SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-જ ૨૦૩ પ્રમાણમાં ઉદ્વેધવાળો છે શેષ બધું વિખંભ વગેરેના સંબંધમાં કથન માલ્યવાન વક્ષસ્કાર પર્વતના પ્રકરણ જેવું જ છે. અહીં અનેક દેવ-દેવીઓ આવીને વિશ્રામ કરે છે, આરામ કરે છે. એ દેવ દેવીઓ સરલ સ્વભાવવાળાં હોય છે. અને શુભ ભાવનાવાળાં હોય છે તેમજ સૌમનસ નામક દેવ કે જે મહર્તિક વગેરે વિશેષણો વાળોછેઅહીં રહે છે.એથીયે ગૌતમ! એનું નામ એવું રાખવામાં આવ્યું છે. અહીં સાત કૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ ૧, સૌમનસ ફૂટ ૨, મંગલાવતી કૂટ ૩, દેવકર ફૂટ ૪, વિમલ કૂટ ૫, કંચન કૂટ ૬ અને વશિષ્ઠ કૂટ ૭ આ પ્રમાણે પ્રારંભથી માંડીને સૌમનસ પર્વત સુધીના જેટલા કૂટો કહેવામાં આવેલા છે, તે બધા પાંચસો યોજન પ્રમાણવાળા છે. ' હે ભદત ! સૌમનસ વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન નામનો કૂટ કયા સ્થળે આવેલ છે ? મેરગિરિની પાસે તેની દક્ષિણ પૂર્વ દિશાના અન્તરાલમાં સિદ્ધાયતન ફૂટ છે. તે કૂટની દક્ષિણ પૂર્વ દિશાના અંતરાલમાં દ્વિતીય સૌમનસ ફૂટ આવેલ છે. અને તેની પણ દક્ષિણ પૂર્વ દિશાના અંતરાલામાં તૃતીય મંગલાવતી કૂટ આવેલ છે. એ ત્રણ કૂટો વિદિભાવી છે. મંગલાવતી કૂટની દક્ષિણ પૂર્વ દિશામાં અંતરાલમાં અને પંચમ વિમળ કૂટની ઉત્તરદિશામાં ચતુર્થ દેવકર નામક કૂટ આવેલ છે. દેવકુર ફૂટની દક્ષિણ દિશામાં પંચમ વિમળ ફૂટ આવેલ છે. વિમળ ફૂટની દક્ષિણ દિશામાં ષષ્ઠ કાંચન કૂટ આવેલ છે. એ બધા કૂટો સર્વાત્મના રત્નમય છે. પરિણામમાં એ બધા હિમવતના કૂટો તુલ્ય છે. અહીં પ્રાસાદાદિક બધું તે પ્રમાણે જ છે. વિમળ કૂટ ઉપર અને કાંચન કૂટ ઉપર ફક્ત સુવત્સા અને વત્સમિત્રા એ બે દેવીઓ રહે છે અને શેષ કૂટો ઉપર એટલે કે પાંચ કૂટો ઉપર કૂટ દ્રશ નામવાળા દેવો રહે છે. એમની રાજધાનીઓ મેરની દક્ષિણ દિશામાં છે. હે ભદત! મહાવિદેહમાં દેવકુરુ કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મન્દર પર્વતની દક્ષિણ દિશામાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, વિદ્યુ—ભ વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં તેમજ સૌમનસ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર દેવકર નામે કર આવેલ છે. એ કુરુઓ પૂર્વથી પશ્ચિમ સુધી દીર્ઘ છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તર્ણ છે. એમનો વિસ્તાર ૧૧૮૪૨-૨/૧૯ યોજન પ્રમાણ છે એમનું શેષ બધું વર્ણન ઉત્તરકુરના વર્ણન જેવું છે. એજ કે એમની વંશપરંપરાનો ત્રિકાલમાં પણ વિચ્છેદ શક્ય નથી. એમના શરીરનો ગંધ પાના ગંધ જેવો છે. વગેરે પહેલાં કહેવાઈ ગયું છે. [૧૮૧-૧૮] હે ભદત ! દેવકુરુમાં ચિત્ર અને વિચિત્ર નામક એ બે પર્વતો કયા. સ્થળે આવેલા છે ? હે ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતના ઉત્તર દિશ્વર્તી ચરમાન્તથી ૮૩૪-૪૭ યોજન એટલે દૂર સીતોદા મહાનદીની પૂર્વ- પશ્ચિમ દિશાના અન્તરાલમાં બને કિનારાઓ ઉપર એ ચિત્રવિચિત્ર નામે બે પર્વતો આવેલા છે. જે વર્ણન યમક પર્વતોના સંદર્ભમાં કરવામાં આવેલું છે. તે ચિત્રવિચિત્ર પર્વતના ઉત્તરદિશ્વર્તી ચરમાન્સથી ૮૩૪-૪૭ યોજન જેટલે દૂર સીતોદા મહાનદીના ઠીક મધ્યભાગમાં નિષધ નામે દ્રહ છે જે વક્તવ્યતા ઉત્તરકુરુમાં નીલવંત, ઉત્તરકુરે, ચન્દ્ર, ઐરાવત અને માલવન્ત એ પાંચ દ્રહો વિષે કહેવામાં આવેલી છે, તેજ વક્તવ્યતા, નિષધ, દેવકુર, સૂર, સુલસ અને વિદ્યુ—ભ એ પાંચ દ્રહોની પણ કહેવામાં આવેલી છે. એવું જાણી લેવું જોઈએ. હે ભગવન્ દેવમુરૂ નામના કુરૂમાં કૂટ શાલ્મલીપીઠ ક્યાં આવેલ છે? હે ગૌતમ! મન્દર પર્વતના નૈઋત્ય કોણમાં. નિષધવર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, વિદ્યુતંભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy