રણ કોટિ મનુષ્ય સહિત ગરુડવ્યૂહ વડે પોતાના અગ્યારમા ભાગના સૈન્યવડે કૂણિકરાજાની સાથે રહીને રથમુ શલ સંગ્રામ માં યુદ્ધ કરતો હણાયો, મથન કરાયો, જેમ ભગવાને કાલીદેવીને કહ્યું હતું તેમ સર્વ કહેવું યાવત્ તે જીવિતથી દૂર થયો. તો આ પ્રમાણે નિશ્ચે હે ગૌતમ ! કાલ કુમાર આવા પ્રકારના આરંભે કરીને યાવતુ આવા પ્રકારના અશુભ એવા કરેલા કર્મના સમૂહે કરીને કાલ સમયે મરણ પામીને ચોથી પંકપ્રભા નામની નરકની પૃથ્વીમાં હેમાભ નામના નરકા વાસમાં નારકીપણે ઉત્પન્ન થયો. [૧૯] “હે ભગવાન ! કાલકુમાર ચોથી પૃથ્વીથી આંતરા રહિત ઉદ્ધરીને નીકળીને ક્યાં જશે ? અને ક્યાં ઉત્પન્ન થશે ? ”“ હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જે ઉંચા ધનાઢ્યનાં કુળો છે ત્યાં ઉત્પન્ન થશે વિગેરે દ્દઢપ્રતિજ્ઞની જેમ કહેવું. યાવત્ દીક્ષા લઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે. યાવત્ સર્વ દુઃખોનો અંત ક૨શે. અધ્યયન ૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૨-સુકાલ [૨૦]‘જો હે ભગવાન ! શ્રમણ ભગવાન યાવત્ મોક્ષને પામેલા શ્રી મહાવી૨ સ્વીમીએ નિરયાવલિકાના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન ! બીજા અધ્યયનનો ક્યો અર્થ કહ્યો છે ? “આ પ્રમાણે નિશ્ચે હે જંબૂ ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કૃણિક નામે રાજા હતો. તેને પદ્માવતી નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાર્યા કૂશિકરાજાની માતા સુકાલી નામની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy