SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વારો-૩ ૧૬૩ વર્ણના, નીલવર્ણના, પીતવર્ણના, શુક્લ વર્ણના અને હરિત વર્ણના વગેરે અનેક વર્ણના રત્નોવાળી તેમજ જેમનો યશ લોકમાં વ્યાપ્ત થઈ રહ્યો છે એવા ૯નિધિઓ પોત પોતાના અધિષ્ઠાયક દેવો સહિત ઉપસ્થિત થયા. તે નવ નિધિઓ ના નામો આ પ્રમાણે છે નૈસર્પિનિધિ- પાંડુનિધિ પિંગલક નિધિ સર્વરત્નનિધિ મહાપદ્મનિધિ કાનિધિ મહા કાલ નિધિ માણવનિધિ શંખનિધિ, નૈસર્પ નામક નિધિમાં ગ્રામ આક૨, નગર, પટ્ટણ, દ્રોણમુખ, મડંબ, સ્કન્ધાવરા, આપણ અને ભવન એમની સ્થાપના વિધિ રહે છે સંખ્યા પ્રધાન હોવાથી વ્યવહર્તવ્ય દીનાર વગેરેનું અથવા નારિકેલ વગેરેનું તેમજ પરીક્ષ મૌક્તિકાદિનું કથન તેમજ માન-સેતિકા આદિ રૂપ તોલનું તેમજ એ તોલના વિષયભૂત પદાર્થનું ઉન્માન, તુલા કર્ષ-તોલા એમનું અને એમના વડે જે તોલવામાં આવે છે એવા જે પદાર્થો છે તેમનું તથા ધાન્ય શાલિ વગેરે અને બીજનું આ પ્રમાણે એ સર્વની માપવા તોલવાની વિધિનું પરિમાણ બીજા નિધિમાં રહે છે. સર્વ પ્રકારના પુરુષોનાસ્ત્રીઓના, ઘોડાઓના અને હાથીઓના આભરણોની વિધિ એ ત્રીજી પિંગલ નિધિમાં રહેલી છે. સર્વ રત્ન નામક નીધીમાં ચતુર્દશરત્નો કે જે ચક્રવર્તી ને પ્રાપ્ત હોય છે તે ઉત્પન્ન થાય એ ૧૪ રત્નોમાં સાત રત્નો-ચક્રરત્ન, ઇડરત્ન, અસિરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, મણિરત્ન અને કાકણી રત્ન એ બધા રત્નો એકેન્દ્રિય હોય છે. અને એમના, સિવાય સેનાપતિ ગાથાપતિ, વર્ધકી, પુરોહિત, અશ્વ, હસ્તિ અને સ્ત્રી એ સાત રત્નો પંચેન્દ્રિય હોય છે. એ મહાપદ્મનામક પાંચમી નિધિમાં સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ તેમજ વસ્ત્રગત સમસ્ત રચનાઓની રંગોની અને વસ્ત્રોવિગિરેને ધોવાની વિધિ નિષ્પન્ન હોય છે. કેમ કે એ મહાપદ્મનિધિ શુકલ-રક્ત વગેરે ગુણોથી યુક્ત હોય છે. એથી આ નિધિ વસ્ત્રોને ભિન્ન-ભિન્ન પ્રકારના રંગોથી રંગવા તેમજ તેમને પ્રક્ષાલિત કરવાં ૮૪ લાખહાથી ઓના અને ઘોડાઓના તથા ૯૬ કરોડ મનુષ્યોના વસ્ત્રને બનાવીને તેમને અર્પવા, એ બધું કામ એ નિધિનું છે. એ કાલ નામક છઠ્ઠી નિધિમાં સમસ્ત જ્યોતિષઃશાસ્ત્રાનુબન્ધી જ્ઞાન તીર્થંકર ભગવાનનો વંશ, ચક્રવર્તી વંશ અને બલદેવ-વાસુદેવ એ ત્રણ વંશોમાં જે શુભાશુભ થઇ ચૂક્યું છે થવાનું છે. થઇ રહ્યું છે તે બધુ રહે છે એ મહાકાલ નામક નિધિમાં અનેક પ્રકારના લોખંડની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. તેમ ચાંદી, સોનામણિ, મુક્તાશિલા સ્ફટિકા વગેરે તેમજ પ્રવાલ-મૂંગા વગેરેનીખાણોની ઉત્પત્તિ બતાવવામા આવી છે. એ માણવક નામક આઠમી નિધિમાં યોદ્ધાઓની, કાયરોનીઆવ૨ણોની શરીર રક્ષક કવચાદિ વસ્તુઓની સમસ્ત પ્રકારના નીતિની તેમજ સામ, દામ દણ્ડ અને ભેદ એ ચાર પ્રકારની નીતિઓની ઉત્પત્તિ કહેવામાં આવે છે એ શંખ નામક નિધિમાં નાટ્યનિધિની ૩૨ સહસ્ત્ર નાટકભિનય રૂપ અંગ સંચાલન ક૨વાના પ્રકારોની નાટ્ય વિધિ ૩૨ પ્રકારના નૃત્ય-ગીતવાદ્યોની અમિનય વસ્તુઓથી સંબદ્ધ પ્રદર્શનના પ્રકારની તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થોનું પ્રતિપાદન કરા નારા નિષ્પત્તિ હોય છે. એમાંથી દરેક નિધિનું અવસ્થાન આઠ-આઠ ચક્રની ઉપર રહે છે. જ્યાં જ્યાં એ નિધિઓ લઈ જવામાં આવે છે ત્યાંત્યાં તેઓ આઠચક્રોની ઉપર પ્રતિ ષ્ઠિત થઈને જ જાય છે. એમની ઉંચાઇ આઠ આઠ યોજન જેટલી હોય છે, એમનો વિસ્તાર ૯ યોજન જેટલો હોય છે. ૧૨ યોજન જેટલી એમની લંબાઈ હોય છે. તેમજ એમનો આકાર મંજૂષા જેવો હોય છે. જ્યાંથી ગંગા સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યા એ નવનિધિઓ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy