SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ જંબુદ્વિવપન્નતિ -પ૨૨૬ શહેરા અને સૌદા મિની. યાવત્ ભગવનું તીર્થંકર માતાની ચારે વિદિશાઓમાં ઊભી થઈ ગઈ. તે સર્વના હાથોમાં દીપક હતા. ત્યાં ઊભી થઈને તેઓ પહેલાં ધીમા સ્વરે અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તે કાળે અને તે સમયે મધ્યમ રચક કૂટની નિવાસિની ચાર દિશાકુમારી મહત્તરિકાઓ પોત-પોતાના કૂટોમાં ભોગો ભોગવવામાં તલ્લીન હતી. તે દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી. પહેલાંની જેમ જ વાવતુ તમે શંકાથી આકુલિત થાઓ નહિ આ પ્રમાણે કહીને તેમણે તીર્થંકર પ્રભુના નાભિનાલને ચાર અંગુલ મૂકીને કાપી નાખ્યો નાલને કાપીને પછી તેમણે ભૂમિમાં ખાડો ખોદ્યો અને તે ખાડામાં તે નાભિનાળને દાટી દીધો દાટીને પછી તે ખાડાને તેમણે રત્નો અને વજોથી પૂરિ કરી દીધો. પૂરિત કરીને પછી તેમણે લીલી દુવથિી તેની પીઠ બાંધી. પછી તેમણે તે ખાડાની ત્રણે દિશાઓમાં પશ્ચિમ દિશાને છોડીને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ત્રણ કદલી ગૃહોની વિમુર્વણા કરી પછી તે ત્રણ કદલી ગૃહોના ઠીક મધ્ય ભાગ માં તેમણે ત્રણ ચતુઃશાલાઓની વિદુર્વણા કરી ત્યાર બાદ તેમણે તે ચતુઃશાલાઓના ઠીક મધ્યભાગમાં ત્રણ સિંહાસનોની વિદુર્વણા કરી. ત્યાર બાદ તે રૂચક મધ્યવાસિની ચારે દિકુમારિકાઓ જ્યાં ભગવાનું તીર્થકર અને તીર્થંકરના માતા હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે બને હાથો વડે ભગવાનું તીર્થંકરના માતાશ્રીને હાથોમાં પકડ્યા. અને પકડીને જ્યાં દક્ષિણ દિગ્દર્ટી કદલી ગૃહ હતું અને તેમાં પણ જ્યાં ચતુશાલા હતી, અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં તે આવી. ત્યાં આવીને તેમણે ભગવાન તીર્થકર અને તીર્થંકરના માતાને સિંહાસન ઉપર બેસાડ્યાં બેસાડીને પછી તેમણે શતપાક અને સહસ્ત્ર પાક તેલથી તેમના શરીર ઉપર માલિસ કરી. માલિસ કરીને પછી તેમણે સુગંધિત ઉપરણાથી-ગંધ ચૂર્ણથી મિશ્રિત ઘઉંના ભીના આટાના પિંડથી તેમના શરીર ઉપર માલિસ વખતે ચોપડેલા તેલને દૂર કર્યું. તેલને દૂર કરીને, ઉબટન કરીને પછી તેમણે તીર્થકરને બન્ને હાથોથી ઉઠાવ્યા. અને તીર્થંકરના માતાશ્રીને હાથથી પકડ્યા. પકડીને પછી તે જ્યાં પૂર્વ દિગ્દર્ટી કદલીગૃહ હતું અને તેમાં પણ જ્યાં ચતુઃશાલા હતી અને તે ચતુશાલામાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવી. ત્યાં આવીને તેમણે ભગવાનું તીર્થ કરને અને તીર્થકરના માતાને સિંહાસન ઉપર બેસાડ્યા. બેસાડી પછી તેમણે તીર્થંકરને તેમજ તીર્થંકરના માતાશ્રીને ત્રણ પ્રકારના પાણીથી સ્નાન કરાવ્યું તે ત્રણ પ્રકારનું પાણી આ પ્રમાણે છે-પ્રથમ ગંધોદક-દ્વિતીય પુષ્પોદક અને તૃતીય શુદ્ધોદક. પછી સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યા પછી તેમણે તેમણે ભગવાન તીર્થકરને અને તીર્થંકરના માતાને ક્રમશઃ કરતલપુટથી ઉપાડ્યા અને હાથોથી પકડ્યા. ઉત્તર દિશા તરફના કદલી ગૃહમાં જ્યાં ચતુઃશાળા હતી અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં તેઓ ગઈ ભગવાનું તીર્થંકરને અને તીર્થંકરની માતાજીને સિંહાસનપર બેસા ડ્યા પોતપોતાના અભિયોગિક દેવોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો! તમે લોકો શીધ્ર સુદ્રહિમવત્પર્વતથી ગોશીષ ચન્દનના લાકડાઓ લઈ આવો. તે આભિયોગિક દેવો ક્ષુદ્ર હિમવતું પર્વની ઉપર ગયા અને ત્યાંથી ગોશીષ સરસ ચંદનના લાકડા ઓ લઈ આવ્યા. ત્યારબાદ તે ચાર મધ્ય રચક વાસિની મહત્તરિક દિકુમારીઓએ અગ્નિને ઉત્પન્ન કરનાર શરક નામક કાષ્ઠ વિશેષ તૈયાર કર્યું. તેને તૈયાર કરીને તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy