SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જંબુદ્ધીવપન્નત્તિ - ૩/૧૦૦ રથને પાછો ફેરવીને તે ભરત નરેશ જ્યાં ૠષભકૂટ હતો ત્યાં ગયો. ત્યાં પહોંચીને તેણે ૠષભકૂટ પર્વતનો ૨થના અગ્ર ભાગથી ત્રણ વખત સ્પર્શ કર્યો ત્રણ વખત સ્પર્શ કરીને પછી તેણે ઘોડાઓને ઊભા રાખ્યા. રથ ઊભો રાખીને તેણે કાકણી રત્નને હાથમાં લીધું.વિશિષ્ટ કાકણી રત્નને લઇને તેણે ૠષભકૂટ પર્વતના પૂર્વભાગવર્તી કટક ઉપર મધ્ય ભાગમાં-પોતાનું નામ લખ્યું- એ અવસર્પિણી કાળના તૃતીય આરકના પશ્ચિમ ભાગમાં હું ભરત નામે ચક્રવર્તી થયો છું. અને હું જ અહીં ભરતક્ષેત્રમાં કર્મભૂમિના પ્રારંભમાં સર્વપ્રથમ રાજા થયો છું, સામન્ત વગેરેમાં હું ઈન્દ્ર જેવો છું, મારો કોઈ શત્રુ નથી, ષટ્ ખંડ મંડિત આ ભરતક્ષેત્રમાં મારૂં અખંડ સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. આ પ્રમાણે તેણે પરિચયાત્મક પોતાનું નામ લખ્યું. નામ લખીને પછી તેણે ત્યાંથી પોતાના રથને પાછો વાળ્યો. રથને પાછો વાળીને પછી તે જ્યાં વિજય સ્કંધાવારનો પડાવ હતો અને તેમાં પણ જયાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને તેણે યાવત્ ક્ષુદ્ર હિમવંતગિરિકુમાર નામક દેવના વિજયોપલક્ષ્યમાં આઠ દિવસ સુધી મહા મહોત્સવ ઉજવ્યો. જ્યારે આઠ દિવસનો મહામહોત્સવ સમાપ્ત થઇ ગયો ત્યારે તે ચક્રરત્ન આયુધ શાળામાંથી બહાર નીકળ્યું અહીં તે ચક્રરત્ન દક્ષિણ દિશા તરફ વૈતાઢ્ય તરફ રવાના થયું. [૧૦૧-૧૦૩] ત્યાર બાદ જ્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવત્ દક્ષિણ દિશામાં વૈતાઢ્ય ગિરિ તરફ જતું જોયું તો જોઈને તે બહુ જ હૃષ્ટ તેમજ તુષ્ટ ચિત્તવાળો થયો. ત્યાર બાદ જ્યાં વૈતાઢ્ય પર્વતનો ઉત્તર દિશા તરફ નો નિતંબ હતો-અધો ભાગ હતો, ત્યાં તે આવ્યો. ત્યાં આવીને તેણે વૈતાઢ્ય પર્વતના ઉત્તર દિગ્દર્તી નિતંબ ઉપર ગિરિ સમીપ-અધઃ પ્રાન્ત માં-દ્વાદશયોજન જેટલી લંબાઈ વાળા અને નવયોજન પ્રમાણવાળા શ્રેષ્ટ નગર જેવા પોતાના સ્કન્ધાવાર નો પડાવ નાખ્યો પછી પૌષધશાળામાં શ્રી મહારાજ ભરત નરેશે કર્યો. પૌષધશાળામાં પ્રવિષ્ટ થઈ ને તે ભરત રાજાએ શ્રીઋષભ દેવસ્વામીના મહાસામન્ત કચ્છના પુત્ર તેમજ વિદ્યાધરોના રાજા એવા નિમ અને વિનમિને પોતાના વશમાં કરવા માટે અષ્ટમભક્તની તપસ્યા ધારણ કરી. અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરીને પૌષધશાળામાં યાવત્ પદ ગૃહીત પદ ગૃહીત તે ભરત રાજા કુશના આસન ઉપર ઉપવિષ્ટ થઇ ગયા સમસ્ત ભૂષણ અને અલંકારોનો તેમણે પરિત્યાગ કર્યો. તેઓ બ્રહ્મચારી બની ગયા ઇત્યાદિ પૂર્વોક્ત સમસ્ત વિશેષણોથી વિશિષ્ટ થયેલા તે ભરત રાજાએ મિ- વિનમિ રાજાઓને કે જેઓ વિદ્યાધરોના સ્વામી હતા તેમને કેવી રીતે વશમાં કરી શકાય ? કેમ કે તેમની ઉપર બાણ વગેરે શસ્ત્રોનો પ્રયોગ કરી તેમને હણવા, તે ક્ષત્રિયો ચિત ધર્મ નથી એથી સિન્ધુ વગેરે દેવીઓની જેમજ એ બન્ને ને પોતાના વશમાં કરવા માટે જે સાધનોનો ઉપયોગ થઇ શકે તેમાં પ્રવૃત્ત થયા. શ્રીભરતમહારાજાની અષ્ટમ ભક્ત ની તપસ્યા જ્યારે પૂરી. થવા આવી ત્યારે નમિ અને વિનમિ બન્ને વિદ્યાધર રાજાઓ દિવ્યાનુભાવજનિત હોવાથી દિવ્ય એવા પોતાના જ્ઞાન વડે પ્રેરિત થઈ ને પરસ્પર એક-બીજાની પાસે આવ્યા. હે દેવાનુપ્રિયો ! જંબુદ્રીપ નામક દ્વીપમાં ભરતક્ષેત્રમાં ચાતુરન્ત ચક્રવર્તી ભરત નામે, રાજા ઉત્પન્ન થાય છે તો આપણો એ આચાર છે અતીત, વર્તમાન અને અનાગત વિદ્યાધર રાજાઓનો કે તેઓ ચક્રવર્તીઓ માટે ભેટ રૂપમાં રત્નાદિક પ્રદાન કરે તો હે દેવાનુપ્રિય, ચાલો, અમે લોકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy