SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વફખારો-૪ જેટલું છે. તેમજ ઊંચાઇની અપેક્ષાએ ભવન કંઈક અલ્પ અધઈ ગાઉ જેટલું છે. અનેક શત. તંભોની ઉપર એ ભવન સ્થિત છે. યાવતું એની ઠીક મધ્ય ભાગમાં એક મણિપીઠિકા છે, હે ભદત એ દ્વીપનું નામ ગંગાદ્વીપ કયા કારણથી પ્રસિદ્ધ થયું. પ્રભુ કહે છે. એ ગત પદોની વ્યાખ્યા પદ્મદ્દ પ્રકરણમાં કથિપદોની વ્યાખ્યા મુજબ છે. તે ગંગા પ્રપાત કુંડના દક્ષિણ દિભાગ્યર્તી તોરણોથી ગંગા નામે મહાનદી નીકળી છે. એ ગંગા મહાનદી, ઉત્તરાદ્ધ ભરત તરફ પ્રવાહિત થતી તેમજ સાત હજાર નદીઓના પાણીથી પ્રપૂરિત થતી ખંડ પ્રપાત ગુહાના નીચેના ભાગમાંથી પસાર થઈને દક્ષિાદ્ધ ભરત તરફ પ્રવાહિત થઈ છે. ત્યાં જે મધ્યભાગમાં વૈતાઢ્ય પર્વત ઊભો છે, તેની મધ્યમાંથી પ્રવાહિત થઈને પૂર્વાભિમુખ થઈને તેમજ ૧૪ હજાર નદીઓના પરિવારથી પરિપૂર્ણ થતી પૂર્વદિગુ સમુદ્રમાં જઇને મળી ગઈ છે. પૂર્વ દિસમુદ્રમાં પૂર્વ દિગ્દતિ લવણસમુદ્રમાં મળવા જતી વખતે આ નદીએ ત્યાંની જે જંબૂદ્વીપની જગતી છે તેને વિદીર્ણ કરી દીધી છે. એ ગંગા નામક મહાનદી જે સ્થાન ઉપરથી નીકળીને વહેવા લાગે છે તે પાદૂહના તોરણથી એનું નિર્ગમન સ્થાન-એક ગાઉ અધિક ૬ યોજન પ્રમાણ વિધ્વંભની અપેક્ષાએ છે ઊંડાઈઅધ ગાઉ જેટલી છે. ત્યાર બાદ ગંગા પ્રપાત કુંડમાંથી નીકળીને પછી તે મહા નદી ગંગા અનુક્રમે પશ્ચિમાધેમાંપ-૫ ધનુષ જેટલી વૃદદ્ધિકરતીએટલે કે બન્ને પાર્થોમાં ૧૦ ધનુષ જેટલી વૃદ્ધિ કરતી જ્યાં તે સમુદ્રમાં પ્રવેશે છે, તે સ્થાન વિખંભની અપેક્ષાએ રા યોજન પ્રમાણ થઈ જાય છે અને ૧ યોજન જેટલો તે સ્થાનનો ઉદ્ધધ થઈ જાય છે. એ ગંગા પોતાના બને કિનારાઓ ઉપર બે પદ્મવર વેદિકાઓથી અને બે વનખંડોથી પરિક્ષિપ્ત છે. ગંગા મહાનદીના આયામ વગેરેની જેમ સિન્ધ મહાનદીના આયામાદિકો વિષે પણ જાણી લેવું જોઇએ. યાવતુ એ સિંધુ મહા, નદી પદ્મદના પશ્ચિમ દિશ્વર્તી તોરણોથી યાવતુ પદના કથન મુજબ નીકળે છે. અને પશ્ચિમ દિશા તરફ પ્રવાહિત થાય છે. જ્યાંથી એ નદી નીકળે છે ત્યાંથી પાંચસો યોજન સુધી તે પર્વત ઉપર પ્રવાહિત થઈને એ સિન્ધવાવત કૂટમાં પાછી ફરીને પ૨૩-૩ /૧૯ યોજન સુધી તે પર્વત ઉપર જ દક્ષિણ દિશા તરફ જઈને પ્રચંડ વેગથી ઘડાના મુખમાંથી નિકળતા જલ પ્રવાહ જેમ પોતાના જલપ્રવાહ સાથે પડે છે. એ સિંધુ મહાનદી જે સ્થાનમાંથી સિધ્ધાવી કૂટમાં પડે છે તે એક સુવિશાળ જિલ્ફિવકા છે. બાકી ગંગાનદી મુજબ જાણવું. [૩૦] હે ભદત ક્ષક હિમવતુ વર્ષધર પર્વત ઉપર કેટલા કુટો કહેવામાં આવેલા. છે? હે ગૌતમ! ૧૧ કૂટો કહેવામાં આવેલ છે. સિદ્ધાયતન કૂટ, ક્ષુદ્રહિમવત્ કૂટ, ભરત કૂટ, ઈલાદેવી કૂટ, ગંગા-દેવીકૂટ, શ્રી કૂટ, રોહિતાંશા કૂટ, સિન્ધદેવી કૂટ, સૂરદેવી કૂટ હૈમવંત કૂટ, અને વૈશ્રમણ કૂટ હે ભદત ! ક્ષુદ્રહિમવતું વર્ષધર પર્વત ઉપર સિદ્ધયતન નામે જે કૂટ છે તે ક્યાં આવેલો છે? હે ગૌતમ ! પૂર્વ દિગ્દર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ મુદ્ર હિમવત કૂટની પૂર્વદિશામાં સિદ્ધાયતન કૂટ નામક કૂટ આવેલ છે- એ સિદ્ધાયતન ફૂટ પ00 યોજન જેટલો ઊંચો છે. મૂલમાં પ00 યોજન જેટલો અને મધ્યમાં ૩૭પ યોજન જેટલો ઉપરમાં ૨પ૦ યોજન જેટલો વિસ્તાર છે. મૂળમાં આનો પરિક્ષેપ ૧૫૮૧ યોજન કરતાં કંઈક વધારે છે. મધ્યમાં આનો પરિક્ષેપે ૧૧૮૬ યોજન કરતાં કંઈક કમ છે. ઉપરમાં આનો પરિક્ષેપ ૭૯૧ યોજન કરતાં કંઈક અલ્પ છે. એ સિદ્ધાયતન કૂટ એક પદ્રવર વેદિકાથી તેમજ એક વનખંડથી ચોમેર આવૃત્ત છે કે સિદ્ધાયતન કૂટના ઉપરનો [2] For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy