SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ જંબુદ્ધીવપન્નત્તિ - ૭/૩૩૧ વસ્યાને આ યુગમાં જાણવા ઇચ્છતા હોય કે કયા નક્ષત્રમાં વર્તમાન અમાવાસ્યા પરિ સમાપ્ત થાય છે તો આ માટે જેટલા રૂપોથી જેટલી અમાવસ્યાઓ નિકળી ગઇ હોય તેટલી સંખ્યાને સ્થાપિત કરી લેવી જોઇએ. ૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ બાસઠ ભાગ અને એક ૬૨ ભાગનો એકસઠમો ભાગ આવે છે. આ પ્રમાણે અવધાર્યરાશિનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. ૨૨ મુહૂર્તના ૪૬ બાસઠ ભાગ રૂપ આ પુનર્વસુ નક્ષત્રનું આટલું પ્રમાણશોધન યોગ્ય પૂર્ણ થાય છે. ઉત્તરફાલ્ગુની સુધીના નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર થી લઇને ૧૦૨ થી શોધવામાં આવે છે, વિશાખા સુધીના નક્ષત્ર ૨૯૨ થી શોધાય છે અને ઉત્તરાષાઢા સુધીના નક્ષત્ર ૪૪૨ થી શોધાય છે જેવી રીતે પૂર્વે અમાવસ્યા અને ચન્દ્ર નક્ષત્રના પરિજ્ઞાનના નિમિત્ત અવધાર્ય રાશિ કહેવામાં આવી છે એવી જ અવધાર્ય રાશિ અહીં પણ પૌર્ણમાસી અને ચન્દ્રનક્ષત્રની પરિજ્ઞાન વિધિમાં પણ જાણવી જોઈએ. હે ભદન્ત ! પ્રૌષ્ઠપદી પૂર્ણિમા તિથિની સાથે કેટલા નક્ષત્ર સમ્બન્ધ કરે છે ? હે ગૌતમ!ત્રણ નક્ષત્ર યોગ કરે છેશતભિષક્ પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા, હે ભદન્ત ! આશ્વયુજી પૂર્ણિમાની સાથે કેટલા નક્ષત્ર યોગ કરે છે ? હે ગૌતમ ! બે નક્ષત્ર સમ્બન્ધ કરે છે રેવતીનક્ષત્ર ને અશ્વિની કાર્તિકી પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે- છે-ભરણી નક્ષત્ર અને કૃત્તિકા, માર્ગશીર્ષી પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે રોહિણી અને મૃગશિરા છે. પૌષી પૂર્ણિમાઓને આર્દ્રા,પુનર્વસુ અને પુષ્પ એ ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. માઘી પૂર્ણિમાને બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે એક અશ્લેષા નક્ષત્ર અને બીજું મઘા નક્ષત્ર, ફાલ્ગુની પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે- પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની ચૈત્રી પૂર્ણિમાને હસ્ત અને ચિત્રા આ બે નક્ષત્રોમાંથી કોઇ એક નક્ષત્ર સમાપ્ત કરે છે વૈશાખી પૂર્ણિમાને સ્વાતી અને વિશાખા નક્ષત્રોમાંથી કોઇ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાને- અનુરાધા જ્યેષ્ઠા અને મૂલ નક્ષત્રોમાંથી-કોઇ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે આષાઢી પૂર્ણિમાને પૂર્વાિષાઢા નક્ષત્ર અને ઉત્તરષાઢા નક્ષત્રોમાંથી કોઇ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. હે ગૌતમ ! શ્રાવણમાસ ભાવિની પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્રોનો પણ યોગ રહે છે, ઉપકુલ સંશક નક્ષત્રોનો પણ યોગ રહે છે અને કુલોપકુલસંશક નક્ષત્રોનો પણ યોગ રહે જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્રોને યોગ રહે છે ત્યારે તેમાં ધનિષ્ઠા નક્ષત્રનો યોગ રહે છે. અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રોનો યોગ થાય છે ત્યારે શ્રવણ નક્ષત્રનો યોગ થાય છે કુલોપકુલસંજ્ઞક નક્ષત્રનોજ્યારે યોગ થાય છે ત્યારે અભિજિત્ નક્ષત્રનો યોગ થાય છે, શ્રાવિષ્ઠી પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર યાવત્- ઉપકુલસંજ્ઞક નક્ષત્ર તેમજ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે આથી જ તે શ્રાવિષ્ઠી પૂર્ણિમા કુલસંશક નક્ષત્રથી ઉપકુલસંશક નક્ષત્રથી તેમજ કુલોપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત કહેવામાં આવી છે. હે ગૌતમ ! પ્રૌષ્ઠપદી પૂર્ણિમાની સાથે કુલસંશક નક્ષત્ર પણ યોગ કરે છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે અને કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે જ્યારે આની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમાંથી ઉત્તરભાદ્રપદા નક્ષત્ર યોગ કરે છે જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમાં પૂર્વભાદ્રપદા નક્ષત્ર યોગ કરે છે અને જ્યારે કુલોપકુલ સંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમનામાંથી શતભિષક્ નક્ષેત્ર યોગ કરે છે. આશ્વયુજી પૂર્ણિમા કુલસઁજ્ઞક નક્ષત્રથી અને ઉપકુલસંશક નક્ષત્રથી યુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy