SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ - --- - - - - - - -- - - - -- - -- --- -- - - --- - -- - - અધ્યયન-૧ ૨૭૧ પ્રમાણે નિશ્ચ હે ગૌતમ! કાલકુમાર યાવતુ ચેટકરાજાએ જીવિતથી દૂર કર્યો તે કાળ સમયે કાળ કરીને ચોથી પંકપ્રભા નામની પૃથ્વીમાં હેમાભ નામના નરકાવાસાને વિષે દશ સાગરોપમની સ્થિતિવાળા નારકીપણે ઉત્પન્ન થયો છે. [૯] હે ભગવાનું કાલકુમાર કેવા આરંભ વડે, કેવા સમારંભવડે, કેવા આરંભ સમારંભ વડે,કેવા ભોગવડ,કેવા સંભોગવટે,કેવા ભોગસંભોગવડે, અથવા કેવા. અશુભ કરેલા કર્મના સમૂહવડે કાળ સમયે કાળ કરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં યાવતુ નારકી પણ ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે ઋદ્ધિવાળું, ભય રહિત અને સમૃદ્ધિવાળું હતું. તે રાજ ગૃહનગરમાં શ્રેણિક નામે રાજા હતો. તે મોટા હિમવંત પર્વત જેવો સારવાળો વિગેરે વિશેષણવાળો હતો. તે શ્રેણિકરાજાને નંદા નામની દેવી (રાણી) હતી. તે કોમળ હાથ પગવાળી યાવત્ રહેલી હતી. તે શ્રેણિક રાજાનો પુત્ર અને નંદાદેવીનો આત્મજ અભય નામનો કુમાર હતો. તે કોમળ હાથપગવાળો યાવતું સારા રૂપવાળો, સામ, દામ, ભેદ અને દેડએ ચાર પ્રકારની રાજનીતિમાં ચિત્ર પ્રધાનની જેવો કુશળ હતો, યાવતુ રાજ્યની ધુરાનો ચિંતક હતો. તે શ્રેણિકરાજાને ચેલણા નામની દેવી (રાણી)હતી. તે સુકુમાર હાથપગવાળી વાવતું સુખમાં રહેલી હતી. ત્યારપછી તે ચેલણા દેવી અન્યદા તે તેવા પ્રકારના વાસગૃહને વિષે સુતી હતી, યાવત્ સિંહને સ્વપ્રમાં જોઇને જાગી ગઈ. અહીં પ્રભાવતીની જેમ સર્વ વૃત્તાંત કહેવો, યાવત્ ચેલણા (શ્રેણિક રાજા પાસે ગઈ અને તેનું વચન અંગીકાર કરી જ્યાં પોતાનું ભવન-વાસગૃહ હતું ત્યાં ગઈ. [૧૦] ત્યારપછી તે ચેલાદેવીને એકદા કદાચિતુ ગર્ભના ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે આવા પ્રકારનો દોહલો ઉત્પન્ન થયો કે-ધન્ય છે તે માતાઓને યાવતુ તેણીના જન્મ અને જીવિત સફળ છે કે જેઓ શ્રેણિકરાજાના ઉદરનું માંસ પકવીને, તેલમાં તળીને તથા ભુંજીને તથા મદિરાને અને પ્રસન્ન એટલે દ્રાક્ષ વિગેરે વસ્તુથી ઉત્પન્ન થયેલી મનને પ્રસન્ન કરે તેવી મદિરા વિશેષને આસ્વાદ કરતી યાવતુ પરસ્પર એક બીજીને આપતી દોહલાને પૂર્ણ કરે છે. ત્યાર પછી તે ચેલણાદેવી તે દોહલો પૂર્ણ નહીં થવાથી અધરના ક્ષયને લીધે શુષ્ક જેવી થઈ, ભોજન નહીં કરવાથી ભૂખી જેવી થઈ, માંસની વૃદ્ધિ નહીં થવાથી માંસ રહિત થઈ, તેણીના મનની વૃત્તિ ભગ્ન થઈ, તેણીનું શરીર ભાંગવા લાગ્યું, કાંતિ રહિત થઈ, દીન અને કરમાઈ ગયેલા મુખવાળી થઈ, તેણીનું મુખ પાંડુર થયું, તેણીએ નેત્ર અને મુખકમલ નીચું કર્યું, યથાયોગ્ય પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર વિગેરેના ઉપભોગનો ત્યાગ કર્યો, હસ્તતલવડે મસળેલી કમળની માળા ની જેમ તેણીના મનનો સંકલ્પ હણાઈ ગયો એટલે યુક્તાયુક્તના વિચાર રહિત થઈ. યાવતું (આ) ધ્યાન કરવા લાગી. ત્યાર પછી તે ચેલણાદેવીની અંગપરિચારિકા એ ચેલણાદેવીને સુકી, ભૂખી યાવતું ધ્યાન કરતી જોઈને જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં આવી. આવીને બન્ને કરતલ ભેગા કરવાવડે દશ નખોને એકઠા કરી પોતાના મસ્તક પર ફેરવી પછી બન્ને હાથની અંજલી મસ્તકે રાખી શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું “આ પ્રમાણે નિશે હે સ્વામી! અમે જાણતી નથી કે ચેલણાદેવી કયા કારણે સુકી, ભૂખી થઈ થકી યાવતું ધ્યાન કરે છે.” ત્યારપછી તે શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓની પાસેથી આ અર્થ સાંભળીને મનમાં ધારી ને તે જ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy